SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦૧-સમ્યકત્વના ૬૭ પ્રકારે ] દુઃખરૂપ ફળ આપે છે; માટે વિશ્વમાં કાંઈ સાર નથી, તે તજવા લાયક જ છે; એમ સમજવાથી વિષયને રાગ ઉઠી ગયેલ હોય, તેથી પણ ઓળખાય કે-વિષચેનો વિરાગ (નિ) થવાથી આ જીવ સમકિતી છે. ૪. અનુકંપા–અનુકંપા એટલે કૃપા-દયા. “સર્વે જીવો સુખના અથી અને દુઃખને દૂર કરવાની ઈચ્છાવાળા છે, માટે તેઓને મારે અલ્પ માત્ર પણ પીડા ન કરવી જોઈએ,” વગેરે સમજીને બીજા જીવો પ્રત્યે કરૂણ-દયા કરે, તેથી પણ સમજાય કે–આ જીવ દયાળુ હોવાથી સમકિતી છે. ૫. આસ્તિક્ય-આસ્તિક્ય એટલે શ્રીજિનવચનમાં આસ્થા-શ્રદ્ધા. “ શ્રીજિનેશ્વરદેવોએ બતાવેલા “જીવ, પરલેક, કર્મ' વગેરે અદશ્ય પદાર્થો પણ ચક્કસ છે જ—એમ માનવાથી, એલ. વાથી કે તેને અનુસરતી પ્રવૃત્તિ કરવાથી પણ ઓળખાય કે-આ જીવ આગમમાં શ્રદ્ધાળુ હોવાથી સમક્તિી છે. એ રીતિએ શમ વગેરે લક્ષણનું સ્વરૂપ અન્ય આચાર્યોના મતે સમજવું. અહીં ગ્રંથકારશ્રીએ ચાલુ મૂળ (૨૨ મી) ગાથામાં પાંચ લક્ષણે સૂચવીને (તેના ઉપલક્ષથી) લક્ષણોના સહચારી સમકિતના ૬૭ ભેદે પણ સૂચવ્યા છે, કારણ કે તે ભેદેથી વિશુદ્ધ હોય તે સમકિત શુદ્ધ ગણાય છે. કહ્યું છે કે " चउसद्दहणतिलिङ्ग, दसविणयतिसुद्धिपंचगयदोस । અજમાવળમૂત-વર-વંવિસંગુ . ” " छविहजयणागारं, छब्भावणभाविअंच छहाणं । - રૂા સાસવિંગ-વિદં તુ સમi | ર છે ” (ાળ સારો, ૨૨૬-૨૭) ભાવાર્થ-“ચાર સદહણ, ત્રણ લિગે, દશ પ્રકારે વિનય, ત્રણ પ્રકારની શુદ્ધિ, પાંચ દેને અભાવ, આઠ પ્રકારે પ્રભાવના, પાંચ ભૂષણ, પાંચ લક્ષણે, છ પ્રકારે જયણા, છ આગારો, છ ભાવનાઓ અને છ સ્થાને –એ સડસઠ ભેદેથી વિશુદ્ધ (યુક્ત) હોય તે સમકિત સમજવું. આ ભેદનું સ્વરૂપ નીચે પ્રમાણે (શ્રીપ્રવચનસારે દ્ધારના ૧૪૮ મા દ્વારમાં) જણાવ્યું છે. ચાર સહણુ " परमत्थसंथवो खलु (वा), सुमुणिय(दिट्ठ)परमत्थजइजणनिसेवा । વાવ-દ્વિજ , (વંશ) વક્તા ય સમ્રરસT I શા” (૪૦ સોર૮) ભાવાર્થ—અહીં તથા આગળની ગાથાઓમાં ( ) કૌસમાં મૂકેલા પાઠાન્તરે સમજવા. ૧. “પરમાર્થસંસ્તવ=પરમાર્થભૂત (સત્ય) જીવાજીવાદિ તત્વે-પદાર્થોને સંતવ એટલે પરિચય, અર્થાત્ બહુમાનપૂર્વકને તે તે તને યથાર્થ બધ-અભ્યાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy