________________
--પ્રકાશકના બે બોલ
શ્રીમાલજ્ઞાતીય દેશી શેઠ મનીઆશાના પુત્ર શેઠ શાનિદાસ દેશીની આગ્રહભરી વિનંતિથી, પૂ. ઉપાધ્યાયજી શ્રી માનવિજ્યજી ગણિવરે વિ. સં. ૧૭૩૧ માં શ્રાવકધર્મ અને સાધુધર્મ–એમ બંને અધિકારયુક્ત “ શ્રી ધર્મસંગ્રહ” નામને આ વિસ્તૃત બોધદાયક ગ્રંથ રચીને જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે.
ત્રણ સદીઓ પછીના તેમના જ વંશજ સુશ્રાવક મયાભાઈ સાંકળચંદને સ્વકલ્યાણાર્થે શ્રુતજ્ઞાનની યત્કિંચિત ભક્તિ કરવાને મને રથ થતાં, તેમણે સદરહુ ગ્રંથને ગૂર્જરભાષામાં અનુવાદ કરાવવાને નિર્ણય કર્યો. અનુવાદ કોની પાસે કરાવે–એ પ્રશ્ન ઉપસ્થિત થતાં, તેમણે પૂ. પરમ ઉપકારી આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રપ્રશિષ્ય પૂ. મુનિરાજ શ્રી ભદ્રકવિજયજી મહારાજને તે માટે વિનંતિ કરી, તેઓશ્રીએ તે સમયે તેને સ્વીકાર કર્યો નહિ અને આશરે પાંચ વર્ષ વીતી ગયાં. આખરે આ ગ્રહપૂર્વક વિનતિ કરતાં સ્વ-પર કલ્યાણાર્થે તેઓશ્રીએ હા પાડી.
તે પછી તેઓશ્રીએ વિ. સં. ૨૦૦૪ના અમદાવાદના ચાતુર્માસમાં પ્રસ્તુત ગ્રંથને ગુજરાતીમાં અનુવાદ કરવાની શરૂઆત કરી અને જેમ જેમ તે તૈયાર થતો ગયો તેમ તેમ સુશ્રાવક માયાભાઈ તેનું મનનપૂર્વક વાંચન કરતા ગયા. છેવટે વિ. સં. ૨૦૦૬ ના મહા સુદ ૧૦ના શુભ દિને ગ્રંથના “શ્રાવકધર્મ નામના પહેલા અધિકારના અનુવાદનું કાર્ય સંપૂર્ણ થયું અને તેઓએ તે લખાણને આનંદપૂર્વક એકદીલીથી સંપૂર્ણ વાંચી લીધું. ત્યાર બાદ આ ગ્રંથ છપાવી પ્રસિદ્ધ કરવાની તેમની ઈચ્છા તીવ્ર બની, તેમની માંદગી ચાલુ હતી અને દિવસે દિવસે શરીર ક્ષીણ થતું જતું હતું. આ સમયે પૂ. મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ, કે જેઓશ્રી મારવાડમાં વિચરતા હતા, તેઓશ્રી વૈશાખ માસમાં અમદાવાદ પધાર્યા અને તેઓની સમક્ષ સુશ્રાવક મયાભાઈએ શ્રુતજ્ઞાનની આરાધના માટે આ ગ્રંથ છપાવવાની પિતાની ભાવના પ્રદર્શિત કરીને અનુમતિ મેળવી લીધી.
આથી તેને અંગેની સર્વ વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ તેટલામાં તે તેઓ પ્રથમ અસાડ વદ ૬ ના સારી સમાધિપૂર્વક અવસાન પામ્યા. માંદગી દરમિયાન તેઓએ વારંવાર કરેલી ખાસ ભલામણથી આ ગ્રંથની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન તેમના સુપુત્રોએ વિ. સં. ૨૦૧૦ના કારતક સુદ ૫ના રોજ પ્રગટ કરી જ્ઞાનભક્તિના ઉદ્દેશથી ચગ્ય સ્થળે ભેટ આપી દીધું.
ગ્રંથ જેમ જેમ લેકના જેવા-જાણવામાં આવ્યું તેમ તેમ સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા દરેકની એક ઉપર એક અનેક માગણીઓ થવા લાગી. પ્રથમ આવૃત્તિની પરિમિત નકલે બે મહિનામાં ભેટ અપાઈ ગઈ અને લેકની માગણી વધતી ગઈ. સમાજની આ માગણીને સંતોષવા બીજી આવૃત્તિ છપાવવાનો નિર્ણય કર્યો અને તેજ વર્ષે ચોમાસામાં એ કાર્ય મુંબાઈ- શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડલને સેંપવામાં આવ્યું. તેમણે તુર્તજ
--
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org