________________
-
----
-
----
૧૭૮
[ધ સં૦ ભા. ૧-વિ૨-ગ ૨૬ ટીકાનો ભાવાર્થ-ઉપર જણાવ્યાં તે “કન્યાલીક' વગેરે પાંચ પ્રકારનાં અસત્ય વચને અતિકિલષ્ટ (દુષ્ટ) આશય(અધ્યવસાય)થી બોલાય છે, માટે તેને મેટ-સ્કૂલ” અસત્ય કહ્યાં છે. તેને ત્યાગ કર તે શ્રીજિનેશ્વરદેએ બીજું અણુવ્રત કહ્યું છે. તેમાં
- ૨-જાન્યાહીવ-રાગ, દ્વેષ વગેરેથી કન્યાના સંબંધમાં અસત્ય બોલવું. જેમ કે–વિષકન્યાને સારી કે સારી હોય તેને વિષકન્યા કહેવી, સદાચારિણીને દુરાચારિણી કે દુરાચારિણીને સદાચારિણી કહેવી, વગેરે કન્યા સંબંધી અસત્ય બોલવું તેને “કન્યાલીક' કહ્યું છે. જો કે કન્યાને ઉદેશીને વ્યાખ્યા કરેલી હોવાથી આનું નામ કન્યાલીક કહ્યું છે, તે પણ (ઉપલક્ષણથી) અહીં કુમાર, દાસ, દાસી, નેકર, ચાકર વગેરે કોઈ પણ બે પગવાળાને અંગે “સારને ખેટાં અને ખોટાને સારાં વગેરે જણાવવારૂપ અસત્ય બોલવું, તે બધું આ કન્યાલીક નામના મૃષાવાદમાં ગણાય છે એમ સમજવું.
૨-જાન્ટી-રાગ-દ્વેષાદિ દુષ્ટ આશયથી ગાયને અંગે અસત્ય બોલવું. જેમ કે-ડું દૂધ આપતી હોય તેને ઘણું દૂધ આપનારી કે ઘણું દૂધ આપતી હોય તેને અ૫ દૂધ આપનારી, વગેરે ખેટાં દૂષણે બોલવાં કે ખોટી પ્રશંસા કરવી, ઈત્યાદિ “ગવાલીક' જાણવું. અહીં પણ માત્ર ગાય જ નહિ સમજતાં (ઉપલક્ષણથી) ભેંસ, ઘોડા, હાથી, બળદ, બકરાં, ઘેટાં, પાડા, સાંઢ, ગધેડાં વગેરે કઈ પણ ચાર પગવાળાં પશુને અંગે ખોટાં દૂષણે બતાવવાં કે બેટી પ્રશંસા કરવી, તે સઘળાંય જુહૂ વચને આ “ગવાલીક”માં ગણાય છે એમ સમજવું.
રૂ-મૂઢીકા-ભૂમિ એટલે જમીન સંબંધમાં રાગ-દ્વેષાદિ કારણે અસત્ય બોલવું તે ભૂમિઅલીક.” જેમ કે-ક્ષેત્ર, ઘર, હાટ, આગણું વગેરે બીજાનાં હોય છતાં તેને પિતાનાં કે તેના માલિકને છોડી અમુક બીજાનાં છે–એમ જુડું બેલવું, આપણું ક્ષેત્રાદિને બીજાનાં કે બીજાનાં હોય તેને અમુક(ત્રીજા)નાં છે-એમ કહેવું અથવા ઉખર ક્ષેત્રાદિને સારું (રસાળ) વગેરે કહી પ્રશંસા કરવી, સારાં ક્ષેત્રાદિને ઉખર વગેરે કહી દૂષણે જણાવવાં, વગેરે સઘળું ભૂમિઅલીક સમજવું. અહીં પણ માત્ર ભૂમિ જ નહિ સમજતાં (ઉપલક્ષણથી) દ્વિપદ-ચતુષ્પદ સિવાયની અપદ વસ્તુઓ વસ્ત્ર–પાત્ર-વૃક્ષ-ધન-માલ-મિલ્કત વગેરે સઘળું સમજવું. અર્થાત્-દ્વિપદ–ચતુષ્પદ સિવાયના કોઈ પણ પદાર્થ અંગે તેનાં સ્વરૂપથી વિપરીત સારું-ખોટું કે પિતાનું યા પારકું, હોય તેથી વિપરીત જણાવવું, તે બધું “ભૂમિઅલીક મનાય છે એમ સમજવું. કહ્યું છે કે
" कन्नागहणं दुपयाण, सूअगं चउपयाण गोवयणं । વાળ વ્યા, સંખ્યા મૂવિ તુ . ”
(લંવષ૦, શoaધકાર, ના૨૮) ભાવાર્થ-“અહી કન્યા શબ્દને ગ્રહણ કર્યો છે તે સર્વ દ્વિપદને સૂચક છે, ગ શબ્દ સઘળાં ચતુષ્પદેને સૂચક છે અને ભૂમિ શબ્દ સઘળા અપદ પદાર્થોને સૂચક છે. ”
પ્રશ્ન-જે ઉપર જણાવ્યા પ્રમાણે કન્યા શબ્દથી સઘળાં દ્વિપદ, ગ શબ્દથી સઘળાં ચતુષ્પદ અને ભૂમિ શબ્દથી બધાં અપદને ગ્રહણ કરવાનું કહ્યું, તે તે કન્યાદિ શબ્દોને બદલે “દ્રિપદ અલીક, ચતુષ્પદ અલીક કે અપદ અલીક” એવાં નામે કેમ ન રાખ્યાં?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org