SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીધર્મસંગ્રહને સવિસ્તર ગુર્જરનુવાદ ભા. ૧ લોવિભાગ ૨ જે પ્રકરણ ૨ જુ-શ્રાવકનાં વન અધિકાર બાવીસમી ગાથામાં ગ્રન્થકારે ધર્મનું ગ્રહણ “વિધિપૂર્વક કરવું જોઈએ—એમ નક્કી કર્યું અને વીસમી ગાથામાં “ પં ચ પ્રવર્તતે ' શબ્દોથી આ ધર્મના સંગ્રહ ( સ્વીકાર) માટે “પ્રવૃત્તિ કરવી” એમ કહ્યું, માટે હવે નીચેની ગાથાથી ધર્મ ગ્રહણ કરવાને વિધિ જણાવે છે. મૂઠ-ચો–વન–નિમિત્તાવિશુદ્ધયઃ યોનિ વિધિ-રધુવ્રતમુવક ૨૩ ” મૂલને અર્થ-“ગશુદ્ધિ, વન્દનશુદ્ધિ, નિમિત્તશુદ્ધિ, દિશાશુદ્ધિ, આચારશુદ્ધિ-એ પાંચેયનો વેગ મેળવ અને દેવ-ગુરૂ-સાધર્મિક-દીન–અનાથ વગેરેની યથાયોગ્ય પરિચર્યા કરવી, વગેરે અણુવ્રતાદિને ગ્રહણ કરવાની વિધિ છે.” ટીકાને ભાવાર્થ-મૂળ ગાથામાં કહે “વિશુ' શબ્દ દ્વન્દ્રસમાસની અને હાવાથી દરેકની સાથે સંબંધવાળે છે, તેથી મેંગશુદ્ધિ, વન્દનશુદ્ધિ, નિમિત્તશુદ્ધિ, દિશાશુદ્ધિ અને આગારશુદ્ધિ એમ અર્થ સમજ. તેમાં– ૧. ચોગશુદ્ધિ-ચોગે એટલે મન, વચન અને કાયા, તેની શુદ્ધ પ્રવૃત્તિને વેગશુદ્ધિ કહેવાય, મનથી વ્રતાદિને ગ્રહણ કરતી વેળાએ તે વિષયમાં ઉપગવાળા-એકાગ્ર ચિત્તવાળા બનવું–શુભ (ભાવનું) ચિંતવન કરવું, વચનથી કષાયાદિયુક્ત સાવદ્ય ન બેસવું અને કાયયેગથી તે તે ક્રિયા કરતાં ઉપગપૂર્વક આગળ (અવગ્રહમાં) જવું આવવું, ઈત્યાદિ કાયિક પ્રવૃત્તિ જયણાપૂર્વક કરવી. ૨. વન્દનશુદ્ધિ-પ્રણિપાતસૂત્ર, દંકસૂત્રે વગેરે અસ્મલિત–શુદ્ધ ઉચ્ચારથી બોલવાં અને શાન્ત ચિત્તે ઉપગપૂર્વક સ્થિરતાથી કાઉસગ્ગ કરવા, વગેરે (દેવ) વંદનશુદ્ધિ સમજવી. ૩. નિમિત્તશુદ્ધિ-ત્રતાદિ ગ્રહણ કરવાના અવસરે શંખ, ભેરી વગેરે માંગલિક વાજીના (કે ઉત્તમ પુરુષના સંમતિદર્શક કે આશિર્વાદરૂપ) શબ્દોનું શ્રવણ થવું, જળથી પૂર્ણ ભલે કુંભ, ઝારી વગેરે જળપાત્ર, છત્ર, ધ્વજા તથા ચામરાદિનું દર્શન થવું (નજરે પડવું), શુદ્ધ પવનદ્વારા કેઈ સુગંધી પદાર્થની ગંધ આવવી; વગેરે અનેક પ્રકારનાં ઉત્તમ-માંગલિક નિમિત્તો પૈકી કઈ એક યા વધુ(શકુનો)નો રોગ થવે, ઈત્યાદિ નિમિત્તશુદ્ધિ જાણવી. ૧. ખમાસમણને પ્રણિપાતસૂત્ર, નમેલ્થ છું, અરિહંતચેઈઆણં, લેગસ્ટ, પુખરવરદી અને સિદ્ધાણું બુદ્ધાણું-એ પાંચને દંડકસૂત્રો અને જાવંતિ ચેઈઆઈ, જાવંત કે વિ સાહૂ તથા જય વિયરાય-એ ત્રણને પ્રણિધાનસૂત્રો કહ્યાં છે. (ત્યવંદનભાષ્ય) ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy