SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદ નવપ્રભાત પ્રી. પ્રેસમાં તે કામ શરૂ કરાવ્યું પણ ભવિતવ્યતાએ દોઢ વર્ષ સુધી એ પૂર્ણ થયું નહિ, આખરે એ અધુરૂં કામ ત્યાંથી અમે પાછું લીધું અને અમદાવાદ ધી નયન પ્રીટિંગ પ્રેસમાં સેપ્યું. ત્રણ મહિનામાં છાપવાનું કાર્ય પૂર્ણ કરાવી આ ગ્રન્થ બનતી ત્વરાયે લોકેને વહેલે મળી શકે તે માટે ઘટતા પ્રયત્ન કર્યા છે. એમ બે પ્રેસમાં થઈ બે વર્ષના ગાળે છપાયેલે આ ગ્રંથ આજે અથીઓની માગણીને સફળ કરે છે તેને અમે આનંદ અનુભવીએ છીએ. કેવળ જ્ઞાનભક્તિ નિમિત્તે અમારે આ પ્રયાસ છે, એમાં થએલો ખર્ચ જ્ઞાનખાતાના દ્રવ્યથી કરેલો છે તેથી તેનું મૂલ્ય રાખવું ઉચિત ધાર્યું છે. પહેલાં કરેલા અનુમાન પ્રમાણે એની કિંમત સાત રૂપિયા જાહેર કરી હતી પણ પાછળથી ખર્ચ વધુ જણાતાં આઠ રૂપિયા રાખી છે, જૈન સાહિત્ય વિકાસ મંડલની જાહેરાત મુજબ પહેલાંથી થએલા ગ્રાહકોને સાતમાં અને બીજાઓને આઠ રૂપીયામાં તે આપી શકાશે. ગ્રથની ઉપગીતા વિગેરેને અંગે “પ્રાકથન અને ઉબેધન માં લખાઈ ગયેલું હોવાથી અમે કંઈ લખતા નથી. વર્તમાન જીવન વ્યવહારમાં ભૂલા પડેલા જેને પગલે પગલે માર્ગ દર્શન આપતા આ ગ્રન્થને અથી આત્માઓ શીવ્ર મંગાવી લે અને તેનું મનન પૂર્વક વાંચન કરી જીવન વિકાસ સાધે એજ અમારા પ્રયત્નની સફળતા છે. પ્રાન્ત, આ ગ્રંથના ગૃજર અનુવાદની શરૂઆતથી તે સંપૂર્ણ છપાઈને તૈયાર થયે ત્યાં સુધીની પૂરેપૂરી કાળજીપૂર્વક સઘળી ય જહેમત ઉઠાવનાર અને આત્મભોગ આપનાર, તેમ જ ગ્રંથની શરૂઆતમાં સ્વહસ્તે “પ્રાફ-કથન” લખી આપનાર પૂ. વિદ્વાન મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજને અમે જેટલે ઉપકાર માનીએ તેટલે ઓછે છે. તેઓશ્રીની શ્રુતજ્ઞાન સંબંધીની આ અનુપમ સેવા ચિરસ્મરણીય રહેશે. સાથે સાથે અમારા ઉપકારી તેઓશ્રીના ગુરૂવર્ય પૂ. આચાર્ય શ્રી વિજયમને હરસૂરીશ્વરજી મહારાજે પિતાના અમૂલ્ય સમયને ભેગ આપીને જે સંશોધન વિગેરે કરી આપ્યું છે તેઓશ્રીને, તેમ જ પૂ. આચાર્ય શ્રી વિજયજબૂસૂરીશ્વરજી મહારાજ, કે જેઓશ્રીએ આ ગૂર્જર અનુવાદનું સંપૂર્ણ લખાણ પિતાના વિશાળ અનુભવથી તપાસી આપવાની તથા ગ્રંથની શરૂઆતમાં સ્વકલમથી “ ઉધન” શીર્ષક પ્રાસ્તાવિક લખી આપવાની જે કૃપા કરી છે, તે બદલ તે બને પૂને અમો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. તે સિવાય અન્ય પૂ. મુનિવરએ તથા બીજાઓએ પણ અમારા આ કાર્યમાં જે જે સહકાર આપે છે, તે માટે તે તે દરેકને આભાર માનીને વિરમીએ છીએ. -પ્રકાશક - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy