SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ [ ધo સં૦ ભા૦ ૧-વિo ગૂા. ૨૪ જીવોની હિંસાનાં જ પચ્ચકખાણ કરી શકાય છે, ઉપર કહ્યા તે સૂક્ષમ (બાદરપૃથ્વીકાયાદિ) જીવોની હિંસાનો ત્યાગ તેઓથી કરી શકાતું નથી, કારણ કે તેઓને માટી, પાણી, અગ્નિ આદિને વારંવાર અનેક કાર્યોમાં ઉપયોગ કરે પડે છે, તે સિવાય તેઓને ગૃહસ્થાવાસ ચાલી શક્તિ નથી, માટે એ રીતિએ સાધુ કરતાં શ્રાવકની દયા ( અડધી) દશ વસા ન્યૂન બાકી રહે છે. . (૨) આ સ્થૂલ (ત્રસ) ની હિંસા પણ એક સંકલ્પપૂર્વકની, અને બીજી ખેતી, રસોઈ આદિ આરંભથી; એમ બે પ્રકારે થાય છે, તેમાં ગૃહસ્થ તે “હું આને હણું”—એવા સંકલ્પપૂર્વક હિંસા નહિ કરવાનું જ પચ્ચકખાણ કરી શકે છે, નહિ કે-ખેતી વગેરે આરંભના કાર્યોમાં થતી બેઈન્દ્રિયાદિ ત્રસ જીવોની હિંસાનું! કારણ કે-ગૃહસ્થ એવા આરંભ વિના શરીર, કુટુમ્બ, આજીવિકા વગેરેને નિર્વાહ કરી શકતું જ નથી, એટલે દશ વસામાંથી પણ અડધી (પાંચ વસા) જીવદયા ઓછી થવાથી પાંચ વસા જ બાકી રહે છે. ૩) સંકલ્પથી થતી હિંસાને પણ સંપૂર્ણ ત્યાગ ગૃહસ્થ કરી શકતું નથી, કારણ કે-નિરપરાધી અને અપરાધી-એમ બે પ્રકારના સ્થૂલ જે પૈકી નિરપરાધીની જ હિંસાને તે ત્યાગ કરી શકે છે, જ્યારે અપરાધી છે માટે તે શ્રાવકને ગુરુલાઘવતાને વિચાર કરવું પડે છે, અર્થાત્ સામાન્ય અપરાધ કર્યો છે કે મહાન અપરાધ કર્યો છે–એમ વિચારી, મહા અપરાધીને તે સંકલ્પપૂર્વક પણ માર પડે તેમ હોવાથી તેને ત્યાગ કરી શકાતું નથી; એ રીતિએ પૂલ જીમાં પણ અપરાધીને સંકલ્પપૂર્વક હણવાની છૂટ રહેવાથી પુનઃ અડધી ઓછી થતાં ઉપર જણાવેલા પાંચ વસામાંથી પણ અઢી વસા જ બાકી રહે છે. (૪) નિરપરાધી જીવોની હિંસા પણ એક સકારણ અને બીજી નિષ્કારણએમ બે પ્રકારે થાય છે. આ બેમાં ગૃહસ્થને ગાડે જોડેલા પાડા, બળદ કે ઘોડા વગેરે પશુઓને તથા ભણવામાં પ્રમાદી કે અસદાચારી પુત્ર વગેરે પરિવારને, એ નિરપરાધી છતાં તેફાની હોય, કામ ન આપતા હાય, પળોટવા હોય, ભણાવવા હોય, તે તેવા કારણે તાડન, તર્જન વગેરે વધ-બધિનાદિ કરવાં પડે છે, જેથી તેનું પચ્ચકખાણ પણ કરી શકાતું નથી; એ પ્રમાણે અઢી વસામાંથી પણ અડધી ઓછી કરતાં માત્ર “સવા વસે” (રૂપીયામાં એક આના જેટલી જ) અહિંસા બાકી રહે છે. એ મુજબ શ્રાવક દેશથી, અર્થાત્ સંપૂર્ણની અપેક્ષાએ અલ્પ માત્ર હિંસાને તજી શકે છે. I જીવહિંસાના ૨૪૩ પ્રકારે આ પ્રમાણે શાસ્ત્રમાં કહ્યા છે. “મ--નVT-sનિ-વ-રિવડ–રિદ્દેિ નવ લવા મન-વચાર , હૃત્તિ તે સત્તત કર છે ?” ફાસીર્ફ તે વાર– –ડકુમારિકા હોડી ते च्चिय तिकालगुणिया, दुन्निसया हुँति तेआला ॥२॥" | ( સિંહોય, શત્રતાપિ , ના. ૮-૧) ભાવાર્થ-“પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચીરિન્દ્રિય અને પંચેન્દ્રિય–એમ નવ પ્રકારે છે. તેની મન, વચન અને કાયાથી હિંસા કરતાં ૨૭ પ્રકારે થાય, તેને પણ કરવા, કરાવવા અને અનુમેદવારૂપ ત્રણ પ્રકારે ગુણતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy