SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ " दीपो यथा निर्वृतिमभ्युपेतो, नैवावनीं गच्छति नान्तरिक्षम् । दिशं न काश्चिद्विदिशं न काञ्चित्, स्नेहक्षयात् केवलमेति शान्तिम् ॥ १ ॥ " ભાવાર્થ-“ જેમ તેલ ખૂટવાથી બૂઝાઈ ગયેલા દીવા પાતાળમાં, આકાશમાં, કઈ દિશામાં કે વિદિશામાં; કયાંય જતા નથી—માત્ર શાન્ત થઈ જાય છે, તેમ જીવનું નિર્વાણુ થવાથી જીવ પણુ ખૂઝાઈ ગયેલા દીવાની જેમ શાન્તિને પામે છે. ” ૧૦ સ૰ ભા૦ ૧-વિ૦ –ગા. ૨૨ આ તેમનું મન્તન્ય અસત્ય છે, કારણ કે—એમ માનવાથી દીક્ષા વગેરે કાર્યાં, કે જે આત્માના સુખને ઉદ્દેશીને કરણીય જણાવ્યાં છે તે બ્ય ઠરે છે. દીવાનું આ દેષ્ટાન્ત પણ જીવના મેાક્ષની સાથે ઘટતું નથી. આ વિષયમાં ખીજા ગ્રંથેામાં વિસ્તાર છે તે ત્યાંથી જાણી લેવા. ૬. મેાક્ષના ઉપાય છેખ-સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ સાધના હાવાથી મેાક્ષના ઉપાયો છે જ. આથી જેઓ કહે છે કે–મેાક્ષના ઉપાયા જ નથી, તેઓ અસત્યવાદી ઠરે છે. સમકિતનાં આ છ સ્થાનકાને સારી રીતિએ સમજવાં જરૂરી છે, કારણ કે—એ છ પ્રકારની માન્યતા જેનામાં શુદ્ધ હેાય તેનામાં જ સમ્યક્ત્વ રહે છે અને તેથી જ એ છને સમ્યક્ત્વનાં સ્થાનકા કહ્યાં છે. ઉત્તર—–જેમ દીવામાંથી કાળી મસી (મેંસ) નીકળે છે, પણ તેના પરમાણુએ ઝીણા હેાવાથી પવનથી ખેંચાઈ ગયા પછી દેખાતા નથી, તેમ આ પુદ્ગલા પણ સૂક્ષ્મ-અતિસૂક્ષ્મ પરિણામી હાવાથી દેખાતા નથી, એટલા માત્રથી તેને અભાવ જ છે એમ માનવું યાગ્ય નથી. જેમ શાન્ત થયેલા દીવે! તેજને છેડી અધકારરૂપ રૂપાન્તરને પામે છે, તેમ આત્મા પણ કમરૂપી તેલના ક્ષય થવાથી શાન્ત થાય છે; અર્થાત્ સર્વથા નાશ પામતે નથી પણ પોતાની અરૂપી અવસ્થાને પામે છે. વસ્તુતઃ દુઃખાદિના ક્ષયરૂપ આત્માની કમમુક્ત-સદ્-અક્ષય—નિત્યઅરૂપી અવસ્થા તે જ મેાક્ષ છે. જેમ રાગ શમવાથી આરેાગ્ય પ્રગટે છે, રાગી નાશ પામતા નથી, બધને છૂટી જવાથી કેંદી મુક્ત થાય છે, તેને અભાવ થતા નથી; તેમ આત્માને પણ તેના રાગ-દ્વેષ–મદ–માહ વગેરે રાગે ના નાશ થવાથી આરોગ્ય પ્રગટે છે અને કર્મોનાં બંધના છૂટી જવાથી તે મુક્ત થાય છે, પણ પોતે (આત્મા) નાશ પામતા નથી. આવી આત્માની સમ્પૂર્ણ આરેાગ્યવાળી મુક્તાવસ્થા તે જ મેાક્ષ કહેવાય છે. ૨૫. મિથ્યાત્વ, અજ્ઞાન અને હિંસાદિપ અવિરતિ; વગેરે કર્મોનાં બંધનનાં મૂલભૂત કારણા છે. અને તેના પ્રતિપક્ષરૂપે સમ્યગ્દર્શન–નાન—ચારિત્ર, કમ મુક્તિનાં કારણેા છે, તેનો અભ્યાસ (સેવન) સકલ કૌને નાશ કરી શકે છે. જેમ ઠંડીના પ્રતિપક્ષી અગ્નિ છે માટે ઠંડીના પ્રતિકાર અગ્નિથી થાય છે, તેમ મિથ્યાત્વનું પ્રતિપક્ષી, સમ્યગ્દર્શન, અજ્ઞાનનું પ્રતિપક્ષી સભ્યજ્ઞાન અને હિંસાદિ સકલ અસત્ પ્રવૃત્તિનું પ્રતિપક્ષી સમ્યક્ચારિત્ર છે, જેમ જેમ એ સમ્યગ્ર'ન–જ્ઞાન–ચારિત્ર( રૂપ સાધના )ના અભ્યાસ વધે, તેમ તેમ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ટળતાં ટળતાં તેને મૂળમાંથી પણ નાશ થાય, તેના અભાવે કમ્બધ પણ અટકે અને પરિણામે મેાક્ષ પણ થાય; માટે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર મેાક્ષના ઉપાયા છે જ. જો –શ્રદ્દા, જ્ઞાન અને ચારિત્ર અન્ય ધર્મને પાળનારાઓમાં પણ હોય છે, છતાં તે અસત્ અને હિંસાદિ દોષવાળાં હોવાથી મેાક્ષસાધક બનતાં નથી, વગેરે વિશેષ વિસ્તાર ગુરુગમથી સમજવા. અહીં જે સમ્યગ્દર્શનાદિ ત્રણને મેાક્ષના ઉપાયા કથા છે, તે પણ ત્રણેય ભેગાં મળીને મેાક્ષની સિદ્ધિ કરી શકે છે. એકલું દર્શન, જ્ઞાન કે ચારિત્ર કાંઈ કરી શકતું નથી. એ ત્રણમાં શ્રદ્ધા પ્રાણરૂપ છે, જ્ઞાન નેત્રરૂપ છે અને ચારિત્ર હાથ-પગ વગેરે અવયવારૂપ છે. જેમ અખડ નેત્રા કે અવયવાવાળું પણ મૃતક, જીવતા છતાં અંધ કે અવયવા વિનાના, તથા દેખતા છતાં હાથ-પગ વગેરે વિના મનુષ્ય; સ્વતઃ સાંઈ કરી શકતા નથી, તેમ એકલાં દર્શન-જ્ઞાનચારિત્ર પણ સ્વતંત્રપણે આત્માને મેક્ષ કરી શકતાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy