SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા. ૨૨ કાન્તારવૃત્તિ કહી છે, અર્થાત્ તે પ્રાણુને સંકટપ્રસંગ, અને ૬. ગુરુનિગ્રહ-નીચે જણાવાતા ગુરુવર્ગ પિકી કેઈને પણ તે આગ્રહ કહ્યું છે કે “માતા પિતા વાચાર્ય, તેવાં જ્ઞાતચસ્તથા આ વૃદ્ધા ધવદા, કુવા મત ? ” (વિવું, ગો૨૦) ભાવાર્થ–માતા, પિતા વિદ્યાગુરુ તે દરેકના સંબંધીઓ, વૃદ્ધપુરૂષ અને ધર્મોપદેશકે–એ દરેક ગુરુઓ છે, એમ સત્પરૂષે કહે છે.”( આમાંના કેઈને આગ્રહ તેને “ગુરુ નિગ્રહ” જાણ.) શ્રીજિનશાસનમાં ઉપર જણાવી તે છ છીંડીઓ એટલે અપવાદ માગે છે. ટૂંકમાં સમકિતી આત્માને ઉત્સગ માગે પરધમી વગેરેને (ઉપર જયણામાં કહ્યાં તે) વન્દનાદિ કરવાનો નિષેધ છે, છતાં રાજાભિયેગાદિ આ છે કારણએ “અંતરમાં ગૌરવ, ભક્તિ કે આરાધનાની બુદ્ધિ આદિ વિના” કેવળ દ્રવ્યથી (બહાર દેખાવરૂપે) વન્દન વગેરે કરવું પડે તે સમકિતમાં દોષ ગણ્ય નથી.' છ ભાવના " मूलं दारं पइट्ठाण, आहारों भायणं निहीं। __ दुछक्कस्सावि धम्मस्स, सम्मत्तं परिकित्तियं ॥१॥" (प्र० सारो०, ९४०) ભાવાર્થ—“જિ” એટલે (પાંચ અણુવ્રત, ત્રણ ગુણવતે અને ચાર શિક્ષાવતે એ) બાર વતીરૂપ શ્રાવકધર્મનાં “મૂલ, દ્વાર, પીઠિકા, આધાર, ભાજન અને નિધિ રૂપ સમ્યક્ત્વ છેએમ શ્રીજિનેશ્વરદેએ કહ્યું છે. તે આ પ્રમાણે ૧. મૂલ-(જેમ દઢ મૂલમાંથી ઉગીને વૃક્ષ ફળ આપે છે, તેમ મૂળરૂપ સમકિત જ્યાં દઢ હોય ત્યાં ચારિત્રધર્મરૂપી વૃક્ષ ઉગીને પરિણામે મેરૂપ ફળ આપે છે.) જેમ મૂલ વિના વૃક્ષ ટકતું નથી, તેમ સમકિત વિના કુતીથિકના મતરૂપી પવનથી લાયમાન થતું ધર્મવૃક્ષ પણ ટકતું નથી. માટે “સમકિત એ ધર્મવૃક્ષનું મૂળ છે. ૨. દ્વાર-દરવાજે. જેમ નગર સુંદર હોય અને ચારેય બાજુ કિલ્લે મજબૂત હોય, પણ દરવાજે ન હોય તે નગરમાં જવા-આવવાનું કે નગરને જાણવા-જવાનું કાર્ય થઈ શકતું નથી, તેમ ધર્મરૂપ નગરમાં પણ સમ્યક્ત્વ વિના પ્રવેશ થઈ શકતું નથી, તેમ ધર્મનું સત્ય સ્વરૂપ પણ જાણું શકાતું નથી, આથી ધમનગરનું સ્વરૂપ જાણવા માટે “સમકિત એ પ્રવેશદ્વાર છે. ૩. પીઠિકા-પાય. જેમ જમીનમાં પાયે ખેદી, તેને મજબૂતાઈથી પૂરી તેના ઉપર બાંધેલ મહેલ સ્થિર રહે, તે સિવાય કે નહિ; તેમ સમકિતરૂપી પાયા વિના ધર્મરૂપી મહેલ નિશ્ચલસ્થિર બને નહિ–સૂટી જાય, માટે “સમકિત એ ધર્મરૂપી મહેલને મજબૂત પાયે” છે. ૧૯. શક્તિવંત આત્માએ રાજદિના બલાત્કારમાં પણ શ્રીસિદ્ધસેનદિવાકરછ કે શ્રી કુમારપાળ મહારાજા આદિની જેમ વન્દનાદિ નહિ કરતાં, પિતાની શક્તિને ઉપયોગ કરી તેવા અવસરે જૈનશાસનની પ્રભાવના કરવી અને અશકત આત્માઓએ શાસનની અપભ્રાજના ન થાય તે હેતુથી અપવાદ સેવ તે હિતાવહ છે. સામાન્ય-અ૫. સત્ત્વવાળા આત્માને માટે જ્ઞાનીઓએ આ માર્ગો રાખ્યા છે. જે અજ્ઞાનથી તેવા પ્રસંગે વંદનાદિ ન કરે તે ધર્મની અપભ્રાજના કરવાથી જ્ઞાનીના વચનને વિરાધક થાય છે. જ્ઞાનીઓએ કહેલા વિધિનિષેધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પપ સાપેક્ષ હોઈ તેને વિવેક કરણીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy