________________
૭૫
ધર્મપ્રાપ્તિ માટે જીવની યોગ્યતા ]
મૂળને અર્થ—એ પ્રમાણે દેશના શ્રવણથી તત્વને જાણ–સંવેગી અને પુન્યશાળી મનુષ્ય, ધમની ઈચ્છાવાળે બની પોતાની શક્તિ પ્રમાણે દઢ વિચાર કરીને ધર્મ ગ્રહણ કરે છે.
ટીકાને ભાવા–ઉપર જણાવેલા વિધિ પ્રમાણે ધર્મશ્રવણ કરવાથી તત્ત્વની શ્રદ્ધામાં બાધક મિથ્યાત્વરૂપી મેલ જેને દૂર થયે છે, તેથી તેનું જ્ઞાન, એટલે હથેળીમાં રહેલા ગળ મોટા આમળા કે મોતીની જેમ જીવ-અજીવ વગેરે સકળ વસ્તુતત્વનું જેને શાસ્ત્રરૂપી ચક્ષુદ્વારા જ્ઞાન થયું છે અને તેથી “સંગી” એટલે (જેનું સ્વરૂપ પૃ. ૪૧ થી જણાવ્યું તે) સંવેગ ગુણ જેનામાં પ્રગટ થયું છે, એવે તે ધર્મ કરવાની ઈચ્છાવાળો શ્રોતા “ઢ” એટલે અતિ સૂક્ષ્મ-નિપુણ બુદ્ધિથી વિચારીને ધર્મ કરવામાં હેતુભૂત-સહાયક એવા પિતાના સામર્થ્યને અનુસારે ધર્મને સુંદર રીતિએ શહુણુ કરે, અર્થાત્ (વિ. ૨ જાના બીજા પ્રકરણની શરૂઆતમાં કહેવાશે તે) ગ-વન્દન-નિમિત્તો વગેરેની શુદ્ધિ સાચવવારૂપ વિધિપૂર્વક ધર્મ સ્વીકારવાની પ્રવૃત્તિ કરે.
સુમ વિચાર કે પાલન કરવાના પરિણામ, સાગાદિનું બળ વિચાર્યા વિના ન્યૂન કે અધિક ધર્મ કરવામાં આખરે ભંગ થવાને અને તેથી ઊલટો અનર્થ થવાને પણ સંભવ છે, માટે દીર્ઘ વિચારથી તેનું પાલન કરવાની શક્તિનું માપ કાઢી ધર્મપ્રવૃત્તિ કરે–એમ સૂચવ્યું છે. અર્થપત્તિએ ધીમે ધીમે અંગીકાર કરેલા ધર્મનું સમ્યફ પાલન કરતાં રૂચિ-શક્તિ વધતાં જાય છે અને ઉત્તરત્તર વધુ ધર્મારાધન કરી શકાય છે. (આ વચન અવિચારીત કાર્યના નિષેધની અપેક્ષાવાળું સમજવું. અન્યથા સાહસગુણ નિરાધાર બને.)
ગૃહસ્થના સામાન્ય ધર્મનું વર્ણન કરીને, ગૃહસ્થના વિશેષ ધર્મને ગ્રહણ કરવા માટે જીવની યોગ્યતા કેવી હોવી જોઈએ તે ઉપર પ્રમાણે બતાવ્યું. ધર્મરત્નપ્રકરણ, શ્રાદ્ધવિધિપ્રકરણ આદિ ગ્રંથમાં એકવીશ ગુણોથી યુક્ત હોય તે ધર્મગ્રહણ માટે એગ્ય છે, એમ જણાવીને તે એકવીશ ગુણ આ પ્રમાણે બતાવ્યા છે—
“ धम्मरयणस्य जुग्गो, अखुद्दो रूबर्व पगइसोमो ।
સોષિકો ફ્રો, ઔદ નો સુવિal ? ” " लज्जालुओ दयालू, मज्जत्थो सोमदिट्टि गुणरागी।
૧૩ ૧ सकह सुपक्खजुत्तो, सुदीहदंसी विसेसन्नू ॥ २ ॥" " वुड्ढाणुगो विणीओ, कयण्णुओ परहिअत्थकारी थे।
तह चेव लद्वलक्खो, इगवीसगुणेहिं संपन्नो ( संजुत्तो) ॥३॥" " पायद्धगुण विहीणा, एएसि मज्झिमाऽवरा नेया।
રૂત્તો હ, દિપાવા પડ્યા છે જ છે.” (ધર્મરત્ના પ-૬-૭-૩૦) ભાવાર્થ—અહીં પણ ગુણનું વર્ણન કરવા માટે ગુણને નિર્દેશ કર્યો છે, તે પૂર્વની જેમ ગુણ-ગુણીને અભેદ સંબંધ જણાવવા માટે છે, એમ સમજવું. તેમાં–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org