SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ [ધ સં૰ ભા૦ ૧-વિ૦ ર્ગા. ૨૨ (એ રીતિએ એક સમાધાન કર્યું. વળી ખીજી રીતિએ એ જ પ્રશ્નનુ સમાધાન કરે છે કે~) અથવા · જ્ઞાનવિમય' લક્ષણ ભિન્ન ભિન્ન નયથી આ પ્રમાણે સમજવું. જ્ઞાનપ્રધાન નયના અભિપ્રાય · વિશિષ્ટ જ્ઞાનદશાને ' નિશ્ચયસમ્યકૃત્વ અને ક્રિયાપ્રધાન નયના અભિપ્રાયે ‘ ભાવચારિત્રને ’ નિશ્ચયસમ્યક્ત્વ જાણવું, અને દનપ્રધાન નયના અભિપ્રાયે તે સ્વતંત્રરૂપે શ્રીજિનકથિત તત્ત્વામાં યથાર્થ પણાની શ્રદ્ધારૂપે) વ્યવસ્થિત છે જ. આ રીતિએ ભિન્ન ભિન્ન નયાના અભિપ્રાયે નિશ્ચયસમકિતનું સ્વરૂપ ભિન્ન ભિન્નરૂપે છે, છતાં આત્માના શુદ્ધ પરિણામને જ (તત્ત્વ) માનનારા નિશ્ચયનયની અપેક્ષાએ તા ૯૮ “ આત્મવર્શન-જ્ઞાન-પારિત્રાળથવા તેઃ । યત્તાત્મજ વૈષ, શરીરતિતિ || શું ! ” ( થોળશાસ્ત્ર, પ્રારા ઇ-{ ) ભાવાથ –“ગુણુ-ગુણીના અભેદ માનવાની અપેક્ષાએ સાધુના આત્મા એ જ ( નિરુપાધિક શુદ્ધ પ્રકાશરૂપ હેાવાથી) જ્ઞાનરૂપ છે, આત્મા જ ( શ્રદ્ધા કરનાર હાવાથી ) દનરૂપ છે અને આત્મા જ ( સ્વભાવને આચરનાર-સ્વરૂપમાં રમણ કરનાર) હાવાથી ચારિત્રરૂપ છે, કારણ કેજ્ઞાન-દન-ચારિત્રરૂપે જ આત્મા શરીરમાં રહેલા છે. (નિશ્ચયનયે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ઉપકાર કરતું નથી, માટે આત્માથી દશનાદિને એકાન્ત જુદાં માનતાં તે આત્માની મુક્તિ ન કરી શકે. ) આ રીતિએ ‘શુદ્ધ આત્મજ્ઞાનપૂર્વક આત્મસ્વરૂપની રમણતામાં તૃપ્તિ' એ જ નિશ્ચય-સમ્યત્વ સમજવું. એમ દ્રવ્ય-ભાવથી અને વ્યવહાર–નિશ્ચયથી સમ્યક્ત્વનું દ્વિવિધપણું જણાવીને, હવે સમ્યક્ત્વના ત્રણ પ્રકારા કયી કયી રીતિએ છે તે જણાવે છે. "9 ક્ષાયિક, ક્ષાયેાપશમિક અને ઔપશમિક–એમ ત્રણ પ્રકારે સમ્યક્ત્વ છે, અહી સાસ્વાદનની વિવક્ષા નહિ કરવાથી અને વેદકને ક્ષાચેાપમિકમાં ગણી લેવાથી (પૂર્વ ખતાવેલા પાંચ પ્રકાશ તે જ) ત્રણ પ્રકારે છે; આ ત્રણેય પ્રકારનુ સ્વરૂપ (પૃ૦ ૮૦ થી ૮૬ માં) કહેવાઈ ગયુ છે તે પ્રમાણે સમજી લેવું; અથવા ા કારક, રાચક અને દીપક-એમ પણ ત્રણ પ્રકારો છે. તેનુ સ્વરૂપ આ પ્રમાણે છે " ૧. કારક-સૂત્ર-જિન આજ્ઞાના અનુસારે થતી શુદ્ધ ક્રિયા ’ તે કારક-સમ્યક્ત્વ સમજવું, કારણ કે– ( ક્રિયા કરનારની ) આવી ક્રિયાને જોવાથી અન્ય જીવાને સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એ રીતિએ ખીજાને સમકિતનું કારણ હાવાથી ક્રિયા સમ્યક્ત્વરૂપ છે: અથવા બીજી વ્યાખ્યા— આવી ‘ ક્રિયાથી વ્યાપ્ત ( અવચ્છિન્ન ) સમ્યક્ત્વ 'ને કારક કહેલું છે, એટલે કે-ક્રિયામાં કારણુ(પ્રેરક)રૂપે ક્રિયાની સાથે કર્તામાં રહેલું હાય, તે કારક–સમ્યક્ત્વ છે. વિશુદ્ધ ચારિત્રવત જીવાને જ તે હાઈ શકે એમ સમજવું. ૬. રાચક-સમ્યક્ ક્રિયામાં રૂચિ-પ્રીતિ માત્ર કરાવે પણ ક્રિયા ન કરાવે, તે રોચકસમ્યક્ત્વ કહેવાય. અવિરત–સમક્તિદૃષ્ટિ શ્રેણિક મહારાજ, કૃષ્ણ મહારાજ વગેરેનુ` રોચકસમ્યક્ત્વ સમજવું. ૩. દીપક-જેમ દીવેા પરતે પ્રકાશ કરે છે, તેમ અંગારમકાચાય વગેરેની જેમ ઉપ દેશક પોતે અભવ્ય યા મિથ્યાદષ્ટિ ( સમકિત વગરને ) હોવા છતાં તેના ઉપદેશથી બીજા જીવાને જીવ—અજીવાદિ પદાર્થો ચથા સમજાય; તેવા મિથ્યાત્વીના શુદ્ધ ઉપદેશ ખીજાને સમકિતનું કારણ હાવાથી તે ઉપદેશને દીપકસતિ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy