SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ [‰૦ સં૰ ભા૦ ૧-વિ૦ ટ્–ગા. ૨૨ કેમ ન લાગે? ઉત્તર-ત્રિવિધે ત્રિવિધે ત્યાગ કરનારને મિથ્યાત્વીના પરિચય, સંસગ વગેરે કરવું તે અતિચારરૂપ હોવાથી તેવા સ`સગ પણ તજવાને જ કહ્યો છે-તજવા જોઈ એ. પ્રશ્ન-ત્રિવિધ ત્રિવિધથી મિથ્યાત્વને તજનારા ગૃહસ્થ મિથ્યાત્વને સેવનારા પેાતાના કુટુંબીઓ, સંબંધી, સ્વજના વગેરેની સાથે રહેલા હાવાથી તેને સંસગ કેવી રીતે તજી શકે ? ઉત્તર-આરંભ કરનારાઓની સાથે રહેવાથી આરક્રિયા થવાના પ્રસંગ બલાત્કારે પણ આવે અને તેથી મિથ્યા ક્રિયામાં ‘સવાસ અનુમેદના ' લાગે, તે પણ મિથ્યાત્વ એ અધ્યવસાયરૂપ હાવાથી, મિથ્યા ક્રિયા કરનારની સાથે રહેવા છતાં તેના અધ્યવસાયા મિથ્યાત્વના પરિણામરૂપ ન થાય તે મિથ્યાત્વ ન લાગે. જો એમ ન માનીએ તે સાધુને પણ મિથ્યાત્વ સેવનારા ગૃહસ્થાની નિશ્રાને સભવ હાવાથી તેઓ પણ મિથ્યાત્વની સવાસ-અનુમાદનાથી બચી શકે નહિ. ] ( આરંભ કરનારાની સાથે રહેવા છતાં તે આરંભની સવાસ–અનુમોદના કેમ ન લાગે ? તેનું સમાધાન પૂ॰ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે શ્રાવકધર્મ વિધિપ્રકરણમાં ગા. ૩૫ થી ૪૪ સુધીમાં કર્યું છે તે ત્યાંથી સમજી લેવું.) જે કે તત્ત્વષ્ટિએ તે દેવાદને સુદેવાદ તરીકે માનવાથી તથા અધર્મને ધર્મની બુદ્ધિએ આરાધવાથી મિથ્યાત્વ કહ્યું છે, તે પણ આ લેાકના સુખને અર્થે પણ્ યક્ષ, યક્ષિણી વગેરે કુદેવાની આરાધના મુખ્યતયા તજવી જ હિતકર છે; કારણ કે—સુદેવપણાની બુદ્ધિ વિના પણ કરાતી કુદેવાદિની ઉપાસના, સ્તવના વગેરેને દેખીને ખીજા (જૈનો) તેમ કરતા થાય, એટલે મિથ્યાત્વની વૃદ્ધિ થાય—મિથ્યાદર્શનીઓ પણ પેાતાના મિથ્યા ધર્મમાં જૈનોના એવા સાથ જોઈને સ્થિર થાય અને તેથી આ લેાકમાં મિથ્યાત્વની વૃદ્ધિ અને પુષ્ટિ થાય તથા પરલાકમાં ધિ દુર્લભ થાય, અર્થાત્ સમકિતની પ્રાપ્તિ દુર્લભ થાય. કહ્યું છે કે " अन्नेसि सत्ताणं, मिच्छत्तं जो जणेइ मुढप्पा | સો તેળ નિમિત્તળ, ન દ્દફ યોન્હેિં નિળમિન્દિય । શ્ | ” (સંશ્લેષ૦, સમ્ય॰ ૪ર) ભાવા—જે મૂઢ આત્મા બીજા જીવાને મિથ્યાત્વમાં નિમિત્ત બને છે, તે તે કારણથી શ્રીજિનકથિતએાધિને-સમકિતને પામતા નથી. ” પ્રશ્ન-રાવણુ કે કૃષ્ણજી જેવાઓએ પણ તે તે કાળે મિથ્યાત્વનુ સેવન કર્યું' છે, તે વતમાનમાં તેને નિષેધ કેમ કરે છે ? ઉત્તર-રાવણ, કૃષ્ણજી વગેરેનુ આલંબન લેવુ' અનુચિત છે, કારણ કે—તે કાળે જૈનધર્મના મહિમા બીજા ધર્મો કરતાં અતિશય હતા, તેથી તે કાળે તેમનું જોઈને મિથ્યાત્વની વૃદ્ધિ થાય તેમ ન હતું. વર્તમાનકાળે તે સ્વભાવથી જ જીવોની (તેઓ પ્રાયઃ ભારેકમી હોવાથી, કાળની વિષમતા હાવાથી અને ચારિત્રમળ ક્ષીણ થવાથી ) મિથ્યાત્વની પ્રવૃત્તિ અટકાવી શકાય તેમ નથી. (તેમાં વળી મિથ્યાત્વનુ સેવન જોવાથી તે તેને ઘણુ જ ખળ મળે, માટે પૂર્ણાંકાલીન જીવાનુ આલંબન લઈને મિથ્યાત્વ સેવવું નહિ. ઉત્તમ પુરૂષ હંમેશાં ઉત્તમ આલમનના જ આશ્રય શેાધે છે, કારણ કે—આલંબન ચઢવા માટે લેવાનુ હાય છે, પડવા માટે ૯. પરમાત્મા શ્રીમહાવીરદેવને પણ મરીચિના ભવમાં પોતે સ્વીકારેલા ત્રિદંડીપણામાં ધબુદ્ધિ નહિ હોવા છતાં પઉંદરમા ભવ સુધી તે સસ્કારી ચાલુ રહ્યા. જ્યારે જ્યારે તેઓ મનુષ્યભવ પામ્યા ત્યારે ત્યારે ધરને છેડીને ત્રિમંડી બન્યા, જૈનસાધુપણું ન પામ્યા. એ રીતિએ સખ્યાતા સાગરોપમ સુધી તે સંસ્કારી નડયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy