SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ [ ધo સં૦ ભા. ૧-વિ૦ ૧-ગા. ૧૯ અને નહિ કરનારાને અનુભવ થવાથી “તારામ” એ આપત્તિઓ આવે, કે જે જગતને માન્ય જ નથી. વળી આત્માએ શુભાશુભ ક્રિયાદ્વારા ઉપાર્જન કરેલાં શુભાશુભ કર્મોનું ફળ સુખ-દુઃખ પણ આ ભવમાં કે પરભવમાં દેહને ભેગવવાનું થશે જ નહિ, કારણ કે–આત્મા તેને કર્તા છે, તેનું ફળ અકર્તા શરીરને શી રીતે મળે?” વગેરે સમજાવવું. (અધ્યાય ૨/૬૩-૬૪) ૬૨. સંખ્યાદર્શન કદાચ એમ મનાવે કે–ભલે શરીરનું કરેલું આત્મા ન અનુભવે કે આત્માનું કરેલું શરીર ના અનુભવે, તેથી કઈ આપત્તિ નથી, તે તે પણ અવિચારિત છે, કારણ કે–જગતમાં સલેકમાં આબાલ-ગોપાલ પ્રસિદ્ધ છે કે-શરીરથી કરેલી શુભાશુભ ક્રિયાનું ફળ આત્મા અને આત્માએ કરેલાં શુભાશુભ ધ્યાનાદિનું ફળ શરીર અનુભવે છે. આ રીતે જે પ્રત્યક્ષ, દષ્ટ અને શાસ્ત્રસિદ્ધ હોવાથી ઈષ્ટ છે, તે દષ્ટ-ઈષ્ટ અસત્ય ઠરે તેને સત્ય કેમ મનાય ? પ્રત્યક્ષ જેવાય છે કે–દેહથી કરેલી ચેરી-પારદારી વગેરે દુષ્ટ કિયાના યેગે જેલ વગેરેમાં દીર્ઘકાળ સુધી શેક, ખેદ વગેરે દુઃખ આત્મા ભગવે છે અને આત્માને થયેલા ક્ષોભ, ભય વગેરેથી તાવ વગેરેની પીડા શરીર પણ ભેગવે છે. આમ પ્રત્યક્ષ દષ્ટ અને શાસ્ત્રસિદ્ધ ભાવેને અ૫લાપ કરે તે નાસ્તિકવાદનું લક્ષણ હેવાથી સજજનેને માનવાયોગ્ય નથી જ, વગેરે સમજાવવું (અ) ૨–૬૫) ૬૩. એમ આત્માને સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય અને શરીરથી સર્વથા ભિન્નકે સર્વથા અભિન્ન માનવાથી હિંસા વગેરે બંધહેતુઓ કે અહિંસા વગેરે મોક્ષહેતુઓ બંધ-મોક્ષમાં હેતુરૂપ બનતા જ નથી–એ વાત સિદ્ધ થઈ, માટે આત્માને કર્થચિત, નિત્યાનિત્ય કે શરીરથી કથંચિત ભિન્નભિન્ન માન જ જોઈએ; હિંસા-અહિંસાદિ હેતુઓની પણ યથાર્થતા ત્યારે જ સિદ્ધ થાય છે અને હિતુઓની સિદ્ધિથી જ આત્માના બંધ કે મેક્ષ પણ સત્ય ઠરે છે, માટે આ જ સાચું તત્વ છે. આ તત્ત્વને અતત્ત્વવાદીઓ મિથ્યાવાદીઓ સમજી શકતા નથી, વગેરે શ્રોતાને સમજાવવું. (અધ્યાય ૨-૬૬) ૬૪. આ પ્રમાણે તત્વને ઉપદેશ આપ્યા પછી ઉપદેશક શ્રોતામાં તે પરિણામ પામે છે કે નહિ તેની પરીક્ષા કરવી. શ્રોતા જે એકાન્તવાદ પ્રત્યે અરુચિસૂચક વાર્તા–સંભાષણાદિ કરે, તે તેને અનેકાન્તવાદ પરિણમ્યું છે, એમ સમજવું. (અ૨-૬૭) ૬૫. એ રીતે એકાન્તવાદ અસત્ય સમજાયા પછી બંધનના પ્રકારે એટલે બંધનરૂપ કર્મના મૂળ જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારો અને તેના સત્તાણુપદ ઉત્તરભેદ વગેરે (કર્મરૂપ બંધનના પ્રકારે) બંધશતકાદિ ગ્રંથના અનુસારે તેને સમજાવવા. (અ. ૨-૬૮) દ૯. વળી વરાધિલાભનું સ્વરૂપ સમજાવવું. વર એટલે “નિકાચિત તીર્થંકરનામકર્મના કારણભૂત હિવાથી બીજા કરતાં શ્રેષ્ઠ, ધિલાભ એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ, અથવા બીજા અર્થમાં વર એટલે દ્રવ્યસમકિત કરતાં શ્રેષ્ઠ, બે ધિલાભ એટલે ભાવસમ્યક્ત્વની પ્રાપ્તિ. આવા વરબધિની પ્રાપ્તિનાં કારણે, તેનું શુદ્ધ સ્વરૂપ અને તેનાં ફળે,-એ ત્રણ વિષયનું જ્ઞાન કરાવવું. જેમ કે– ૫૮. “પન્ન નવ વરિ અg-વીસા કરે તવ વાળા વરિ જ પશ નિયા, પરિયો ઉત્તર રેવ ” જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મોની અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્ઠાવીશ, ચાર, બેંતાલીશ, બે અને પાંચ-એમ કુલ સત્તાણું ઉત્તરપ્રકૃતિઓ (ભેદો) થાય છે. (બંધક્ષતક-ગા. ૩૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy