SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨૦ગા. ૨૨ એ દશેયને ૧–ભક્તિ, ૨-પૂજા, ૩-પ્રશંસા, અનિદાને પરિહાર અને પ-આશાતનાને ત્યાગ – એ પાંચ રીતે વિનય કરવો તે દશ પ્રકારે વિનયના જાણવા. તેમાં ૧-“ભક્તિ” એટલે આવતાની સામે જવું, આવે ત્યારે આસન આપવું, શારીરિક વગેરે સેવા કરવી, બે હાથ વગેરેથી પ્રણામ કરે, જાય ત્યારે વળાવવા જવું, ઈત્યાદિ (અંતરમાં બહુમાનપૂર્વક) અનેક પ્રકારની યથાયોગ્ય બાહ્ય સેવા ૨-પૂજા” એટલે વસ્ત્ર, પાત્ર, અન્નપાનાદિ આપવારૂપ સત્કાર, ૩-પ્રશંસા એટલે સ્વમુખે તેઓના ગુણે વગેરેની પ્રશંસા કરવી-કીતિ વધારવી; ૪-નિદાપરિહાર' એટલે છતા કે અછતા પણ દેશે પ્રગટપણે બીજાની આગળ કહેવા નહિ-નિંદા નહિ કરવી અને ૫ આશાતના ત્યાગ” એટલે દેવની ૮૪, ગુરૂની ૩૩, વગેરે શાસ્ત્રોમાં કહેલી દશેયની તે તે આશાતનાઓને ત્યાગ કરે. કહ્યું છે કે “મત્તિપૂજાવાસ-વનમાં નાસા(as) વેવાયા બાસાથળ પરિક્ષા, વંmવિળયો સમાસેળ .”( હારો, ૧૨૨) ભાવાર્થ“૧. ભક્તિ કરવી, ૨. પૂજા કરવી, ૩. પ્રશંસા દ્વારા તેઓના જ્ઞાનાદિ ગુણોને પ્રચાર કર, ૪. અવર્ણવાદ વજે અથવા રેક અને પ. આશાતનાને ત્યાગ કરો કે તેને અટકાવવી,-એ સંક્ષેપમાં સમકિતને વિનય સમજ.” - ઉપર કહેલાં દશ સ્થાએ કરાતું હોવાથી વિનય પણ દશ પ્રકારનો છે. સમક્તિના ગે થાય, માટે તેને સમ્યગદર્શનને વિનય કહ્યો છે. (સમકિતમાં ગણે છે.) " मुत्तण जिणं मुत्तूण, जिणमयं जिणमयट्ठिए मुत्तुं । સંસાર(વ), ચિત્તિન્નત કા ર છે ?” (To do,૨૨૨) ભાવાર્થ–૧. જિન એટલે વીતરાગ, ૨. જિનમત એટલે તેઓનાં કહેલાં યથાવસ્થિત ચાદ્વાદમય જીવ-અછવાદિ ત તથા ૩. જિનમતરૂપ તને આરાધના સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકારૂપ શ્રીસંઘ, એ ત્રણ સિવાય બાકીનું આખું જગત એકાન્તરૂપ દુરાગ્રહથી ફસેલું હોઈ સંસારમાં કચરા સરખું અસાર છે. આવા મન્તવ્યથી (શ્રદ્ધાથી) સમકિતની શુદ્ધિ થાય છે, એમ શુદ્ધિમાં કારણ હોવાથી આ ત્રણને સમ્યક્ત્વની શુદ્ધિઓ કહી છે પાંચ દૂષણે " संका कख विगिच्छा, पसंस तह संथवा कुलिंगीसु । सम्मत्तस्सइयारा, परिहरिअव्वा पयत्तेणं ॥१॥" ( प्र० सारो०, ९३३) ૧૨. અન્યત્ર પૂજાને બાહ્ય ભક્તિમાં ગણી બહુમાનને ભિન્ન પણ કહેલું છે. અહીં ભક્તિ-બહુમાનને એક ગણી પૂજાને ભિન્ન કહેલી છે, માટે વિરોધ સમજે નહિ. ૧૩. અન્યત્ર મનથી શ્રીજિન, જિનાગમ અને તેના આરાધક વિના સઘળું જુદું છે–એમ માને, વચનથી એ જ ત્રણ સત્ય છે એમ બેલે અને કાયાથી મરણન્ત ઉપસર્ગમાં પણ એ ત્રણ વિના બીજાને ન નમે–એમ મન, વચન અને કાયાની શુદ્ધિને સમકિતની ત્રણ શુદ્ધિ કહી છે, તે બાહ્યક્રિયારૂપ અથવા આના ફળરૂપ છે અને અહીં કહેલી આ અત્યંતર શ્રદ્ધારૂપ-મૂળરૂપ છે, એમ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy