________________
[ ધ સંo ભા૧-વિ. ૨-ગા. ૨૨ એ પ્રમાણે પ્રયત્નશીલ રહેવાથી વ્રત વગેરે ગ્રહણ કરતી વેળાએ તેવા પરિણામ ન હોય તે પણ પાછળથી પ્રગટ થાય છે અને તે કાળે પરિણામ પ્રગટેલા હોય તે પણ કદાપિ અવરાઈ (ઢંકાઈ જતા નથી (વધુ નિર્મળ-દઢ થાય છે), માટે એ રીતે બુદ્ધિમાને સમ્યકત્વ-વ્રતાદિ ગ્રહણ કરવામાં પ્રમાદ નહિ કરે. (ગા. ૩૮)
એ મુજબ ચાર ગાથાથી પૂ૦ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ, પરિણામોન પ્રગટ્યા હોય તે પણ સમ્યકત્વ-વ્રતાદિ ગ્રહણ કરવાનું જણાવ્યું છે. આથી સમજાશે કે–સમકિતી આત્મા વિરતિના પરિણામ ન હોય તે પણ, વિરતિના અભ્યાસથી અવિરતિનો પરાજય કરી વિજયી બને છે. વાસ્તવિક રીતિએ સઘળી ક્રિયામાં અભ્યાસથી જ કુશળતા પ્રગટે છે, કે જે સર્વ જીવેને અનુભવથી પણ સિદ્ધ છે. લખવું, ભણવું, ગાવું, નાચવું વગેરે સઘળી વૈજ્ઞાનિક કળાઓમાં પણ અભ્યાસે અભ્યાસે પ્રવીણ થવાય છે. કહ્યું પણ છે કે
“વ્યસેન શિયાઃ સર્વા, અભ્યાસ મહા વેરાના
અભ્યાસક્ થાનનાદ્ધિ, વિક્રમભ્યાસ કુકર છે ? ” ભાવાર્થ-“સઘળાં કાર્યો અભ્યાસથી ( સારાં) થાય છે, સઘળી કળાઓમાં અભ્યાસથી કુશલ બની શકાય છે અને ધ્યાન કે મૌન વગેરે કઠીન વિષયે પણ અભ્યાસથી (સહેલાં–સુસાધ્ય) બને છે. અભ્યાસથી શું દુષ્કર છે ? અર્થાત અભ્યાસથી દરેક કાર્યોને સિદ્ધ કરી શકાય છે.”
એટલું જ નહિ, પણ વિરતિના અભ્યાસથી તે રૂઢ થયેલા તે તે કિયાના સંસ્કારે પરલેકમાં પણ આત્માની સાથે જાય છે અને તેથી ત્યાં પણ તે તે વિરતિનાં કાર્યો સહજ માત્ર નિમિત્ત મળતાં આત્માને ગમી જાય છે. કહ્યું છે કે
"जं अब्भसेइ जीवो, गुणं च दोसं च एत्थ जम्ममि ।
तं पावइ परलोए, तेण य अन्भासजोगेणं ॥१॥" ભાવાર્થ “જીવ આ જન્મમાં ગુણને કે દેષને જે જેવો અભ્યાસ કરે છે, તે તેવા અભ્યાસના વેગે પરલેકમાં તેવા તેવા ગુણોને કે દેને પ્રાપ્ત કરે છે.”
એ રીતિએ વિરતિના અભ્યાસથી તેના પરિણામે પ્રગટે છે, હેય તે તે દઢ થાય છે, તેનાથી શ્રાવકનાં બાર વ્રતરૂપ ઉત્તમ ધર્મ પ્રાપ્ત થાય છે, પરિણામે દેશવિરતિના સુંદર અભ્યાસના બળે સર્વવિરતિગુણ પણ પ્રગટ થાય છે અને આખરે તેનું મહાન ફળ (મોક્ષ) પણ મળે છે, માટે ક્રિયાના અભ્યાસમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ.
વ્રતાદિ સિવાયના પણ બીજા કેઈ નિયમે, જે તે સમકિત સહિત બારેય વ્રતે કે તેમાંના કોઈ પણ એકાદિ વ્રત સાથે પાલન કરાતા હોય, તે જ દેશવિરતિ આદિને પ્રગટ કરી શકે છે, અન્યથા ઊલટા પાસત્કાદિપણાને પ્રગટ કરે છે. ઉપદેશરત્નાકરમાં પૂ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે સમ્યકત્વ કે અણુવ્રતરૂપ શ્રાવકધર્મની અપેક્ષા રાખ્યા વિના કેવળ નવકાર ગણવા કે જિનપૂજા–વન્દન કરવું' વગેરે અભિગ્રહવાળે શ્રાવક ભાવશ્રાવક નહિ પણ શ્રાવકાભાસરૂપ છે, વસ્તુતઃ તેને શ્રાદ્ધધર્મ પરિણમ્યું નથી પણ શ્રાદ્ધધમની પાસે (રહેલો એટલે દૂર દૂર) ભમતે તે (અશ્રાવકરૂપ) છે. એ પ્રમાણે મૂળ બાવીસમી ગાથાનું વિવેચન પૂર્ણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org