SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨-ગા. ૨૨ ૪. “નૈમિત્તિક”—ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલીન ભાવોને જણાવનારા ૬ અષ્ટગનિમિત્ત શાસ્ત્રના જાણ (પૂ શ્રીભદ્રબાહુસ્વામિજી વગેરે) મહર્ષિઓને નૈમિત્તિક જાણવા. પ. “તપસ્વી—તપસ્વી એટલે આલેક-પરલકના પૌગલિક કેઈ સુખની અભિલાષા વિના સમતાભાવે “જૈનદર્શનપ્રસિદ્ધઅહમ, અઠાઈ વગેરે લિષ્ટ તપને કરનારા, સ્વશરીરમાં પણ નિસ્પૃહ (પૂ૦ શ્રીખંધકમુનિજી વગેરે) મહાત્માઓને તપસ્વી પ્રભાવક સમજવા. ૬. “વિદ્યાવાન'–પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓને સાધનારા વિદ્યાસિદ્ધ (પૂ શ્રીવાસ્વામિજી જેવા મહર્ષિ) વિદ્યાવાન કહેવાય. ૭. “સિદ-આંખમાં અંજન કરીને, પગે લેપ કરીને, કપાળે તિલક કરીને અથવા મુખમાં ગેળી વગેરે રાખીને દુષ્કર કાર્યો કરવાં, ભૂત વગેરેનું આકર્ષણ કરવું કે વૈકિયશરીરાદિ રચવું; વગેરે અનેક દુઃસાધ્ય કાર્યો કરવાની શક્તિઓને જેઓએ સિદ્ધ કરી હોય, તે (પૂ શ્રીકાલિકાચાર્ય મહારાજ જેવા) મહર્ષિને સિદ્ધપ્રભાવક સમજવા. ૮. “કવિ –વિશિષ્ટ રચનાવાળાં ગદ્ય કે પદ્ય કાવ્યો રચવાની શકિતથી ભિન્ન ભિન્ન ભાષામાં કાવ્ય રચનારા (પૂ શ્રીસિદ્ધસેનસૂરિજી જેવા), જેઓ પોતાની તે રચનાથી રાજા-મહારાજાએને પણ ધમી બનાવે, તેવા પંડિતપુરૂષે કવિ કહેવાય. આ પ્રવચની આદિ૧૭ આઠેય પ્રભાવક, શ્રી જૈનશાસન, કે જે સ્વયં પ્રભાવશાળી છે, શ્રીજિનેશ્વરદેવેએ સ્થાપેલું હોવાથી નિર્દોષ છે અને સ્વરૂપે પણ ઉત્તમ જ છે, તેને નિષ્કલંક રાખવા કે તેની મહત્તાદિ વધારવા માટે પિતાની તે તે શક્તિઓ દ્વારા દેશ, કાળ વગેરેથી ઉચિત હોય તેમ શાસનની સેવા કરનારા હોય છે અને તેથી તે પ્રભાવકે કહેવાય છે. (સુવર્ણ સ્વયં પ્રકાશવાળું છે અને સોની પ્રકાશ કરવામાં નિમિત્તરૂપ છે તેમ) શાસન સ્વયં પ્રકાશવંત છે, તેના પ્રકાશમાં (પ્રભાવમાં) નિમિત્ત બનવારૂપે તેઓ પ્રભાવક છે અને તેમનાં તે તે કર્તવ્યો પ્રભામાટે આત્માથએ આ વાદ પણ કરવું યોગ્ય નથી. “પરલેકપ્રધાન જીવન જીવનારા, મધ્યસ્થ, બુદ્ધિમાન અને સ્વશાસ્ત્રતના જાણુ” એવા ઉત્તમ પુરૂષની સાથે સત્યધર્મને નિર્ણય કરવાની બુદ્ધિએ વાદ કર તે ધર્મવાદ? ય તે પ્રતિવાદીને સત્યધર્મ પ્રાપ્ત થાય અને પરાજય થાય તે વાદીને પોતાની ભૂલ સુધરે, એમ હાર-જીત બનેમાં લાભ જ થાય. તેથી પ્રથમના શુષ્કવાદ અને વિવાદ એ બને વેદો ડાહ્યા પુરૂષે કરવા ચોગ્ય નથી, માત્ર છેલ્લે ધર્મવાદ જ સ્વ–પરહિત કરનારે છે, એમ કહ્યું છે. ૧૬. ૧. જમણું, ડાબું વગેરે અંગેના ફુરણથી, ૨. શુભાશુભ સ્વપ્નથી, ૩. પશુ-પક્ષીઓ આદિના મમિકંપ વગેરેથી, ૫. શરીર ઉપરના મસ તલ વગેરેથી, ૬. હાથ, પગ વગેરેનાં રેખા આદિ અક્ષણાથી, ૭. ઉલ્કાપાત વગેરે થવાથી અને ૮. ગ્રહોના ઉદય, અસ્ત વગેરે જ્યોતિષના બળથી –એમ આઠ નિમિત્તોથી ભૂત, ભાવિ અને વર્તમાન ભાવોને જણાવનારૂં શાસ્ત્ર “અષ્ટાંગનિમિત્ત શાસ્ત્ર” કહેવાય છે. ૧૭. પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે શ્રાવકધર્મ-વિધિપ્રકરણ ગાથા ૬૭ માં ૧. અતિશયદ્ધિ, ૨. ધમે. કથક, ૩. વાદી, ૪. નૈમિત્તિક, ૫. તપસ્વી, ૬. આચાર્ય, ૭. વિદ્યાસિદ્ધ અને ૮. રાજગણુસમ્મત –એમ પણ આઠ પ્રભાવકે કહ્યા છે. તેમાં અતિશયદ્ધિ એટલે અવધિ-મન પર્યવ આદિ વિશિષ્ટ લબ્ધિવંત, આચાર્ય એટલે પ્રવચની અને રાજગમ્મત એટલે રાજા તથા મહાજન જેવા મુખ્ય પુરૂષોને પણ માનનીય–એમ કહેવું છે, તા તત્વથી ત્યાં અને અહીં કહ્યું તેમાં ભિન્નતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy