SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪. [ ધ સં. ભા. ૧-વિ. ૨-ગા. ૨૨ દેખાતાં નથી.) માટે બહિરંગ લક્ષણના અભાવમાં પણ (લક્ષ્ય) પદાર્થ હોય તેમાં વિરોધ જેવું નથી.” શ્રીમદ્યશોવિજયજી ગણિવર પણ અધ્યાત્મમત પરીક્ષામાં જણાવે છે કે "जं च जीअलक्षणं तं, उवइटुं तत्थ लक्षणं लिङ्गं । તે વિષા સો ગુરૂ, ધૂળ વિના દુકા, ગ્ય છે ?” ( T૦ કર ) ભાવાર્થ-“જીવનું જે લક્ષણ જણાવ્યું, તે ત્યાં લક્ષણ એટલે લિંગ સમજવું. એથી જેમ ધુમ-લિંગ વિના પણ (લેઢાના ગેળામાં) અગ્નિ હોય, તેમ એ લિંગ વિના પણ જીવ હોઈ શકે છે.” એ પ્રમાણે સમકિતને ઓળખાવનાર “રાગ-રુચિ રૂ૫ લિંગ ન હોય, ત્યાં પણ (વીતરાગ) સમ્યકત્વ હેવામાં કાંઈ વાંધો નથી. (અર્થાત્ આ લક્ષણ વીતરાગસમ્યકત્વમાં નહિ ઘટવા છતાં લક્ષણરૂપે તે અસત્ય નથી.) વળી અહીં “ચ” એટલે લક્ષ્યરૂપે જે શુદ્ધ વીતરાગસમ્યકત્વ કહ્યું, તે તે નિર્મળ જ્ઞાન-દર્શન આદિ સકલ ગુણેમાં એક જ “રસસ્વરૂપ આત્માને શુદ્ધ પરિણામ” છે, કે જે માત્ર શુદ્ધ આત્માને પિતાના અનુભવથી જ ઓળખાય, બલીને કે લખીને ઓળખાવી શકાય તેમ નથી, માટે તેને “વ્યંગ્ય કહ્યું છે. પૂ૦ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ માત્ર ધર્મબીજને ઉદ્દેશીને પણ જણાવે છે કે " पायमणक्खेअमिणं, अणुहवगम्मं तु सुद्धभावाणं । મરવાર તિ શં, યુ સમેવ વિશ ” (૩vos, ૨૩૨ ) ભાવાર્થ_“પ્રાયઃ આ (ધર્મબીજ) શબ્દોથી કહી શકાય તેવું નથી, માત્ર શુદ્ધ ભાવવાળા જીને પિતાના અનુભવથી જ સમજાય તેવું, સંસારને અંત કરનાર હોવાથી (ચિંતામણુ વગેરેથી પણ) મહાન અને પંડિતપુરૂષને જ (આત્માનુભવથી) સ્વયં સમજાય તેવું છે.” વસ્તુ માત્ર વર્ણવી શકાય જ તેમ બનતું નથી. જેમ શેરડીનો રસ વગેરે કેટલીય સમાન વસ્તુઓના સ્વાદમાં ભિન્નતાને અનુભવ થવા છતાં તે ભેદ કહી શકાતું નથી, (કહેવા માટે શબ્દો નથી) તેમ આ ધમબીજને અનુભવ થવા છતાં તે કહી શકાય તેમ નથી. કહ્યું છે કે " ईक्षुक्षीरगुडादीनां, माधुर्यस्यान्तरं महत् । तथापि न तदाख्यातुं, सरस्वत्यापि पार्यते ॥१॥" ભાવાર્થ–“શેરડી, દુધ, ગોળ વગેરેની મીઠાશમાં મહાન અંતર હોવા છતાં સરસ્વતી પણ તે અંતરને કહી બતાવવા સમર્થ નથી.” એમ જે “ધર્મબીજ ? જેવું તત્વ પણ અવર્ણનીય–અનુભવગમ્ય છે, તે હજારો-લાખે જન્મ-મરણ થવા છતાં પણ જેની પ્રાપ્તિ દુર્લભ છે, જેનું ફળ મેક્ષ છે અને જે ચારિત્રના પ્રાણરૂપ છે; તે “સમ્યકત્વ”ની તે વાત જ શી કરવી? અર્થાત્ તેનું વર્ણન શબ્દોથી ન કરી શકાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. શુદ્ધ આત્મપરિણામરૂપ સમ્યકત્વને ઓળખવા માટે સ્વાનુભવ સિવાય બીજી કઈ યુક્તિઓ કે પ્રમાણે કામ લાગતાં નથી. આચારાંગસૂત્રમાં ( અધ્ય૦ ૫, ઉદેશે ૬, સૂત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy