SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ બ૦ ૧-સમ્યકત્વપ્રાપ્તિનું સ્વરૂપ ] “હિં તે ગુસ્સો, મુસાદુળ નિગમથે ઘા इच्चाइ सुहो भावो, सम्मत्तं बिति जगगुरूणो ॥१॥" (संबोधप्र०, सम्यक्त्वाघि० ३४) ભાવાર્થ-“અરિહંત એ દેવ, સુસાધુ એ ગુરૂ અને જિનમત એ જ પ્રામાણિક-સત્ય, ઈત્યાદિ જે આત્માને શુભ ભાવ, તેને શ્રીજિનેશ્વરદેવે સમ્યક્ત્વ કહે છે.” આ શાસ્ત્રકથનની સાથે પૂર્વે કરેલી વ્યાખ્યા “ તત્વાર્થમાં શ્રદ્ધા એ સમ્યકત્વ”એને વિરોધ કેમ નહિ આવે? અર્થાત બને વ્યાખ્યાઓ પરસ્પર કેમ ઘટશે? આના સમાધાનમાં ગ્રંથકારમહર્ષિ જણાવે છે કે આ પ્રશ્ન અઘટિત છે, કારણ કે અહીં “શ્રી જિનકથિત તમાં રૂચિ-શ્રદ્ધા” એવું જે સમ્યકત્વનું લક્ષણ જણાવ્યું તે સાધુ-શ્રાવક ઉભય સંબંધી સાધારણ છે અને તમે જે બીજા ગ્રંથની “અરિહંત દેવ-સુસાધુ ગુરૂ” વગેરે સમ્યક્ત્વની વ્યાખ્યા કહી તે મુખ્યતયા ગૃહસ્થને-શ્રાવકને ઉદ્દેશીને છે. અર્થાત્ શ્રાવકને શ્રીઅહિરંતદેવ પ્રત્યે પૂજ્યભાવ, ગુરૂવર્ગ પ્રત્યે સેવા-ભક્તિના પરિણામ અને ધર્મતત્વ પ્રત્યે અનુઠેય ભાવ એટલે તે તે વર્તન-ક્રિયા કરવાના પરિણામ; તેને દેવ, ગુરૂ અને ધર્મ ત્રણ તની પ્રાપ્તિરૂપ સમ્યકત્વ કહ્યું છે, આ એક વાતઃ બીજી રીતિએ તેમાં પણ દેવ અને ગુરૂતને જીવતત્વમાં અને ધર્મતત્ત્વને (તે શુભ કર્મનું ઉપાર્જન અને અશુભ કર્મને રોકનાર હોવાથી) શુભ આશ્રવ તત્ત્વમાં તથા સંવર તત્વમાં સમાવેશ થાય છે, એમ વિચારતાં અને વ્યાખ્યાઓમાં જરાય વિરોધ રહેતું નથી. આ સમ્યકત્વ શ્રીઅરિહંત ભગવંતે કહેલા ધર્મનું મૂળ છે, કારણ કે–આગળ આ ગ્રંથમાં જ પહેલા વ્રતના અધિકારમાં દ્વિવિધ, ત્રિવિધ વગેરે ભાંગાથી ગ્રહણ કરાતાં શ્રાવકનાં બાર વતે, કે જે સમ્યકત્વરૂપ મૂળની “પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપે બે શાખાઓરૂપ છે, એમ કહી તે બાર વ્રતને આશ્રયીને ૧૩૮૪૧૨૮૭૨૦૨ ભાંગા કહેવામાં આવશે, તેમાં એક પણું ભાંગે આ સમતિ વિના ટકી શકતા નથી, અર્થાત્ સમ્યક્ત્વના યેગે જ તે ભાંગાઓ બની શકે છે, એટલે સમ્યકત્વ એ ધર્મનું મૂળ છે એ કથન સત્ય છે. આ કારણથી જ આગળ (સમ્યકત્વ એ ધર્મવૃક્ષનું મૂળ છે—ધર્મપ્રસાદનું દ્વાર છે” વગેરે (છ ભાવનાઓ) કહેવાશે તે પણ યુક્તિયુક્ત જ છે. આ સમ્યકત્વનું ફળ શાસ્ત્રકારો જણાવે છે કે " अंतोमुहूत्तमित्तंपि, फासिय हुज्ज जेहिं सम्मत्तं । તે કવરપુરિઝોર (સેલ) સંસાર શા” (સંયોજકo, નવાધિક ૨૪) ભાવાર્થ-“આ સમ્યકત્વગુણને જેઓને માત્ર અંતર્મુહૂર્ત એટલે કાળ પણ સ્પર્શ થાય, તે આત્માઓને નિશ્ચયથી વધારેમાં વધારે અર્ધપગલપરાવર્તકાળ એટલે જ સંસાર બાકી રહે છે, તેટલા કાળમાં નિયમ તેને મોક્ષ થાય છે.” અને તેટલા કાળ સુધીમાં પણ " सम्मदिट्ठी जीवो, गच्छइ नियमा विमाणवासीसु ।। जइ न विगयसम्मत्तो, अहव न बद्धाउओ पुचि ॥ १॥" "जं सक्कइ तं कीरइ, जं च न सक्कइ तयंमि सद्दहणा । સમાળ નીવો, વરસથરા રાજ રા” (સંવપકo, સખ્ય અધિo ૨-૨૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy