________________
બીજા વિભાગમાં ગૃહસ્થને વિશેષ ધર્મ કહેવામાં આવ્યું છે, ત્રીજા વિભાગમાં સાપેક્ષ યતિ-સાધુધર્મ કહેવામાં આવ્યો છે અને ચોથા વિભાગમાં નિરપેક્ષ યતિધર્મ કહેવામાં આવ્યું છે. પ્રાણી માત્રને સુખની અભિલાષા સ્વાભાવિક રહેલી છે, પણ તેને અનાદિકાલીન જન્મ-મરણાદિક ફલ આપનારા કમરેગને એ તે પક્ષાઘાત લાગુ પડેલો છે કે-અભિલાષા સુખ મેળવવાની હોવા છતાં મેળવે છે દુઃખ જ. બેભાન, બીમાર અને મદોન્મત્ત આદમીની ચેષ્ટાઓ જગતમાં જેવી જણાય છે, તેવી ચેષ્ટાઓ કર્મના રેગથી ઘેરાયેલા સાંસારી આત્માઓની હોય છે. રેગને મીટાવવાની એકની એક જે રામબાણ દવા છે તેનું જ નામ ધર્મ છે. અનેક વસ્તુઓના સ્વભાવગત અનેક ધર્મો હોય છે, તેનું પરિશોધન કરીને આપણે તે ચેતન આત્માના સ્વભાવગત ધર્મને જ્યારે આચરતા થઈશું, ત્યારે જ મુક્તાત્માઓની નિરગ હવા ચાખી શકીશું. આ ગ્રંથમાં એવા ધર્મનું શુદ્ધ સ્વરૂપ અને તેને હાંસલ કરવાના ક્રમિક ઉપાયો–આ તમામનું ગ્રંથકારશ્રીએ ખૂબ વિસ્તારથી પ્રતિપાદન કર્યું છે. સામાન્ય ધર્મ
આ પહેલા વિભાગમાં ગૃહસ્થ “ન્યાયથી ધન ઉપાર્જન કરવું. વિગેરે પાંત્રીશ નિયમનું વર્ણન કરવામાં આવ્યું છે. દાર્શનિક કિવા આર્ય—અનાર્ય દૃષ્ટિએ પણ આ વાત માનવ માત્રના હિતની છે, એમ સિ કઈને કબૂલ કરવું પડે તેમ છે; અને એથી જ એ સોને માટે આદર કરી શકાય તે માનવતાના પાયાનો ધર્મ હોવાથી, તેને ગૃહસ્થના સામાન્ય ધર્મ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. વિશેષ ધર્મ
બીજા વિભાગમાં ગૃહસ્થને વિશેષ ધર્મ બતાવવામાં આવ્યો છે. એકડીયા અને બાળપિથી ભણતા બાળકે જેમ પહેલા ધોરણ વિગેરેમાં ક્રમે ક્રમે આગળ વધવાનું છે, તેમ સર્વોદયની પરાકાષ્ઠાને સિદ્ધ કરવા માટે ગૃહસ્થ સામાન્ય ધર્મ રૂપી બીજસેવનમાંથી વિશેષ ધર્મ રૂપી વિકાસક્રમમાં આગળ વધવું જોઈએ. આથી જ હવે ગૃહસ્થ, પ્રથમ પિતાની શ્રદ્ધાવૃત્તિને ઝોક જે અસત્ય-અસ્થિરતા-સંદિગ્ધતા-અણસમજ અને કદાગ્રહ આદિ કચરા તરફ વળેલું હતું, તેને સત્ય-સ્થિરતા-નિશ્ચય-સમજ અને સદાગ્રહ આદિ તરફ વાળો રહ્યો. આ રીતિએ શ્રી વીતરાગદેવ આદિની પ્રતીતિ કરીને, તેઓશ્રીની પૂજા-ભક્તિપૂર્વક “સ્કૂલથી હિંસાત્યાગ” આદિ વિશેષ વ્રતનું પરિશીલન પણ કરવું રહ્યું. આનું નામ છે ગૃહસ્થને વિશેષ ધર્મ. આ વિભાગમાં ગ્રંથકાર મહારાજે ગદષ્ટિઓનું, શ્રાવકનાં સમ્યકત્વમૂલક બાર વ્રતનું, તેમાં ન લગાડવા જોઈતા અતિચારનું, ગૃહસ્થ નિત્ય કરવા લાયક શ્રી જિનપૂજા આદિનું, દેવવંદન-પ્રતિક્રમણાદિ નિત્ય ક્રિયાનાં સૂત્રોનું તથા તેના અર્થોનું, ભક્ષ્યાભણ્યનું, દેવદ્રવ્યાદિક દાનવ્યવસ્થાનું, ગુરૂવન્દનનું સાંજ-સવારના પચ્ચખાણોનું, પર્વ—વાર્ષિક તથા જન્માદિ કૃત્યે વિગેરેનું ખૂબ ઝીણવટથી વર્ણન કરેલું છે. જગન્શાન્તિને ઉપાય
આજે જગતમાં અશાન્તિને માટે હુતાશન સળગી રહ્યો છે, તેનું કારણ છે મનુની સૈતિક લાલસા અને તદર્થે જીવાતું સ્પેરજીવન. આ ગ્રંથમાં ઉપર્યુક્ત વિશેષ ધર્મનું જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org