________________
૧૨
પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે મુજબ જેન અને જૈનેતર ગૃહસ્થ સ્વજીવન જીવવાને જે નિશ્ચય કરે, તે જગતમાં આજે શક્તિનું સ્વર્ગ ઉતરી શકે તેવું છે. વર્તમાન યુગને આ જ ખરે નાગરિક ધર્મ સમજાવે જોઈએ. તે જ્યારે સમજાશે, ત્યારે જ સ્વ અને પારને વિનાશની ગર્તામાં ફેંકી દેનારી હિંસા અને પરિગ્રહવાદની પાછળ આજે જે આંધળી દેટ મૂકાઈ છે તેને અંત આવશે. યતિધર્મ– યતિધર્મ બે પ્રકાર છે. એક સાપેક્ષ એટલે સ્થવિરકલ્પી, જે ગચ્છની મર્યાદામાં વર્તનાર હેય; બીજે નિરપેક્ષ એટલે જિનકલ્પી આદિ, જેને ગચ્છ આદિ કશાની અપેક્ષા ન હોવાથી
ગ્યતા પ્રાપ્ત કરીને કેવળ ઉત્સર્ગ માગે વર્તનારો હોય. જીવનપર્યત સંસારના સર્વ આરંભ, પરિગ્રહ, સ્ત્રીસંગ, વિગેરેને ત્યાગ કરીને સર્વથી અહિંસા આદિ મહાવતે અંગીકાર કરવાં, તેનું નામ યતિ કિવા સાધુધર્મ છે. જીવનસાધનાનું અહીં પૂર્ણવિરામ આવે છે. એનું બીજુ નામ “સન્યાસ ગ” પણ છે. એના જેવું ભૂતપકારક, શાન્ત, દાન્ત અવશ્ય ગ્રાહ્ય બીજું એક પણ ઉત્તમ જીવન નથી. જેએ આ જીવન સ્વીકારી કર્મ સામે સંગ્રામ માંડે છે અને તેને છેલ્લી લપડાક મારી હત–પ્રહત કરી નાખે છે, તેઓને આ સંસારના જન્મોજન્મના અતિ કટુ પરાભવે ભેગવવા પડતા નથી. મૂલ ગ્રંથના ત્રીજા અને ચોથા વિભાગમાં ગ્રંથકારશ્રીએ છેવટના સારભૂત સુરાસુરાદિ વાઘ એવા આ યતિધર્મનું પ્રાયશ્ચિતાદિ સમગ્ર વિધિ સાથે વર્ણન કરેલું છે. ગ્રંથનું કલેવર
આ શ્રી ધર્મસંગ્રહ ગ્રંથને શબ્દદેહ મૂલ અને ટીકા ઉભયાત્મક છે અને તે ઉભયના રચયિતા ઉપાધ્યાયજી શ્રી માનવિજ્યજી ગણિવર જ છે, તેથી આ ગ્રંથ સ્વપજ્ઞવૃત્તિયુત શ્રી ધર્મસંગ્રહના નામે જે ઓળખાય છે તે યથાર્થ છે. આ ગ્રંથનું મૂલ સંસ્કૃત પદ્યમાં છે અને ટીકા સંસ્કૃત ગદ્યમાં છે. મૂલની એકંદર ગાથાઓ ૧૫૯ છે. જેમાં પહેલા બે વિભાગને આવરી લેતી ગાથાઓ ૭૦ છે. ભાષા સંસ્કૃત છતાં રોચક, સરલ અને પ્રસન્ન છે. લોક પ્રમાણ
- આખા ગ્રંથનું સૂત્ર તેમ જ વૃત્તિસહિત અનુટુબમાં ગણતું શ્લેકપ્રમાણ ગ્રંથને અંતે ૧૪૬૦૨ આપેલું છે. તેને પહેલે ભાગ, કે જેમાં ગ્રહસ્થના સામાન્ય અને વિશેષ ધર્મસ્વરૂપ બે અવાન્તર વિભાગો છે. તેનું એકંદર શ્લેકપ્રમાણુ તે ભાગની વૃત્તિને અંતે ૯૪૨૩ નું લખેલું છે. આથી સમજી શકાશે કે- ગૃહસ્થધર્મને આશ્રીને ઉત્તર વિભાગ કરતાં મુલ ગાથાનું પ્રમાણ ઓછું રાખવા છતાં, ટીકાગ્રંથનું પ્રમાણુ ગ્રંથકારશ્રીએ દ્વિગુણથી પણ અધિક એવું ખાસું વિસ્તૃત બનાવેલું છે. વિષય નિરૂપણ - આ ગ્રંથનું વિષયનિરૂપણ સ્વરૂપદર્શક છે, તે પિતાની સાથે વાચકોને ઘણી ઘણી બાબતની માહિતી અને ઉપદેશ આપતું જાય છે. તે કયાંય પણ અપેક્તિ કે અધિક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org