________________
પ્રહ ૧-સમ્યકત્વના ૬૭ પ્રકારે ].
૧૨૫ વના છે એમ કહ્યું છે. (વસ્તુતઃ પ્રભાવકે શ્રીજૈનશાસનના–સમકિતના બળે પ્રભાવના કરે છે, એટલે પ્રભાવનાનું બળ શાસનમાં અર્થાત્ સમકિતમાં જ છે) અને તેથી જ પ્રવચનસારદ્વારની અર્થાત મૂળદ્વારગાથામાં પણ “મવ' પદની વ્યુત્પત્તિ “આઠ પ્રભાવના છે જેમાં એવું સમ્યકત્વ' એમ વિશેષણરૂપે કરી છે. આ પ્રભાવનાથી પિતાનું સમકિત શુદ્ધ થાય છે અને બીજાઓ સમકિત પામે છે, માટે તેને સમકિતમાં ગણેલી છે. પાંચ ભૂષણે
“નિશાનો જુસ, માવળાં તિજ(ગ્રા)વાળા શિ.
મરી જુના સમરીયા કરમા પંચ ? ” (૪૦ તા., ૨૨૬) ભાવાર્થ_“શ્રીજિનશાસનમાં કુશળતા, પ્રભાવના, તીર્થસેવા, સ્થિરતા અને ભક્તિ-એ પાંચ ઉત્તમ ગુણે સમ્યકત્વને દીપાવનારા છે.” તેમાં–
૧.જેનશાસનમાં કૌશલ્ય-અહીં કૌશલ્ય એટલે નિપુણતા. (અર્થાત શ્રીજિનાગમમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં એટલે કે કેટલાંક વિધિવચને છે, કેટલાંક ઉદ્યમમાં પ્રેરનારાં છે, કેટલાંક પદાર્થોના વર્ણનરૂપે છે, કેટલાંક ભય પેદા કરનારાં છે, કેટલાંક ઉત્સર્ગવચન છે, કેટલાંક અપવાદરૂપે છે, તે કેટલાંક ઉત્સર્ગ–અપવાદ ઉભયરૂપે છે; ઈત્યાદિ અનેક અપેક્ષાવાળાં તે તે વચનોને અનુસરી દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવપુરુષને આશ્રીને તેવો તેવો વ્યવહાર કરવો, તેને જૈનપ્રવચનમાં–શાસનમાં નિપુણતા કહી છે.) શ્રી જૈનશાસનની વ્યવસ્થામાં-વ્યવહારમાં એવી નિપુણતાને જ જૈનશાસનમાં કૌશલ્ય સમજવું.
૨, પ્રભાવના–આઠેય પ્રભાવકેનું કર્તવ્ય છે ઉપર જણાવ્યું, તે પ્રમાણે કરાતી શાસનની પ્રભાવના સ્વ–પર ઉપકાર કરનારી છે અને શ્રીતીર્થંકરનામકર્મનું કારણ છે, તેથી સમકિતમાં તેની પ્રધાનતા જણવવા માટે પુનઃ ભૂષણમાં પણ ગણી છે.
૩. તીર્થસેવા–તીર્થો “દ્રવ્ય અને ભાવ” એમ બે પ્રકારનાં છે. તેમાં શ્રીજિનેશ્વરનાં જન્મ, દિક્ષા, કેવલજ્ઞાન કે મેક્ષ જ્યાં થયાં હોય તે ભૂમિએ, તથા શ્રી શત્રુંજયગિરિરાજ વગેરે “દ્રવ્યતીર્થ છે. કહ્યું છે કે
“લિવરના ના, તિસ્થા મહાગુમાવી
કલ્પ વિસર નિવ્યા, સામા હંસ ફોરૂ ?” ભાવાર્થ-“મહામહિમાવંત શ્રીતીર્થકર ભગવતેનાં જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન કે નિર્વાણ જ્યાં જ્યાં થયાં હોય, તે તે દ્રવ્યતીર્થો કહેવાય છે. તેની ફરસનાથી) સમકિત આગાઢ એટલે (નિરપવાદ) સ્થિર થાય છે.”
જ્ઞાન, દર્શન અને ચારિત્રના આધારભૂત શ્રીશ્રમણ સંઘ અથવા પહેલા શ્રીગણધર, તે બીજું ભાવતીથ' કહેવાય છે. કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org