SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧-સમ્યક્ત્વના ૬૭ પ્રકારે ] ૧૨૩ ભાવા–“શંકા, રકાંક્ષા, કવિતગિચ્છા (વિચિકિત્સા), અન્યદર્શની વગેરેની પ્રશંસા તથા તેઓને પસહવાસ,-એ પાંચ સમકિતનાં દૂષણે છે. તેનું વર્ણન વિસ્તારથી પ્રકરણ ત્રીજામાં વ્રતના અતિચાર પ્રસંગે (ગા. ૪૧ ના વિવેચનમાં) કહેવાશે. આઠ પ્રભાવના (પ્રભાવક) " पावयणी धम्मकही, वाई नेमित्तिो तवस्सी य । વિજ્ઞ સિદ્ધાર થી), દેવ માવ મજા ? ” ( ૪૦ તા, ૨૩૪) ભાવાર્થ_“જેનાથી શ્રી જૈનશાસનને મહિમા–પ્રભાવ વધે, તેવી પ્રવૃત્તિઓને “પ્રભાવના અને તેને કરનારા મહાત્માઓને “પ્રભાવક' કહેવાય છે. આવા ધર્મ પ્રભાવકે આઠ પ્રકારે માનેલા હોવાથી પ્રભાવના પણ આઠ પ્રકારની છે.” પ્રભાવકનું સ્વરૂપ ૧. “પ્રવચની”_પ્રવચન” એટલે બારેય અંગે (વગેરે શાસ્ત્રો), કે જેને “ગણિપિટક', (આચાર્યભગવંતેની ઝવેરાતની પેટી) કહેલ છે, તે પૈકી જે જે કાળે જેટલું પ્રવચન) આગમ. શાસ્ત્ર વિદ્યમાન હોય, તે તે કાળે તે વિદ્યમાન સર્વ આગમોના મમીને જાણનારા (પૂ શ્રીહરિ ભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા) પ્રવચની કહેવાય. ૨. “ધર્મથક–આક્ષેપણું, વિક્ષેપણું, સવેગજનની અને નિર્વેદિનીરૂપ ચાર પ્રકારની ધમકથા(ઉપદેશ)ને પોતાની વ્યાખ્યાન કરવાની શક્તિ(લબ્ધિ)થી એવી રીતિએ સંભળાવે, કે જેથી શ્રોતાને આનંદપૂર્વક આક્ષેપાદિ થાય. આવા વ્યાખ્યાનની લબ્ધિવાળા (પૂ શ્રીનદિષેણુજી. વગેરે) ધર્મકથી કહેવાય. ૩. “વાદી —વાદી, પ્રતિવાદી, સભાજને અને સભાધિપતિ (પ્રમુખ)–એ ચારેય જ્યાં હોય, તેવી ચતુરંગ સભામાં પરવાદીના પક્ષને અસત્યરૂપે સિદ્ધ કરીને પોતાના પક્ષને સત્યરૂપે સિદ્ધ કરવારૂપ વાદ કરવાની શક્તિવાળા (પૂ શ્રીમલ્લવાદિ વગેરે) સમર્થ પુરૂષે વાદીપ કહેવાય. ૧૪. જે કથાથી શ્રોતા મોહને છોડીને સત્ય તત્વ તરફ આકર્ષાય તે આક્ષેપણ, જેનાથી શ્રોતા સન્માર્ગથી ખસી ઉન્માગે કે ઉન્માર્ગથી ખસી સન્માર્ગે જાય અર્થાત્ પૂર્વના માર્ગને છોડે તે વિક્ષેપણું, જેનાથી શ્રોતામાં સંવગ-જ્ઞાનપૂર્વકનો ધર્મવેગ (આત્મબળ) પ્રગટે તે સંવેગજનની અને જેનાથી શ્રોતાને સંસારને નિર્વેદ થાય (સંસાર બંધનરૂપ લાગે) તે નિર્વેદિની કથા કહેવાય. તે દરેકના પણ ચાર ચાર ભેદ વિસ્તારથી કાણુગમાં ૨૮ર મા સૂત્રમાં જણાવેલા છે. . ૧૫. પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ સ્વકૃત વાંદાષ્ટક નામના બારમા અષ્ટકમાં વાદના “શુષ્કવાદ, વિવાદ અને. ધર્મવાદ' –એમ ત્રણ પ્રકારે ટૂંકમાં આ રીતિએ કહ્યા છે. “અતિ અભિમાની, ક્રૂર, ધર્મદેશી અને મૂઢ” પ્રતિવાદની સાથે વાદ કરવો તે શુષ્કવાદ છે, કારણ કે તેવાની સામે વિજય મેળવવાથી શત્રુતા વધે છે અને હારવાથી ધર્મની લઘુતા થાય છે, એમ ઉભયથા નુકશાન હોવાથી આ વાદ અનર્થકારી કહ્યો છે. “લબ્ધિ કે પ્રતિષ્ઠા વગેરેના અથી, દરિદ્ર કે નીચ (હલકટ)” પ્રતિવાદીની સાથે વાદ કરવો તે વિવાદ કહ્યો છે. આ પ્રતિવાદી તૈયાયિકોએ માનેલા ળ, જાતિ વગેરે અસત પ્રયોગોને (કયુક્તિઓનો) પ્રાયઃ પ્રયોગ કરે, એમ સંભવ હોવાથી તેની સાથે ન્યાયપૂર્વક વાદ કરીને વિજય મેળવ દુઃશક્ય બને; કદાચ વિજય મળે તે પણ તેથી તેની પૌગલિક આશામાં (સુખપ્રાપ્તિમાં) અંતરાય (વિM) થાય અને તેમાં નિમિત બનવાથી વાદીને પણ અશુભ કર્મને બંધ થાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy