SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ [ ધo સં૦ ભા૦ ૧-વિ૦ ૨–ગા. ૨૨ ભાવાર્થ –“ગુરુપરતંત્રતા જ જ્ઞાન અને શ્રદ્ધા છે, કારણ કે-ગુરૂઆજ્ઞાનું પાલન એ જ જ્ઞાનનું ફળ છે, એ જ જ્ઞાનની સફળતા છે શ્રદ્ધા પણ તેવા જ્ઞાનની સહચરી છે, માટે જ વિશિષ્ટ જ્ઞાન વિનાના (અતિ જડ) માષતુષ વગેરેને તેઓ ગુરુને સમર્પિત થયેલા હોવાથી જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર ત્રણેય કહ્યાં છે. વાસ્તવમાં તે જીવ ગુરુઆજ્ઞાનું પાલક હોવાથી ગુરુના જ્ઞાનદર્શનનું ફળ તેને મળે જ છે.” અર્થા–જે જ્ઞાનરહિત જીવ પણ ગુરુ આજ્ઞામાં વિશ્વાસ રાખી તેમના વચનને અનુસરે, તે તેને જ્ઞાન અને દર્શન પ્રગટે છે, એમ કેવળ આજ્ઞાની રુચિથી અનુષ્ઠાન કરનારા જીવમાં પણ પરિણામે તે વિષયનું જ્ઞાન–શ્રદ્ધા પ્રગટે છે, માટે તેને આજ્ઞારુચિ-સમ્યકત્વ કહ્યું છે. અહીં દેશથી રાગ-દ્વેષમુક્ત છદ્મસ્થ ગુરુનું વચન પણ સર્વથા રાગ-દ્વેષમુક્ત થયેલા કેવલી ભગવાનના વચનને અનુસારે હોય છે, જેથી તેમાં પણ અપ્રમાણિકપણાની શંકા થવાનું કારણ નહિ હોવાથી તે દરેક વિષયમાં સત્યની રુચિ કરાવનારૂં બને છે, માટે ગુરુ આજ્ઞાને અનુસરનારા આત્મામાં ગુઆનાથી તે તે અનુષ્ઠાનની જે રુચિ પ્રગટે, તે “આજ્ઞારુચિ –સમ્યકત્વ સમજવું. ૪. સચિ -સૂત્રોને ભણવાને પુનઃ પુનઃ અભ્યાસ કરવાથી પ્રગટ થતા જ્ઞાન દ્વારા ગોવિંદાચાર્યની જેમ જીવમાં જીવાજીવાદિ પદાર્થોના યથાર્થપણાની શ્રદ્ધા પ્રગટે, તે “સૂત્રરુચિ – સમકિત સમજવું. વારંવાર એક પદાર્થનું સ્મરણ કરવાથી તેના સંસ્કારે દઢ બને, તેમ વારંવાર અધ્યયન-પઠન-પાઠન કરવાથી જ્ઞાન પણ સંશયરહિત દઢ બને છે. આવી સૂત્રજ્ઞાનથી પ્રગટેલી દઢ રુચિને “સૂત્રરુચિ-સમક્તિ કહેવાય. ૫. બીજસંચિ-જીવાદિ કઈ એક તત્વની શ્રદ્ધાથી તેના અનુસંધાનરૂપે અનેક તર્વેમાં અને તેના અર્થોમાં ઉત્તરોત્તર શ્રદ્ધાને વિસ્તાર થાય, અર્થાત્ પાણીમાં પડેલું તેલનું ટીપું જેમ સ્વયં ફેલાઈ જાય, તેમ એક પદમાં રુચિવાળા જીવને સ્વયં ઉત્તરોત્તર અનેક પદોની અને તેના અર્થોની રુચિ વધતી જાય, તે “બીજરુચિ–સમ્યકત્વ સમજવું. ૬. અભિગમરુચિ–સકલ આગમસૂત્રના અર્થો વિષે રુચિ તે “અભિગમરુચિ' કહેવાય. એટલે કે સકલ આગમસૂત્રના અર્થોના જ્ઞાતાની અર્થજ્ઞાન દ્વારા થયેલી શ્રદ્ધાને “અભિગમરુચિ – સમ્યક્ત્વ કહ્યું છે. કહ્યું છે કે" सो होइ अभिगमरुई, सुअनाणं जस्स अत्थओ दिहूँ। સા , પન્ન વિદિવાળો જ છે ? ” (પ્રવેવનરાવો, ૨૬૬) ભાવાર્થ–“પ્રકીર્ણક એટલે ઉત્તરાધ્યયન વગેરે સૂત્ર, દષ્ટિવાદ, સઘળાં ઉપાંગો તથા અગીઆર અંગે; અર્થાત અ, ઉપાંગે અને પ્રકીર્ણક વગેરે સકલ આગમને જેણે અર્થથી જાણ્યાં છે, તે “અભિગમરુચિ” સમકિતવાળે છે.” અહીં એ પ્રશ્ન થાય કે-ઉપર કહ્યા પ્રમાણે તે સૂત્રરુચિ અને અભિગમરુચિ બનેને એક જ અર્થ થયે, એટલું જ નહિ પણ સમાધાનમાં કેઈ એમ કહે કે–અભિગમરુચિ એટલે અર્થ યુક્ત સૂત્રવિષયક રુચિ અને સૂત્રરુચિ એટલે કેવળ સૂત્રવિષયક રુચિ-એમ બન્ને જુદાં છે, તે તે પણ ઘટતું નથી, કારણ કે-કેવળ સૂત્ર તે મૂક (મુંગું) છે, માત્ર સૂત્રની રુચિ તે પ્રમાણભૂત મનાતી નથી. કહ્યું છે કે- મૂગાં વહે પુત્ત’ (ઉપદેશપદ-ગા. ૮૫૬ નું પાદ) “કેવલ સૂત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy