________________
૧૦૨ *
ધo સંo ભા. ૨-વિતા ૨–ગા, ૨૨ અપેક્ષા રહી નથી, તેવા પરિણુત ચારિત્ર-ક્રિયાવંત મુનિઓને શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે “ત્ત ૩ ત્તિઓ” ત્તિ એ વચનથી “ચારિત્ર કાયા” એવું વિશેષણ આપ્યું છે, અર્થાત્ તેઓની કાયાને ય ચારિત્રરૂપ માની છે.
૯. સંક્ષેપસચિ—જે જીવને બૌદ્ધ, સાંખ્ય આદિ મિથ્યાદર્શનમાં આગ્રહ નથી, તેમ તે જૈનદર્શન પણ યથાર્થ સમજ્યો નથી, તેવા આત્માની માત્ર મોક્ષમાં રુચિ, તે “સંક્ષેપરુચિ –સમતિ છે. જેમ માત્ર “ઉપશમ–સંવર-વિવેક” એ ત્રણ પદ સાંભળતાં જ, જૈન તત્વનું જ્ઞાન ન લેવા છતાં ચિલાતીપુત્રને તેમાં રુચિ થઈ, તેમ વિશિષ્ટ જ્ઞાન વિના પણ મોક્ષતત્વની રુચિ થાય, તે
સંક્ષેપરુચિ–સમતિ કહેવાય છે. અહીં “મેક્ષિતત્વની અચિ” એ અંશને છેડીને “અન્ય દર્શન નમાં આગ્રહરહિતપણું અને જૈનદર્શનમાં જ્ઞાનરહિતપણું” એ બે વિશેષણ વાક્યને જ લક્ષણરૂપ માનીએ, તે મૂર્છા વગેરે દશાવાળા જીવમાં પણ એ ઘટી જાય અને તેથી મૂર્શિત આત્મામાં પણ આ સમકિતની સિદ્ધિ થઈ જાય, કે જે અઘટિત છે, માટે એ બે વિશેષણવંત છવની મેક્ષતત્વની રુચિને “સંક્ષેપરુચિ ’–સમકિત સમજવું.
૧૦. ધર્મચ-માત્ર “ધર્મ' શબ્દને સાંભળીને જ તેમાં પ્રીતિ થાય અને તેથી તે ધર્મ શબ્દનું વાસ્થ (ધર્મ શબ્દથી ઓળખાતું) જે “યથાર્થ ધર્મતત્વ” તેમાં રુચિ-શ્રદ્ધા પ્રગટે, તે “ધર્મચિ—સમક્તિ કહેવાય છે. કહ્યું છે કે
"जो अत्थिकायधम्म, सुयधम्म खलु चरित्तधम्म च।
સ૩ નિમિહિર્ષ, સૌ ધર્મ Tયો છે ? .” (પ્રથાર, ૨૬૦),
ભાવાર્થ-જે જીવ તે તે અસ્તિકાયને ધર્મ, એટલે ધર્માસ્તિકાયને ગતિસહાયતા, અધર્માસ્તિકાયને સ્થિતિસહાયકતા, વગેરે તે તે દ્રવ્યોના તે તે ધર્મોને, દ્વાદશાંગી વગેરે આગમરૂપ શ્રતને, તેમ જ સામાયિકાદિક ચારિત્રધર્મને-એમ શ્રીજિનેશ્વરએ ધર્મને જે જે રીતિએ વર્ણવ્યો છે, તે તે રીતિએ સહે-ચથાર્થ પણે માને, તેને “ધર્મરુચિ-સમ્યકત્વવાળો સમજે.”
[ ઉપાય અહીં એવું ન સમજવું કે-આ વ્યાખ્યા પ્રમાણે તે “ગ્રામ્યધર્મ' વગેરે શબ્દોનાં વાચ જે ગ્રામ્યકર્તવ્ય વગેરેની રુચિ પણ ધર્મરુચિમાં ગણશે ? કારણ કે–અહીં ઉપપદ (ધર્મ શબ્દની પહેલાં કોઈ વિશેષણ) વિનાને કેવળ “ધમ” શબ્દ સાંભળવાથી પ્રગટેલી ધર્મતત્વની શ્રદ્ધાને “ધર્મરુચિ’–સમકિત કહ્યું છે.
પ્રશ્ન-એમ તે ઉપર ધર્મ શબ્દની પૂર્વે જડેલાં “અસ્તિકાય, શ્રુત, ચારિત્ર વગેરે પદેથી વાચ અસ્તિકાય ધર્મ, શ્રતધર્મ, ચારિત્રધર્મ વગેરેની શ્રદ્ધાવાળાને ધર્મરુચિ-સમકિત કહ્યું છે, તે પ્રવચનસારે દ્વારનું લક્ષણ જ ખોટું કરશે; કારણ કે–તે દરેકમાં ઉપપદ છે.
ઉત્તર-તમારૂં કથન યુક્તિસંગત છતાં આશય સમજ્યા વિનાનું છે. અહીં “ઉપપદરહિત ધર્મ શબ્દનું વાચ” એમ જે કહ્યું, તેમાં “ધર્મ” શબ્દની પહેલાં કઈ જ ઉપપદ ન જ જોઈએ એમ નહિ, પણ વાસ્તવધર્મમાં જેને સમાવેશ ન થાય તેવું ધર્મબાધક વિશેષણ (ઉપપદ) ન જોઈએ. ગ્રામ્યધર્મ વગેરે વાસ્તવધર્મરૂપ નથી, માટે તેવા ઉપપદરહિત “ધમ શબ્દથી વાચ’ એમ સમજવાનું છે; ચારિત્રધર્મ–કૃતધર્મ–દાનધર્મ–તપધમ–ભાવધર્મ વગેરે બધાય ધ વાસ્તવ ધમનાં અંગો હોવાથી તેવાં ઉપપદે હોય તેને વિષેધ નથી. માત્ર જે વાસ્તવધર્મમાં ન ઘટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org