SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર• ૧-સમ્યકત્વના ૬૭ પ્રકારે ] ૧૨૭ તેઓને વન્દન વગેરે કરવાથી તેઓના ભક્તો પિતાના (મિયા) માર્ગમાં સ્થિર બને અને બીજા જૈનો પણ સમકિતીની તેવી પ્રવૃત્તિ દેખીને તેમ કરતા થઈ જાય, વગેરે મિથ્યાત્વને પ્રવાહ વધે, માટે આ છ જયણ સમકિતવંતે સાચવવી. તેમાં મસ્તક નમાવવું (કે હાથ જોડવા) તે ૧વંદન, સ્તુતિ-ગુણગાન કરવાપૂર્વક પંચાંગાદિ પ્રણામ કરે તે ૨-નમન. (સન્માનની બુદ્ધિએ) તેમણે બોલાવ્યા સિવાય જ કેઈ વખત તેમની સાથે બોલવું તે ૩–આલાપ. (બોલાવ્યા પછી જવાબ આપે તે ઔચિત્ય છે.) તેમની સાથે વારંવાર એ પ્રમાણે વાર્તાલાપ કરે તે ૪સંલાપ. આ આલાપ-સંલાપ કરવાથી પરિચય વધતાં, તેમની દરેક ક્રિયાને જેવાના, સાંભળવાના વગેરે પ્રસંગો બને અને આખરે સમકિત ચાલ્યું જવાને પ્રસંગ પણ આવે. ઉપર જણાવેલા તે અન્યધમી વગેરેને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર વગેરે પૂજ્યબુદ્ધિથી આપવું તે – દાન. અનુકંપાબુદ્ધિએ તે આપવાનો નિષેધ નથી. કહ્યું છે કે " सव्वेहि पि जिणेहिं, दुज्जयजिअरागदोसमोहेहिं । सत्ताणुकंपणट्ठा, दाणं न कहिं वि पडिसिद्धं ॥१॥" ભાવાર્થ-“ દુજેય એવા રાગ, દ્વેષ અને મેહને જેઓએ જીત્યા છે, તે સઘળા વિતરાગ જિનેશ્વરેએ પણ કોઈ અનુકંપાના પાત્રને અનુકંપાબુદ્ધિથી દાન આપવાનો નિષેધ કર્યો નથી.” (માટે અહીં પૂજ્યબુદ્ધિથી આપવાને નિષેધ સમજ.) તે પરદશની વગેરેની, તેમના દેવ વગેરેની મૂર્તિની, કે તેમણે કબજે કરેલા જિનબિઓ કે મંદિરાની, પણ પૂજા-ભક્તિ નિમિત્તે કેસર, ચંદન, પુષ્પ વગેરે પૂજાની સામગ્રી વગેરે આપવું તે ૬-પ્રદાન. અહીં વગેરે શબ્દથી તેઓને વિનય, વૈયાવચ્ચ, યાત્રા, સ્નાન વગેરે પણ પ્રદાનમાં સમજવું. (અન્યત્ર પ્રદાનના સ્થાને વિધમી ધર્મગુર્નાદિને વારંવાર દાન કરવારૂપ “અનુપ્રદાન” કહ્યું છે.) - આ ઉપર જણાવ્યાં તે વન્દન, નમન, આલાપ, સંતાપ, દાન તથા પ્રદાનનાં કાર્યોને વજેવાથી સમકિતની યતના-રક્ષા થાય છે, સમકિતને નિર્મળ-સુરક્ષિત રાખવા માટે સમતિના આચારરૂપે તે નહિ કરવાનાં હેવાથી તેને સમકિતની જયણ (રક્ષા) કહી છે. છ આગેરે "रायामिओगो अ गणामिओगो, बलामिओगो अ सुराभिओगों।। વિક્રેતાવિતી ગુનિહા , છ છિદ્ધિશાશો નિણાણffમ I ” ( તારો, જરૂર) ભાવાર્થ—અહીં અભિગ શબ્દને “ઈચ્છા વિના-બલાત્કારે ” એવો અર્થ સમજ. તેમાં ૧. રાજાભિગ રાજા વગેરેને દુરાગ્રહ, (બલાત્કાર) પરવશપણું, ૨. ગણુભિગ સ્વજન-સંબંધીઓ કે અન્ય નગરજને વગેરે જનસમુહને આગ્રહ-પરાધીનતા, ૩. બેલાભિગહઠને ઉપગ અર્થાત કેઈ દુરાગ્રહી હઠીલાને (બળવાનને) આગ્રહ, ૪. દેવાભિગ=કુલદેવી (કે બીજા દુષ્ટ દેવ-દેવી) વગેરેને બલાત્કાર કે શરીરપ્રવેશાદિ, ૫. કાન્તારવૃત્તિ =જંગલ આદિમાં કોઈ પ્રાણન કષ્ટ આવે અગર આજીવિકાને નિર્વાહ કરવાની ભારે મુશ્કેલી આવે, તેવા “વિકટ પ્રસંગને ૧૮. અન્યત્ર ચેર, લુંટારા વગેરે ના બલાત્કારને બલાભિગ કહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy