SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ = પ્ર૧-સમ્યકત્વના બે બે પ્રકારે ]. ભાવસમકિતરૂપ કાર્યનું કારણ તે દ્રવ્યસમકિત” સમજવું. આથી એ નક્કી થયું કે જેઓની સામાન્ય તત્વરૂચિ પણ “આ આમ જ છે–એવા એકાન્ત આગ્રહવાળી હોય અને તેથી જેઓ એઘથી પણ અનેકાન્તને (એટલે કથંચિત અન્યથા પણ છે એમ) માને નહિ, તેઓની સામાન્યરૂચિ ભાવસમકિતનું કારણ નહિ હોવાથી તેઓના દ્રવ્યસમકિતમાંનો “દ્રવ્ય’ શબ્દ “કારણ અર્થમાં નહિ પણ “કુત્સિત-અપ્રધાન અર્થમાં છે, (અર્થાત્ તત્વની સામાન્યરૂચિ પણ એકાન્તવાદના દુરાગ્રહવાળી હોય, તે તે ભાવસંમતિમાં કારણ નહિ હોવાથી તે દ્રવ્યસમતિ નથી, પણ અશુદ્ધ રુચિરૂપ અસદાગ્રહ છે.) કારણ કે-શ્રી જિનાગમકથિત વચનને પણ જે અનેકાન્તને બદલે એકાન્તરૂપે જ સ્વીકારે છે તે જીવનું મિથ્યાત્વ ગયું મનાતું નથી. (અર્થાત્ તે મિથ્યાત્વી છે.) શ્રીમાન્ સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજ કહે છે કે “જિક વિજિન્નાહ, સદભાળ ન રદ માવા I. દૃદ્ધિ વધે, સદા હર વિમર પા ” (સમિતિત, ૦ ૩–૨૮) ભાવાર્થ–“જીવ છ જ નિકાય છે–એમ માનનારે પરમાર્થથી શ્રદ્ધાળુ નથી, કારણ કે-છની સાથે “જ'કાર અન્ય અપેક્ષાઓનો બાધક છે, એથી સર્વ અપેક્ષાએ “જીવ નિકાય છ જ પ્રકારે છે” એ અર્થ કરતાં અનેકાનંતતાનું ખંડન અને એકાન્તતાનું મંડન થયું, માટે “ચૈતન્યની અપેક્ષાએ (ચૈતન્ય સર્વ જીવોમાં વ્યાપક હોવાથી) સર્વ જીવોને એક પ્રકાર પણ છે” વગેરે પણ માનવું જોઈએ. વળી “હિંસામાં અધર્મ છે” એ પણ એકાન્તતાથી નહિ, કારણ કે-અપ્રમત્ત મુનિથી થયેલી પણ હિંસાને અહિંસા અને પ્રમત્તથી હિંસા નહિ થવા છતાં પણ હિંસા કહી છે તે અસત્ય ઠરે. એ રીતે જે પદાર્થમાં વર્તમાનમાં અગ્નિ આદિ પર્યા નથી તેમાં પણ ભૂત-ભવિ. ષ્યની અપેક્ષાએ તે તે પર્યાયે માનવા જોઈએ; આ સત્યને છોડીને દ્રવ્યસમ્યકત્વવાળે સામાન્યરૂચિ છતાં જે અનેકાન્તને બદલે એકાન્તવાદને પકડે તે તે મિથ્યારૂચિ કહેવાય એમ સમજવું.” ' અર્થા-શ્રીજિનેશ્વરદેવકથિત તત્ત્વોનું તથાવિધ નય-નિક્ષેપાદિ પૂર્વકનું અનેકાન્તિક જ્ઞાન ન હોય, તે પણ જેને શ્રીજિનકથિત હોવાથી તેમાં યથાર્થપણાની રૂચિ હોય અને જ્ઞાની–ગીતાર્થ તેની ભૂલને સુધરાવી શકે તેવી ગ્યતા–સરળતા હોવાથી જે વિપરીત અભિનિવેશ-દુરાગ્રહવાળો ન હોય, તેવા જીવને પિતાના અજ્ઞાનથી અથવા ગુરૂના વચનમાં શ્રદ્ધાથી વિપરીત સંભાવના (બંધ) થાય, તે પણ તેની અંતરશુદ્ધિ (વસ્તુને યથાર્થ સ્વીકારવાની શુદ્ધ બુદ્ધિ) હેવાથી તેનું દ્રવ્યસમ્યકત્વ કહી શકાય છે. શ્રીભદ્રબાહુસ્વામી મહારાજ કહે છે કે " सम्मद्दिट्ठिजीवो, उवइट्ठ पवयणं तु सद्दहइ । સફરમાવું, ગળામા પુનિશા વા III” ( સત્તનિર્યુ, ૨૨) . ભાવાર્થ_“સમકિતદષ્ટિ જીવ ઉપદેશથી સાંભળેલા પ્રવચનને (શાસ્ત્રને) સત્યરૂપે માને, તેમાં કદાચ અનાગથી કે ગુરૂપારતવ્યને લીધે અસત્યને પણ સત્યપણે માનવાનું બને. અર્થાત્, સાચાપણુની શ્રદ્ધા છતાં પિતાના અજ્ઞાનથી કે છદ્મસ્થ ગુરૂના વચનમાં વિશ્વાસ હોવાથી ખોટાને પણ સાચું માનવાને સંભવ રહે.” (એટલા માત્રથી તે મિથ્યાત્વી મનાતું નથી.) અહીં એ પ્રશ્ન સંભવિત છે કે-શ્રીભદ્રબાહુસ્વામી મહારાજના ઉક્ત વચનમાં દ્રવ્ય કે ભાવએ બંનેમાંથી એક પણ વિશેષણને ઉલ્લેખ નથી, માત્ર “સમકિતદષ્ટિ જીવ” પાઠ છે, તે તેને અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy