________________
૫૦ ૧-સમકિતીને કરવાને વિરતિનો અભ્યાસ ]
૧૪ ધર્મ–આરાધનાનો અભ્યાસ કરવો જોઈએ. શ્રાદ્ધવિધિની ટીકામાં પૂ. શ્રીરત્નશેખરસૂરિજી મહારાજ કહે છે કે આત્માથી શ્રાવકે સર્વથી પહેલાં મિથ્યાત્વનાં કાર્યો તજવાં તે પછી પ્રતિદિન જિન પૂજા-દર્શન વગેરે શક્તિ અનુસાર ત્રણ વાર, બે વાર કે એક વખત પણ કરવું અને (આઠ થઈથી) સપૂર્ણ દેવવંદન અથવા મધ્યમ ચૈત્યવન્દન કરવું; ગુરૂનો ચેગ હોય ત્યારે ત્રણ વખત, બે વખત કે ઓછામાં ઓછું એક વખત પણ ગુરુને મોટું અથવા નાનું (દ્વાદશાવર્ત કે સ્તંભ) વન્દન કરવું અને ગુરુનો પેગ ન હોય તે પણ ગુરુના નામનો ઉચ્ચાર કરવાપૂર્વક દરરેજ ભાવવન્દન કરવું આષાઢ માસમાં દરરોજ તથા રોષકાળે પાંચ પર્વતિથિએ, તેટલું ન બને તે ચોમાસામાં પાંચ પર્વતિથિએ, પિતાની સંપત્તિ પ્રમાણે શ્રીજિનપ્રતિમાની સ્થિરતાપૂર્વક ઉત્તમ દ્રવ્યોથી અષ્ટપ્રકારી પૂજા કરવી; જાવજજીવ સુધી પ્રતિવર્ષે નવું અન્ન, પકવાન, કે કેરી વગેરે ઉત્તમ ફળે, ઈત્યાદિ પૂજામાં પ્રભુને ભેટ કર્યા પહેલાં પોતે ન વાપરવાં; દરરોજ સંપત્તિ પ્રમાણે નેવેવ, સેપારી વગેરેથી પ્રભુની નૈવેદ્યપૂજા તથા ફળપૂજા કરવી, દરજ ન બને તે ત્રણેય માસી પર્વોમાં અને દીવાળી વગેરે વાર્ષિક પર્વોમાં પ્રભુની આગળ અષ્ટમંગલની પૂજા (સ્વશક્તિ અનુસાર ઉત્તમ દ્રવ્યોથી) કરવી; અર્થાત્ મેતી, અક્ષત વગેરેથી અષ્ટમંગલની પ્રભુ સામે રચના કરવી; દરરોજ, ન બને તે પર્વતિથિએ, કે વર્ષમાં અમુક દિવસમાં ખાદિમ-સ્વાદિમ પદાર્થોમાં પણ ઉત્તમ ફળ-મે વગેરે સર્વ વસ્તુઓ. તેનું દેવ-ગુરુને દાન કરીને પછી જ વાપરવી, દર મહિને અથવા દર વર્ષે મહાધ્વજ ચઢાવવાપૂર્વક સાધમીઓને ભેગા કરીને મહાસ્નાત્ર ભણાવવું, મોટી પૂજા ભણાવવી અને રાત્રિજાગરણ વગેરે દેવ-ગુરુભક્તિનાં કાર્યો કરવાં, વર્ષાઋતુ વગેરે કાળમાં દરરોજ, કે અમુક દિવસોમાં શ્રીજિનમંદિર, ધર્મશાળા (પૌષધશાળા) વગેરેનું પ્રમાર્જન કરવું, અર્થાત તેને જીવની રક્ષા થાય તેમ શુદ્ધ કરવાં, (શક્તિના અભાવે બીજાની સહાય મેળવીને કરવાં કે કરાવવાં) તેમ જ શ્રીજિનમંદિરની ભીતે, દીવાનાં સાધનો, હાંડીઓ, તકતા, ગુમર, ત્રિગડાં, પાટલા, ભંડાર વગેરે ઉપકરણે, વાસણ, પૂજાનાં સાધનો ઈત્યાદિ સઘળી વસ્તુઓ સાફ કરવી-કરાવવી, દર મહિને ન બને તે પ્રતિવર્ષે શ્રીજિનમંદિરમાં ધૂપ કરે, દીવા માટે રૂની પુણીઓ અને તાજું ઉત્તમ ઘી આપવું તથા સુખડ વગેરે પૂજાની સામગ્રી પણ સ્વશક્તિ અનુસાર આપવી; પૌષધશાળામાં પણ મુહપત્તિ, નવારવાળી, ઠંડાસણ, ચરવળા વગેરે માટે કેટલુંક સુતરાઉ કાપડ, કામળી કે ઊન વગેરે (આપવું) મૂકવું વર્ષોમાસામાં શ્રાવકો વગેરેને બેસવા માટે કેટલાક પાટ-પાટલા વગેરે કરાવવું પ્રતિવર્ષે શક્તિ ન હોય તે ઓછામાં ઓછી સુતર (ની આંટી) કે મુહપત્તિ વગેરેથી પણ શ્રીસંઘની પૂજા કરવી; વિશેષ ન બને તે અમુક સાધમી એનું પણ વાત્સલ્ય કરવું; દરરોજ અમુક (શ્રીનવપદજીના પનો, કર્મક્ષય નિમિત્તિને કે બીજે યથારુચિ) કાઉસગ્ન કર, ઓછામાં ઓછા ત્રણ સે કે તેથી વધુ અમુક સ્વાધ્યાય કર, અર્થાત ગાથા વગેરે ગણવું-ચિતવવું, દરરોજ દિવસે ઓછામાં ઓછું “નમુક્કાર-સહિ” વગેરે અને સાંજે “દિવસચરિમે ચઉવિહારાદિનું પચ્ચકખાણ કરવું, બે વખત ન બને તે એક વખત પણ પ્રતિક્રમણ (સામાયિક) વગેરે અવશ્ય કરવું ઉપર જણાવ્યા મુજબ સ્વશક્તિ પ્રમાણે કરવાનો નિયમ કરી તેનું યથાર્થ પાલન કરવું. એ વગેરે વિરતિનો અભ્યાસ કરે.
પદ્મ-આ રીતિએ અવિરતિ સમકિતદષ્ટિ ગુણસ્થાનકે વિરતિના પરિણામ વિના પણ પશુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org