________________
જણાય છે. ભાષાન્તર યુગ
વર્તમાન યુગ મલિક કૃતિઓના ભાષાન્તર યુગ તરીકે વધારેમાં વધારે પ્રસિદ્ધ થયેલ છે. સંસ્કૃત આદિ એક ભાષામાંથી ગુજરાતી આદિ બીજી ભાષામાં ગ્રંથને સાવંત ઉતારે, તેનું નામ ભાષાન્તર છે. અબત્ત, ” આવાં ભાષાન્તર કરવાની શરૂઆત ક્યારથી થઈ અને પહેલ વહેલું કેણે કયા ગ્રંથનું ભાષાન્તર કર્યું તથા ક્યી ક્યી ભાષાના ગ્રન્થો ક્યી ક્યી ભાષામાં ઉતરાયા, ગુજરાતી અને તેવી જ બીજી પ્રાંતીય ભાષાની કૃતીઓના ભાષાન્તરે સંસ્કૃત વિગેરેમાં થયાં છે કે નહિ, આ બધા પ્રશ્નો વિદ્વાનોએ વિચારવાના છે. મૂલ ભાષાના અભ્યાસી મનુષ્યને, તેમની જ ભાષામાં મૂલ કૃતિમાં સમાયેલે જ્ઞાનને ખજાને પ્રકટ કરી આપે,” એ ભાષાન્તરેની ઉપયોગીતા છે. સાહિત્યક્ષેત્રમાં ભાષાન્તરે પણ મલિક કૃતિઓ જેટલાં જ ગણનાપાત્ર છે, એ એક હકીકત છે. બેશક, તે મૂલ કતિઓની ખૂબીઓ કે ખામીઓ જેમ હોય તેમ તેના જ “ટેન, -આશય અને “ટેસ્ટઅભિરૂચીમાં રજુઆત કરનાર હોવાં જોઈએ. વ્યવહારમાં એક નકલ કરનારની જોખમદારી રહેલી છે. તે જે ગરબડ કે પ્રમાદ કરે, તે “આગલ ગાડીને બદલે “આગ લગાડી જેવો અનર્થ પણ મચાવી દે. ભાષાન્તરકારની જોખમદારી તેનાથી પણ ચઢીઆતી છે. સાચે જ તે ગ્રંથના હાર્દ સુધી પહોંચનાર વિચારશીલ વિદ્વાન હવે જોઈએ. ધર્મસંગ્રહનું ભાષાન્તર–
વાચકોના કરકમલમાં જે આ ગ્રંથ મૂકાય છે, તે છે ઉપર્યુક્ત શ્રી ધર્મસંગહન ભાષાન્તર. આ ભાષાન્તરમાં ગૃહસ્થના સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ રૂપ બે વિભાગોનું જ વિવેચન કરેલું છે અને તે મૂલ ગ્રંથને જે ટીકાભાગ છે તેનું ભાષાન્તર છે. મૂલ ગાથાઓ તે તેના અસલી સ્વરૂપમાં જ રજુ કરેલી છે. ભાષાન્તરકાર| મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી, કે જેઓ આચાર્ય શ્રીમદ વિજ્યમનેહર. સુરિજી મહારાજના શિષ્ય છે અને સંઘસ્થવિર, શાન્તસૂતિ આચાર્યદેવ શ્રીમદ વિજ્યસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રપ્રશિષ્ય છે, તથા સ્વર્ગસ્થ શાન્તમૂર્તિ આચાર્ય. દેવ શ્રીમદ્દ વિમેઘ સુરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય છે, તેમણે આ ભાષાન્તર કરેલું છે. આ ભાષાન્તર પાછળ તેમણે ત્રણ-ચાર વર્ષને અખંડ શ્રમ સેવેલે છે. ભાષાન્તરકાર તરીકેની ઉપર આલેખેલી જવાબદારી અદા કરવામાં તેઓ કેટલા સફલ થયા છે, તેને ન્યાય તે વાચક કરશે. અત્ર એટલું કહેવું પર્યાપ્ત છે કે–તેમને આ પરિશ્રમ જરૂરી હતું અને તે સાહિત્યની દુનિયામાં અતિ આવકારદાયક છે. પાઠકેને તે નિઃશંક ઉપકાર કરનારો છે આ પ્રાણવાન પરિશ્રમ તેઓ બીજા ભાગના પણ ભાષાન્તર માટે કરે, એવું જરૂર ઈચ્છીએ. સેનું અને સુગંધ
આપણે પૂર્વે જેઈ ગયા કે આ શ્રી ધર્મસંગ્રહ સટિકનું નિર્માણ સુશ્રાવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org