SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧-સમ્યત્વના ૬૭ પ્રકારે ] ૧૨૧ (મિષ્ટાન્ન) જમવામાં જે તીવ્ર રાગ હેય, તેથી પણ (સમકિતવંતને) ચારિત્રની અભિલાષા અધિક હોય. ૩. “દેવ-ગુરૂની વૈયાવચ્ચ માટે પ્રતિજ્ઞા”=ધર્મોપદેશક વગેરે ઉત્તમ ગુરૂઓની અને શ્રીઅરિહંતદેવોની (અર્થાત્ શ્રીજિનમનિ, મૂતિઓ વગેરેની તેઓની આજ્ઞાનુસાર આશાતના ન થાય તેમ) સેવા, પૂજા, ભતિ વગેરે અનેક પ્રકારે વૈયાવચ્ચ કરવાનો નિયમ કર, તે સમ્યકત્વનું ત્રીજું લિંગ છે. અહી ધમી (જીવ) અને તેને સમક્તિરૂપ ધમ–બેને અભિન્ન માનીને સમક્તિી જીવનાં જ લિંગને સમકિતનાં લિંગે કહ્યાં છે, એમ સમજવું. આ ત્રણ લિંગે જેવાથી એ જીવમાં સમ્યકત્વગુણ પ્રગટ્યો છે એમ નિશ્ચિત થઈ શકે. પ્રશ્ન-વૈયાવચ્ચ તપને પ્રકાર છે, તપ એ ચારિત્રનું અંગ છે, જે સમકિતદષ્ટિને પણ તૈયાવચન આ નિયમ અવશ્ય હાય, તે તે ચારિત્રને જ અંશ હોવાથી તેને અવિરતિસમતિદષ્ટિ કેમ કહેવાય? વૈયાવચ્ચરૂપ દેશચારિત્ર હોવા છતાં દેશવિરતિ ” કેમ ન કહેવાય? અર્થાત્ સમક્તિ સાથે વૈયાવચ્ચના નિયમરૂપ ચારિત્રને અંશ હોવા છતાં તેને અવિરતિસમકિતદષ્ટિ (ગુણસ્થાનક) કેમ કહેવાય? ઉત્તર-વૈયાવચ્ચને નિયમ ચારિત્રરૂપ છતાં તે ચારિત્રને માત્ર અલ્પાંશ હોવાથી, તેને શાસ્ત્રકારેએ અહીં ચારિત્રરૂપ ગણ્યા નથી. જેમ સંમૂછિમ જીને અલ્પ સંજ્ઞાઓ હોવા છતાં વિશિષ્ટ સંજ્ઞાબળ નહિ હેવાથી અસંજ્ઞી કહ્યા છે, તેમ અહીં વૈયાવચ્ચ પણ ચારિત્રને માત્ર અલ્પ અંશ હોવાથી દેશવિરતિ નહિ કહેતાં અવિરતિ કહે છે–એમ સમજવું. એ રીતિએ ઉપશાન્ત મોહ વગેરે ઉપરના ગુણસ્થાનકેમાં પણ આત્મા કૃતકૃત્ય થયેલ હોવાથી અર્થાત્ ત્યાં શુશ્રુષાદિનું કાર્ય સપૂર્ણ થવાથી આ લિંગે ત્યાં (પ્રવૃત્તિરૂપે) પ્રત્યક્ષ ન જણાય, તે પણ તે લિંગનાં યથાખ્યાતચારિત્ર વગેરે ફળો પ્રત્યક્ષ હોવાથી ફળના મૂળભૂત શુશ્રુષાદિ લિંગે પણ ત્યાં છે જ, એમ માનવું. વૈયાવચ્ચના નિયમને અંગે વધુ વિવેચન “શ્રાદ્ધવિધિ” ગ્રંથના આધારે આગળ (સાધુધર્મમાં) કરવામાં આવશે. દશવિધ વિનય “ સિલિકા-જુ ર ગ સાવ ના શકિવન્સT(), વળે વિજો (વિ) ૨” (ro સારો, ૧૩૦) ભાવાર્થ “૧–અરિહંત એટલે તીર્થંકરભગવન્ત (તથા સામાન્ય કેવલીઓ), ૨-આઠેય કરહિત સિદ્ધભગવતે, ૩–ચ એટલે જિનપ્રતિમાઓ (અને મંદિર), ૪-શ્રત એટલે આચારાંગાદિ આગમે, ૫-ધર્મ એટલે ક્ષમા વગેરે દશ પ્રકારને યતિધર્મ, ૬-સાધુવર્ગ એટલે (આચાર્યોઉપાધ્યાયે સિવાયના) સર્વ પ્રકારના મુનિઓને સમુહ, ૭-આચાર્યભગવત, ૮-ઉપાધ્યાયભગવંતે, ૯-પ્રવચન એટલે અહીં જીવાદિ તને જણાવે તે “શાસન' ( અથવા તેના આધારભૂત શ્રીસંઘ) અને ૧૦-દર્શન એટલે સમકિત તથા ગુણ-ગુણીના અભેદ ઉપચારથી સમક્તિવંત આત્માઓ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy