________________
૧૫૮
[ ધ૦ સંવે ભા૦ ૧-વિ૦ ૨–ગા. ૨૪ " दुविहा विरयाऽविरया, दुविहतिविहाइणट्ठहा हुंति ।
વયમેળ છરિવ્ય, મુનિ સુમિ િવ # ૨.” (શા પ્રતમ વજૂ૦ ૨) ભાવાર્થ_“શ્રાવકેના વિરતિધર અને અવિરતિવાળા એમ બે ભાંગા, તેના જ દ્વિવિધત્રિવિધાદિ ભેદે કરતાં (વિરતિધર સાત અને એક અવિરતિ મળી) આઠ ભાંગા થાય છે અને પ્રતિ વ્રતના દ્વિવિધ-ત્રિવિધાદિ છ છ ભેદો જુદા જુદા ગણતાં પાંચ વ્રતના ત્રીસ તથા ઉત્તરગુણને એક અને અવિરતિને એક મળીને બત્રીશ ભેદે પણ થાય છે.” ( વિશેષમાં આ “દ્વિવિધ-ત્રિવિધ” વગેરે ભાંગાઓ જણાવવા દ્વારા ઉપલક્ષણથી અહીં શ્રાવકને એગ્ય પાંચ અણુવ્રતાદિ બારેય વ્રતના ભાંગાની સંખ્યાના આંકથી બનતી દેવકુલિકાઓનું સૂચન કર્યું સમજવું. (“દેવકુલિકા” પારિભાષિક શબ્દ છે, જે સંખ્યાઓને નીચે-ઉપર લખતાં દેવળ જે 5 આકાર થાય તેને અહીં દેવકુલિકા સમજવી.) ઉપર કહેલા દ્વિવિધ–ત્રિવિધાદિ છ ભાંગાએરૂપ ષડભંગી દ્વારા દરેક વ્રતના ભાંગાઓની દેવકુલિકાઓ બને છે. આ દરેક દેવકુલિકાઓમાં ૧ગુણ્યાંક (જેને ગુણવામાં આવે તે સંખ્યા), ૨-ગુણાંક (જેનાથી ગુણવામાં આવે તે સંખ્યા) અને ૩-ફળાંક ( ગુણ્ય-ગુણાંકથી ગુણાકાર કરતાં જે જવાબ આવે તે સંખ્યા)-એમ ત્રણ પ્રકારની સંખ્યાઓ થાય છે. તેમાં પ્રથમ આ દેવકુલિકાઓ માટે ઉપર્યુક્ત છ ભાંગાની વિવક્ષાથી ઉપજતા દરેક વ્રતના કુલ સગી ભાંગાની સંખ્યાઓ તથા તે સંખ્યાઓને ઉપજાવવાને ઉપાય જણાવે છે.
“gવા છર્મા, નિદ્ધિા સાથળ ને દૂજે છે
તે વિશ્વ પર્યાપુરી, સત્તા છગુ વમો II ? ” (ગ્રા) પ્રતિમવિજૂ૦૨) ભાવાર્થ–“શ્રાવકેના એક વ્રતના દ્વિવિધ–ત્રિવિધ વગેરે જે છ ભાંગ સૂત્રમાં બતાવ્યા છે, તેને જ એક પદની વૃદ્ધિથી, એટલે છમાં એક ઉમેરીને સાતે ગુણી (અર્થાત મૂલ છ ભાંગાને સાતે ગુણી) તેમાં છ ઉમેરતાં પહેલા-બીજા વ્રતના અસંગી-
સંગી કુલ ભાંગાની સંખ્યા આવે. આ કમે દરેક શ્રતના સંગી–અસગી કુલ ભાંગાઓની સંખ્યા ઉપજે. ઉદાહરણ રૂપે-પહેલા વ્રતના અસગી ભાંગ છ હોવાથી છના અંકને “ગુણ્યાંક” સમજવો તથા પહેલા ત્રત સાથે એક મૃષાવાદ વ્રત વધતું હોવાથી છમાં એકની વૃદ્ધિ કરતાં સાતને અંક “ ગુણક” જાણવો. એ બંનેને ગુણાકાર કરી મૃષાવાદના અસગી ભાંગા છ હોવાથી તેમાં છ ઉમેરવા, એમ પહેલા-બીજા વ્રતના ભાંગાની સંખ્યા ઉપજે. એ જ રીતિએ પહેલાં બે વ્રત સાથે ત્રીજાના ભાંગા કાઢવા હોય ત્યારે બે ત્રતેના કુલ સગી ભાંગાની સંખ્યાને સાતે ગુણ છ વધારવા. એમ આ ગણિત કેટલી વખત કરવું? તેનો જવાબ એ છે કે–જેમ પહેલા અને બીજા બે તેના ભાંગો માટે એક વાર કર્યું તેમ ત્રીજા વ્રત સાથેના સગી ભાંગા કાઢવા માટે ફરી એક વાર એટલે કુલ બે વાર, એમ ચોથા વ્રત સાથેના ભાંગા માટે એક વાર, પાંચમા વ્રત સાથેના ભાંગા કાઢવા માટે એક વાર, એમ યાવત્ બારમા વ્રત સાથેના સગી–અસગી ભાંગા કાઢવા હોય તે કુલ અગીઆર વખત આ ગણિત કરવું. અર્થાત્ “જેટલાં 9તેના અસગી-સગી ભાંગ કાઢવા હોય તેનાથી એક ન્યૂન વાર” સાતે ગુણ છ ઉમેરતા જવું. જેમ કે
પહેલા એક વ્રતના છ ભાંગાને સાતે ગુણતાં ૬૪૭=૪૨ થયા, તેમાં છ ઉમેરવાથી ૪૮ થયા, તે પહેલા અને બીજા વ્રતના એકસોગી (અસગી) ૧૨ અને ક્રિકસની ૩૬ મળી કુલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org