SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદેશના દેવાના વિધિ–ક્રમ ] હા (અ) વરખેાધિની પ્રાપ્તિનાં પાંચ કારણેા-વિશિષ્ટ સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ એધિલાભ, તેનાં કારણભૂત ‘ તથાભવ્યત્વ' વગેરે પાંચ ભાવાના યોગ થવાથી થાય છે, તે પાંચ ભાવાનું સ્વરૂપ આ પ્રમાણે છે. ( ૦ ૨-૬૯) ' (૧) ‘ તથાભવ્યત્વ –ભવ્યત્વ એટલે આત્મામાં રહેલી મેાક્ષપ્રાપ્તિની સ્વાભાવિક ચાગ્યતા. આ ચાગ્યતા આત્માનું મૂળ તત્ત્વ હાવાથી તે પણ આત્માની જેમ અનાદિકાળથી હાય છે. એ ભવ્યત્વ જ તેમાં જ્યારે બાકીનાં કાલ, નિયતિ આદિ ચાર કારણેાના ચેાગ મળી જાય છે, ત્યારે ભવ્યત્વને ખદલે તથાભવ્યત્વ કહેવાય છે. તથાભવ્યત્વ કહેવામાં કારણ એ છે કે--બીજાં સહકારી કારણેાના ચેાગે જીવમાં પૂર્વોક્ત ધખીજોની સિદ્ધિ થાય છે. આ બીજોની ( જેનું વર્ણન ધર્મશ્રવણની ચૈાગ્યતાના વિષયમાં પૃ૦ ૩૬ માં કહેવાઈ ગયુ છે તેની ) પ્રાપ્તિથી કાળ વગેરે સહકારી કારણેાની વિચિત્રતાને લીધે મૂળ ભવ્યત્વ અનેક ભેદવાળું બની જાય છે. કેાઈ જીવના ભવ્યત્વ સાથે જ્યારે કાળ, નિયતિ, કમ વગેરે અમુક પ્રકારનાં ભળે, ત્યારે કાઈ ખીજા જીવના ભવ્યત્વ સાથે તે કાળ વગેરે તેથી અમુક જુદા પ્રકારનાં ભળે, એમ ભિન્ન ભિન્ન પ્રકારનાં કાળ, નિયતિ, કમ અને પુરુષાર્થના યાગ થવાથી તે તે જીવાનુ` ભવ્યત્વ પણ ભિન્ન ભિન્ન અનેક પ્રકારનુ ખને, માટે જ તેને તથાભવ્યત્વ કહેવાય છે.પ૯ (૨) ‘કાળ ’-જેમ વસન્તૠતૃ આદિ કાળ તે તે વનસ્પતિ ઉપર ફળે આવવામાં કારણભૂત અને છે, તેમ અહીં જીવના ભવ્યત્વ(રૂપ વૃક્ષ)ને મોક્ષરૂપ' ફળવાળું બનાવનારા જે ચરમાવત કાળ, ચરમાવતકાળમાંની કોઈ વિશિષ્ટ ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ કાળ, કવા ઉત્સર્પિણી—અવસર્પિણીમાંના મેક્ષપ્રાપ્તિના હેતુરૂપ દુઃખમ-સુષમાદિ આરો, તે વગેરે કાળ સમજવા. જ્યારે ભવ્યત્વમાં આવે માક્ષગમનયેાગ્ય કાળના યાગ ભળે છે, ત્યારે તે ‘તથાભવ્યત્વ’ ખની માક્ષરૂપ ફળ આપે છે સફળ બને છે. : ' (૩) • નિયતિ ( ભવિતવ્યતા ) ’–ભવ્યત્વ અને કાળના યાગ થયા પછી પણ · ન્યૂનાધિકતા વિના નિયત પ્રવૃત્તિ કરાવનારી નિયતિ’ નામનું ત્રીજું કારણ મળે ત્યારે, બનેલી તે ભવ્ય જીવની તથાભવ્યતારૂપ ભવિતવ્યતાનુ" જેવું સ્વરૂપ હાય તદ્દનુરૂપ જ આત્માના પ્રયત્ન થાય જ અને તેનાથી તે આત્માના મેાક્ષ થાય. (૪) ‘ કમ ’જે કર્માંના રસ વગેરેની અશુભતામાં આછાશ થતી જાય, જેના ઉદયથી જુદા જુદા શુભાશયા( અધ્યવસાયે )ના અનુભવ થતા જાય અને જેને ભાગવતાં ઉત્તરાત્તર શુભ કર્મ બંધાતું જાય તેવું કર્યું; અર્થાત્-અશુભ કર્મોની ક્ષીણતા અને શુભ કર્મોની વૃદ્ધિ થાય તેવા કમને ચાગ થતા રહે. આથી પણ જીવનું' ભવ્યત્વ તથાભવ્યત્વરૂપે પરિણામ પામી મેાક્ષફળ આપે છે. ૫૯. જેમ એક જ પ્રકારના દૂધમાં સાકર, બદામ, એલચી વગેરે ન્યૂનાધિક ભળવાથી તેની પાષકશક્તિમાં ભેો પડે છે, તેમ ભવ્યત્વમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં કાળાદિ ભળવાથી જુદા જુદા છવેને આશ્રીને મેક્ષિપ્રાપ્તિરૂપ કા સિદ્ધિમાં યાગ્યતારૂપ ભવ્યત્વ પણ ભિન્ન ભિન્ન પ્રકારવાળું અને છે. તેને જ એકસરખું નહિ હોવાથી તયાભબત કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy