________________
૧૦૬
[[ધ સં. ભા૧-વિ. ૨-ગા. ૨૨ એમ બે પ્રકારે છે અને તે બન્નેના પણ દેવવિષયક અને ગુરૂવિષયક એવા બે બે મળી ચાર પ્રકારે થાય છે. (અન્ય ગ્રંથમાં તે દેવ, ગુરૂ અને પર્વ—એ ત્રણેયના લૌકિક અને લકત્તર એમ બે બે ગણી કુલ છ પ્રકારે પણ કહ્યા છે.) તેનું સ્વરૂપ આ પ્રમાણે છે
૧. લેકિક દેવગત મિથ્યાત્વ-વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા વગેરે લૌકિક દેવને પૂજવાથી, પ્રણામ વગેરે કરવાથી અને તેઓના મંદિરમાં જવાથી લાગે છે. તે તે દેશમાં પ્રસિદ્ધ અનેક પ્રકારની પ્રવૃત્તિરૂપ આ લૌકિક દેવગત મિથ્યાત્વ સમજવું. અર્થાત્ ભિન્ન ભિન્ન દેશોમાં જુદા જુદા ધર્મવાળાઓના અનેક પ્રકારના દેવે હેય તથા તેની પૂજા વગેરેને પણ અનેક પ્રકારે હય, તે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવી, તે સઘળા લૌકિક દેવગત મિથ્યાત્વના પ્રકારે સમજવા.
૨, લૈકિક ગુરૂગત મિથ્યાત્વ-બ્રાહ્મણ, તાપસ, સંન્યાસી વગેરે લૌકિક ગુરૂઓને નમસ્કાર કરવે, તેઓને દંડવત પ્રણામ કર, તેઓની સામે “નમઃ રિવાજ' ઈત્યાદિ બોલવું, તેઓની ધર્મકથા સાંભળવી અને તે પ્રમાણે આચરણ કરવાદ્વારા તેઓનું કે તેઓની કથા-ઉપદેશનું બહુ માન કરવું વગેરે લૌકિક ગુરૂગત મિથ્યાત્વના પણ અનેક પ્રકારે જાણવા.
૩. લોકેત્તર દેવગત મિથ્યાત્વ–પરદશનીઓએ પિતાને કબજે કરેલી પિતાના દેવરૂપે માનેલી શ્રીજિનપ્રતિમાની પૂજા વગેરે કરવાથી, અથવા આ લોકના સુખના અર્થે જૈન તીર્થોની યાત્રાએ જવાની માન્યતા માનવાથી, વગેરે અનેકવિધ પ્રવૃત્તિ કરવાથી કેત્તર દેવગત મિથ્યાત્વ લાગે છે.
૪. લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ–પાસસ્થા, અવસગ્ન, વગેરે મુસાધુઓને ધર્મગુરૂરૂપ માનીને વન્દન વગેરે કરવાથી અને ગુરૂના સ્તૂપ (પગલાં) મૂર્તિઓ વગેરેની આ લેકના સુખને માટે યાત્રા, બાધા, માન્યતા વગેરે કરવાથી, વગેરે અનેકવિધ પ્રવૃત્તિથી કેત્તર ગુરૂગત મિથ્યાત્વ લાગે છે. (એમ ચારેય મિથ્યાત્વે ઘણા પ્રકારનાં હોઈ શકે તે સ્વયમેવ સમજી લેવું. ) દર્શનશુદ્ધિપ્રકરણના પાંચમા તત્વની ગાથા ૩૪-૩૫ માં કહ્યું છે કે
" दुविहं लोइअमिच्छं, देवगयं गुरुगयं मुणेयव्वं ।
છોકરાર રિ સુવિ, વાર્થ જેવા ? . ” "चउभेयं मिच्छत्तं, तिविहं तिविहेण जो विवज्जेइ ।
વર્ણવ સમજો, ફોઈ રસ પીવસ ૨ ” ભાવાર્થ-“લૌકિક મિથ્યાત્વ દેવગત અને ગુરૂગત એમ બે પ્રકારે તથા લોકોત્તર મિથ્યાત્વ પણ દેવગત અને ગુરૂગત એમ બે પ્રકારે જાણવું. (૧). જે આત્મા તે ચારેય મિથ્યાત્વેને ત્રિવિધ ત્રિવિધ તજે છે, તેને નિષ્કલંક શુદ્ધ સમકિત હોય (પ્રગટે) છે. (૨).” ત્રિવિધ ત્રિવિધ પ્રકારે ત્યાગ કેવી રીતિએ થાય? તે જણાવે છે.
" एअं अणंतरुत्तं, मिच्छं मणसा न चिंतइ करोमि ।
સામેલો વ ૩, અને ૪ વ યુદ્ધ કર્યા છે ?” " एवं वाया न भणइ, करेमि अन्नं च न भणइ करेह । अन्नकयं न पसंसइ, न कुणइ सयमेव कारणं ॥२॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org