________________
પ્ર. ૧-સમ્યવના ૬૭ પ્રકારે ]
૧૨૯ ૪. આધાર–જેમ જગત્ પૃથ્વી વિના નિરાધાર રહી શકે નહિ, તેમ ધર્મરૂપ જગતું પણ સમકિત વિના નિરાધાર રહી શકે નહિ, માટે “સમક્તિ એ ધર્મજગતને આધાર’ છે.
પ. ભાજન-જેમ પાત્ર વિના દૂધ, ઘી વગેરે રસ નાશ પામે, તેમ સમકિતરૂપ ભાજન વિના ધર્મરસ પણ નાશ પામે, ચાખી પણ શકાય નહિ, માટે “સમકિત એ ધર્મરસનું ભાજન” છે.
૬. નિધિ-ભંડાર. જેમ મહામૂલ્યવાન મણિ, મેતી, સુવર્ણ વગેરે ચીને તિજોરી કે ભંડાર વિના મળે નહિ, (કે સુરક્ષિત રહી શકે નહિ–રાઈ જાય,) તેમ સમક્તિરૂપી ભંડાર વિના ચારિત્રરત્ન પ્રાપ્ત થાય નહિ, (કે સુરક્ષિત રહે નહિ, મેહના લુંટારૂઓ લુંટી જ જાય,) માટે “સમકિત એ ધર્મરૂપ (જ્ઞાનાદિ) રને ભંડાર” છે.
આ છ પ્રકારે સમતિને ભાવવાથી-વિચારવાથી આત્માનું વહેલામાં વહેલું મોક્ષસાધન બને છે, માટે આને સમકિતની ભાવનાએ કહી છે. છ સ્થાને–
" अस्थि अ निचो कुणई, कयं च वेएई अत्थि निव्वाण ।
ત્યિક પુરવવા, છ સાત ટાળrRા ?(૪૦ તારે, ૨૪૨ ) ભાવાર્થી—“૧. આત્મા છે, ૨. તે નિત્ય છે, ૩. કર્તા છે, ૪. ભક્તા છે, ૫. તેને મોક્ષ થઈ શકે છે અને ૬. મોક્ષના ઉપાએ પણ છે –એમ માનવું તે સમ્યક્ત્વનાં છ સ્થાને છે. તેમાં–
૧. આત્મા છે”—નાસ્તિકે આત્માનું અસ્તિત્વ માનતા નથી તે આ માન્યતાથી અસત્ય ઠરે છે, આત્મા સતરૂપે છે જ.
૨૦. જીવને સ્મરણ, ઈછા વગેરે થાય છે તે ચેતના(જ્ઞાન)રૂપ છે અને સર્વને અનુભવસિદ્ધ છે. એ નિયમ છે કે-ગુણ ગુણ વિના રહી શકતા નથી, આથી જો ઉપર કહ્યા પ્રમાણે સ્મૃતિ આદિથી ચેતનાગુણ સિદ્ધ છે, તે તેના આધારભૂત “ગુણી એ જ આત્મા” પણ સિદ્ધ જ છે. ગુણ કદી પણ ગુણી વિના હતા નથી, ગુણી નહિ તે ગુણે કોના ? માટે ગુણોને આધાર આત્મા છે તે સ્પષ્ટ છે.
પ્રશ્ન–ચત ગુણને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ;-એ પાંચ ભૂતનો ધર્મ માનીએ તે શું હરકત છે ? એથી આત્માને જ માનવાની જરૂર નહિ રહે !
ઉત્તર-ધર્મ ધમથી કદી જુદો રહે નહિ, ધર્મીમાં જ તે હંમેશાં હું જ જોઈએ. જેમ પૃથ્વી, પાણી, અગ્નિ વગેરેમાં કઠીનતા, શીતળતા, ઉષ્ણતા વગેરે ધર્મો પ્રગટ દેખાય છે, તેમ ચિતન્ય પણ પૃથ્વી વગેરે ભૂતને ધર્મ હોય તો તે પણ તેમાં પ્રત્યક્ષ દેખા જોઈએ, પણ તેમ તે છે નહિ; પત્થર કે મડદાં વગેરે ભૌતિક પદાર્થો તે સાવ જડ હોય છે, તે ચૈતન્યને પૃથ્વી વગેરે ભૂતને ધર્મ કેમ મનાય છે માટે ચેતન્યના આધારભૂત આત્મા પાંચ ભૂતાથી ભિન્ન દ્રવ્ય છે.
પ્રશ્ન-વૈતન્યને પૃથ્વી આદિના ધર્મરૂપે નહિ, પણ તેના કાર્યરૂપે માનીએ તે કેમ?
ઉત્તર-એ પણ ઘટતું નથી, કારણ કે-હંમેશાં કાર્ય કારણને અનુરૂપ બને, સર્વથા વિલક્ષણ બને નહિ. પૃથ્વી વગેરે ભૂત પ્રત્યક્ષ રીતિએ કઠીનતા વગેરે લક્ષણવાળાં છે, જ્યારે ચિતન્ય તેનાથી તદ્દન વિલક્ષણ છે; એટલું જ નહિ, પૃથ્વી વગેરે ભૂતોને રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે કઈ સ્વભાવ ચેતન્યમાં નથી, તે પૃથ્વી વગેરે કારશેનું ચેતન્યરૂપ કાર્ય છે એમ કેમ મનાય? છતાં ધારે કે-ક્ષણ વાર એમ માની લઈ એ તે પણ જગતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org