SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨-ત્રતાદિ ઉચ્ચરવાને વિધિ ] ૧૫૩ “હે ભગવંત! હું આપની સાક્ષીએ “ખાત્ર ખણવું (ઘર વગેરે તેડી ચેરી કરવી) કે ધાડ પાડવી, વગેરે જે કરવાથી ચેરીનું કલંક લાગે અને રાજદંડ થાય, તેવી સજીવ, નિર્જીવ વગેરે વસ્તુઓની” મટી ચેરી કરવાને ત્યાગ કરૂં છું. તે હે ભગવંત! હું યાવત છવું ત્યાં સુધી, વગેરે પૂર્વે કહ્યા પ્રમાણે. (૩)” હે ભગવંત ! હું આપની સમક્ષ દારિક અને વૈકિય (શરીર સંબંધી) સ્થૂલ મૈથુનકર્મ(સ્ત્રી-પુરૂષકર્મ)ને યાવત્ જીવું ત્યાં સુધી તળું છું. તેમાં વૈકિય (દેવાદિ સંબંધી) મિથુનને મન-વચન-કાયાથી સેવું નહિ–સેવરાવું નહિ એમ વિવિધ-ત્રિવિધ ભાંગે, તિર્યંચ સંબંધી ઔદારિક મૈથુનને મન-વચન-કાયાથી સેવું નહિ એમ એકવિધ-ત્રિવિધ ભાંગે અને મનુષ્ય સંબધી દારિક મૈથુનને યથાશક્ય ભાંગે (મેં જેમ ધાર્યું છે તેમ) તજું છું (નહિ સેવવાને નિયમ કરું છું, નિંદું છું, હું છું, વગેરે પૂર્વની જેમ. (૪)” - “હે ભગવંત ! આપની સમક્ષ મારા અપરિમિત પરિગ્રહને (મૂર્છા–મમત્વને) ત્યાગ કરું છું અને ધન-ધાન્યાદિ નવ પદાર્થોમાં તે મૂર્છા–મમત્વનું પ્રમાણ કરૂં છું. (અમુક પ્રમાણથી વધારે કપે નહિ-એમ મર્યાદા બાંધું છું.) આજથી યાવત્ જીવું ત્યાં સુધી અમુક અમુક ભાંગે (મેં ધાર્યા પ્રમાણે) નિયમન કરૂં છું, વગેરે પૂર્વની પેઠે. (૫) “હે ભગવંત ! હું આપની પાસે ત્રણ ગુણવ્રતને અંગીકાર કરું છું. તેમાં છકૂ દિશિપરિમાણ વ્રતમાં ઉર્ધ્વ, અધે અને આઠ તિચ્છી, એમ દશેય દિશામાં અમુક હદથી વધારે જવા-આવવાને ત્યાગ કરૂં છું, સાતમા પગવિરમણ વ્રતમાં ભોજન વિષયમાં અનંતકાય, બહુબીજભક્ષણ અને રાત્રિભેજન વગેરેના ભેગને ત્યાગ કરૂં છું અને કર્મ વિષયમાં અંગારકર્મ વગેરે મહા કઠેર પાપકર્મરૂપ પંદર કર્માદાને તથા કેટવાલ, જેલર વગેરે રાજ્યની દૂર કરીને ત્યાગ કરૂં છું અને આઠમા અનર્થદંડવિરમણ વ્રતમાં “(આનં–રૌદ્ર) દુર્ગાન” વગેરે ચાર પ્રકારના અનર્થદંડને તજું છું. હે ભગવંત ! એ ત્રણેય વ્રતમાં મેં ધાર્યા પ્રમાણે હું જીવું ત્યાં સુધી યથાશક્તિ ત્યાગ કરૂં છું, વગેરે પૂર્વે જણાવ્યા પ્રમાણે. (૬-૭-૮)” “હે ભગવંત ! હું આપની સમક્ષ ૧-સામાયિક, ૨–દેસાવગાસિક, ૩-પૌષધોપવાસ અને ૪અતિથિ વિભાગ કરવારૂપ ચાર શિક્ષાવતે યાવત્ જીવું ત્યાં સુધી યથાશક્ય મારી ધારણા પ્રમાણે ગ્રહણ કરું છું, વગેરે બાકીને અર્થે પહેલાની જેમ. (૯-૧૦–૧૧–૧૨) ઈતિ.” એ પ્રકારે હું સમ્યક્ત્વમૂલ પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રતે-એમ બાર વ્રતરૂપ શ્રાવકધર્મને ગ્રહણ કરીને વિચરૂં (પાળું) છું.” એ પ્રમાણે મૂળ પચ્ચકખાણેને શબ્દાર્થ કહ્યો. એ મુજબ સમ્યકત્વ-વ્રતાદિ ગ્રહણ કરવાને વિધિ કહ્યો, હવે તે અણુવ્રતો-શિક્ષાત્રતા વગેરેનું સ્વરૂપ ક્રમશઃ વિસ્તારથી જણાવે છે. GSSS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy