________________
૧૧૮
C[ ધ સંભા. ૧-વિ. ૨-ગા. ૨૨ " अणुवकयपराणुग्गह-परायणा जं जिणा जगप्पवरा ।। जिअरागदोसमोहा, य ननहा वाइणो तेणं ॥३॥"
(સંવો૪૦, નારિ, ૪૮ ૧૦) ભાવાર્થ–“બુદ્ધિની ન્યૂનતાના કારણે, તથાવિધ સમજાવનારા ગુરૂના અભાવે, જીવ-અછવાદિ યભાવોનું સ્વરૂપ ગહન હોવાથી, જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી, કે તથાવિધ હેતુ, દષ્ટાન્ત વગેરે સમજવાનાં સાધન નહિ હેવાથી” કઈ વિષયે યથાર્થ ન સમજાય, (એટલે કે કઈ વસ્તુ-વાક્ય ન સમજાય) તે પણ બુદ્ધિમાન (આસ્તિક) જીવ “સર્વજ્ઞ મત (આગમ) સત્ય છે' એમ જ માને, (ઉપર કહેલાં કારણેના ગે હું સમજી શકતું નથી-એમ પિતાની ખામી સ્વીકારે) કારણ કે–શ્રીજિનેશ્વરે અનુપકારી ઉપર પણ ઉપકાર કરનારા, રાગ-દ્વેષ વિનાના અને જગતશ્રેષ્ઠ આત્માઓ હોય છે, તેથી તેઓ અસત્યવાદી હતા જ નથી.”—એમ સમજીને જિનવચનને સત્ય જ માને. અથવા કહ્યું છે કે
" सूत्रोक्तस्यैकस्याऽप्यरोचनादक्षरस्य भवति नरः।।
મિચ્છાણિક સૂત્ર હિં, ન મમ નિનામિહિત છે ? ” ભાવાર્થસૂત્રકથિત એક અક્ષર માત્રની પણ અરૂચિથી આત્મા (શ્રીજિનેશ્વરના સર્વજ્ઞપણામાં શ્રદ્ધા વિનાનો હોવાથી) મિથ્યાદષ્ટિ ગણાય છે. (માટે) શ્રીજિનેશ્વરકથિત સૂત્રો અમોને સંપૂર્ણ પ્રમાણિકરૂપે માન્ય છે.” ઈત્યાદિ ભાવના રાખે, પણ આસ્તિકતાને તજે નહિ.
સમ્યક્ત્વનાં એ પાંચ લક્ષણે જાણવાં. આ લક્ષણે અન્ય આચાર્યોના મતે નીચે પ્રમાણે પણ છે.
૧. શમ-વિશિષ્ટ વક્તાની યુક્તિયુક્ત સમજાવટથી તત્ત્વોની સારી રીતિએ પરીક્ષા થાય, તેથી સત્ય તત્ત્વોમાં દઢ પક્ષપાતરૂપ સદ્ આગ્રહ થવાથી મિથ્યાભિનિવેશરૂપ દુરાગ્રહ શમી જાય, તેને “શમ” કહેવાય; આ સમ્યગ્રદર્શનનું લક્ષણ છે, જે આ રીતિએ પરીક્ષા પૂર્વક મિથ્યાત્વને તજીને સમ્યક્ત્વને વરેલ હોય, તે સમકિતદષ્ટિ છે, એમ શમથી ઓળખી શકાય છે.
૨. સંગ-સંવેગ એટલે સંસારને ભય.” જૈન આગમને સાંભળવાથી અને તેની શ્રદ્ધાથી આત્માને ૧-નરકગતિમાં “ઠંડી, તાપ વગેરે ક્ષેત્રવેદનાનાં, દુષ્ટ અસુરોથી કરાતા ત્રાસરૂપ પરમાધાકૃત વેદનાનાં તથા નારકીઓએ પિતે કરેલી પરસ્પર વેદનાનાં દુઃખે ૨-તિર્યંચગતિમાં પરાધીનતાથી અતિ ભાર વહન કર, તેમ જ ભૂખ-તૃષા–તાપઠડી–પ્રહાર વગેરે સહવા, વગેરે અનેક પ્રકારનાં દુઃખે;”૩-મનુષ્યપણુમાં “દરિદ્રતા–દુર્ભાગ્ય-રોગ-શેક–વિગ–દાસપણું, ઇત્યાદિ અનેક પ્રકારનાં દુઃખે,” તેમ જ ૪–દેવભવમાં પણ “ઈષ્ય-વિષાદ-પરાધીનતા વગેરે વિવિધ
ખે તેને જેવાથી, જાણવાથી અને વિચારવાથી આત્મામાં ભય જાગે અને તેથી ચારેય ગતિનાં તે ખેને ટાળવાના ઉપાયભૂત ધર્મને આદરે; એથી સમજાય કે-આ આત્માને સંસારના ભયરૂ૫ “સંગ હોવાથી સમકિત છે.
૩. નિર્વેદ-નિવેદ એટલે વિષયેની ગૃદ્ધિ(અતિ આસક્તિ)ને ત્યાગ. જેમ કે-દુષ્ટ વિષયની અતિ આસક્તિ ભેગવનારને આ ભવમાં જ અનેક ઉપદ્રવોમાં–કોમાં ફસાવે છે અને પરલોકમાં પણુ અતિ દુષ્ટ નરકગતિમાં, તિર્યંચગતિમાં કે અધમ કોટિના મનુષ્યપણુમાં જન્મ લેવો, વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org