SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર–૨ શ્રાવકનાં વ્રતાના ભાંગા ] ૧૫૫ આ પાંચેય અણુવ્રતે એક જ પ્રકારનાં (મહાવ્રતની જેમ એક જ ભાંગાવાળાં) નથી, પણ દ્વિવિધ-ત્રિવિધથી જુદી જુદી રીતે થતા અનેક ભાગાઓ(ભેદ)વાળાં, તેમાંના કેઈ પણ ભેદથી સ્વીકારી શકાય તેવાં છે. બહુધા તે શ્રાવકને વ્રતમાં દ્વિવિધ, ત્રિવિધ વગેરે છ ભાંગા જ સંભવે છે, અર્થાત્ અહીં જણાવાતા છ ભાંગાએથી વ્રત ગ્રહણ કરવાં ઉચિત છે, એ ભાંગાઓ આ મુજબ થાય છે. સામાન્યથી શ્રાવકેના વ્રતધારી અને વ્રત વિનાના એમ બે પ્રકારે પડે છે, તથાપિ વિશેષથી તેઓના આઠ પ્રકારે છે. આવશ્યકસૂત્રમાં પણ કહ્યું છે કે “ साभिग्गहा य णिरभिग्गहा य आहेण सावया दुविहा । તે વિમળમાજ, અવિદા કુંત્તિ વેળ્યા ? ” (અનિ. ૨૧૭) ભાવાર્થ –“શ્રાવકે, ૧-અભિગ્રહવાળા એટલે આણંદ, કામદેવ વગેરેના જેવા વ્રતધારી અને ૨-અભિગ્રહ વિનાના એટલે કૃષ્ણવાસુદેવ, શ્રેણિક મહારાજા વગેરેના જેવા વ્રતરહિત; એમ મુખ્યતયા બે પ્રકારના કહ્યા છે. પુનઃ તેમાંના પહેલા અભિગ્રહવાળાના વિભાગે કરતાં સાત પ્રકારે થાય છે, તે અપેક્ષાએ સાત અભિગ્રહવાળા અને એક અભિગ્રહ વિનાના, એમ શ્રાવકેના કુલ આઠ ભેદ થાય છે. અભિગ્રહવાળાના ઉપર જણાવ્યા તે સાત ભેદે આ રીતિએ થાય છે–પાંચેય કે પાંચ પૈકી કઈ એક યા વધારે અણુવ્રતરૂપ શ્રાવકના મૂળગુણધર્મને નીચેના છ ભાંગે અંગીકાર કરનારાના છ પ્રકારે થાય છે. આઠ ભાંગાની ગાથાઓ નીચે પ્રમાણે છે સુવિનિવિદેશ પ્રમો, વિહંદુવિધેન વીગો શો. સુવિહેં વિહેણં, વિહં જેવા વિવિહે છે ?” " एगविहं दुविहेणं, एगेगविहेण छट्टओ होइ। ઉત્તર ગુન સામગો, વિલો વેવ ગમો | ૨ ” (ાવ નિર્યું. ૧૮-૮૨) ભાવાર્થ...“૧-દ્વિવિધ-ત્રિવિધ, ૨-દ્વિવિધ-દ્વિવિધ, ૩-દ્વિવિધ–એકવિધ, ૪-એકવિધત્રિવિધ, પ–એકવિધ-દ્વિવિધ અને –એકવિધ–એકવિધ,–એ છ ભાંગામાંથી શ્રાવક જે ભાગે વ્રત ઉચ્ચરે, તે ભાંગાવાળે તે કહેવાય. એમ છ ભેદ થયા. વળી ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્યતે–એ સાત વતે, કે જે ઉત્તરગુણ કહેવાય છે, તે ઉત્તરગુણધર્મ અંગીકાર કરનારા શ્રાવકને સાતમે પ્રકાર, એમ સાત પ્રકારે વિરતિધરના (અભિગ્રહવાળાના) થયા, તેમાં કઈ ભાગે એકેય વ્રત નહિ ઉચ્ચરનારા અવિરતિ (સમકિતદષ્ટિ) શ્રાવકને એક પ્રકાર મેળવતાં કુલ વિરતિધર અને અવિરતિધરના મળી આઠ ભેદ થયા.” અહીં કિવિધ-ત્રિવિધ વગેરે છ મૂળ ભાંગા કહ્યા તેનું સ્વરૂપ તેના ઉત્તરભેદે સહિત આ પ્રમાણે છે. (અહીં એ ધ્યાનમાં લેવું કે-કરવું, કરાવવું અને અનુમોદવું-એ ત્રણને ક્રિયારૂપ હોવાથી કરણ કહેવાય છે અને તેનાં (ચેજક ) સાધનભૂત મન, વચન અને કાયા–એ ત્રણને કહેવાય છે.) “પહેલે ભાંગેઢિવિધ–ત્રિવિધ છે. આમાં હિંસાદિ પાપને પિતે કરવાં અને બીજા પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy