________________
ધર્મદેશના દેવાને વિધિ-કમ] આકાશ,-એ પાંચ ભૂતોમાંથી એકે ય ભૂતને અંશ માત્ર પણ વિગ જણાતું નથી તે મર્યું કેણુ? વાયુનો વિગ માને તે જે મૃતદેહ કુલે છે તે બને નહિ અને તેજને (અગ્નિને) વિયેગ માનીએ તે સડે છે, કહેવાટ થાય છે તે થાય નહિ, વગેરે વિચારતાં મૃતદેહમાં પણ ભૂતને વિગ તે સિદ્ધ નથી થતું, પછી મરણ તેનું કેવા રૂપનું થયું? અહીં નાસ્તિકવાદી “પૂર્વે હતાં તે વાયુ-તેજને વિયોગ થાય છે, માટે તે મરણ કહેવાય છે અને મરણ પછી બીજા વાયુ-તેજને ચોગ થવાથી તે કુલે છે, સડે છે”—એમ માનવા મહેનત કરે, તે પણ તે અસત્ય છે, કારણ કેમરણ માનવા છતાં ય “પરલોકને તે અભાવ જ રહેવાને. આત્મા જે દેહરૂપ છે તે દેહ તે અહીં વિદ્યમાન છે, પરલેકમાં ગયે નથી, દેહ એ જ આત્મા છે, કે જે અહીં પ્રત્યક્ષ છે અને તેનાથી જુદો આત્મા છે જ નહિ, તે પરલેક ગયું કેણુ? આના બચાવમાં “મરણ થાય છે અને પરલેક નથી” એમ કહેવામાં આવે છે તે પણ સર્વથા ખેઠું છે. સર્વદર્શનના શિષ્ટપુરુષને માન્ય, પ્રમાણપુરસ્સર સિદ્ધ થતા પહેલેકને આ રીતે અપલાપ કેમ થઈ શકે? પરલેક એ કાંઈ કલ્પના માત્ર માની લીધેલી વસ્તુ નથી પણ પ્રમાણસિદ્ધ છે, કારણ કે-જીવને જે જે અભિલાષાઈચ્છા થાય છે તે તે પૂર્વ–અભિલાષ–ઇચ્છામાંથી જન્મે છે, અર્થાત્ તેની પૂર્વે કોઈ અભિલાષા હોય છે. જેમ યુવાવસ્થાની ઈચ્છાઓ પૂર્વે બાલ્યકાળની ઈચ્છા હોય છે જ. એ નિયમાનુસાર જેમ તે દિવસના જન્મેલા બાળકને નેત્ર ખૂલતાં માતાના સ્તન ઉપર દૃષ્ટિ પડતાં જ સ્તનપાન(ધાવવાની ઈચ્છા થાય છે, તો તેની પૂર્વે પણ તેને ઈચ્છા હોવી જ જોઈએ, તે ઈચ્છા આ ભવની નહિ પણ પૂર્વભવની જ ઘટે. અહીંની સ્તનપાનની ઈચછા તે પહેલી જ થતી હોવાથી તે ઈચ્છાનું કારણ પૂર્વભવની ઈચ્છા જ છે એમ માનવું જ જોઈએ, આ ઈચ્છા જ પૂર્વભવની સિદ્ધિ કરે છે. પરની અપેક્ષાએ જ પૂર્વ કહેવાય છે, પરભવ વિના પૂર્વભવ કહેવાય જ નહિ, બાળકને જે વર્તમાન ભવ તે તેના પૂર્વભવની અપેક્ષાએ પરભવ જ છે, આ પરભવ તે જ પરલેક. તેને માન્યા સિવાય કેમ ચાલે? આવા પ્રમાણસિદ્ધ પરાકને નાસ્તિકે અ૫લાપ કરે તેટલા માત્રથી તે અસત્ય ન ગણાય, વગેરે સમજાવવું. (અધ્યાય ૨/૬૧-૬૨)
૬૦-૬૧. ઉપર પ્રમાણે નાસ્તિક મતે જેમ દેહ અને આત્માને અભિન્ન માનતાં મરણ અને પરલેક ઉડી જાય છે, તેમ સાંખ્યદર્શનના મતે આત્મા અને શરીરનું સર્વથા ભિન્નપણું માનતાં પણ એક શરીરે બીજાને કરેલાં તાડન, તર્જન, હિંસા વગેરે અશુભ કાર્યો કે દેવાદિને કરેલાં નમન, સ્તવન વગેરે શુભ કાર્યોનું ફળ પણ આત્માને મળશે નહિ; એટલે કે–તેથી દુઃખ કે સુખને આત્માને અનુભવ થશે જ નહિ. બીજાએ કરેલા શુભ કે અશુભને અનુભવ બીજાને થાય જ નહિ. કરે છે અને ભગવે કોઈ એમ માનીએ તે જેણે કર્યું તેને અનુભવ ન થવાથી “ના”
- પ. બાળકને સ્તનમાંથી દૂધ ચૂસવાની કે ગળે ઉતારવાની ક્રિયા તે કાળે શીખવાડી શકાતી નથી. તે કઈ પ્રેરણું વિના જ સ્વયં કરે છે. કોઈ પણ ક્રિયા અભ્યાસ વિના આવડતી નથી. જો તેમ ન માનીએ તે સહુને સર્વ કાર્યો આવવાં જ જોઈએ, પણ તેવું તે બનતું નથી. દરેક કાર્યમાં જેમ અભ્યાસ વધારે તેમ તે સારૂં બને છે,” એટલે અભ્યાસ જ તેનું કારણ છે. અહીં બાળકના આત્માએ આ ક્રિયાને અભ્યાસ કોઈ સ્થલે . કરે જ છે, નહિ તે તેને તે આવડે જ કેમ?, અભિલાષા થાય જ કેમ? તે અભ્યાસ જે સ્થલે કર્યો છે તે જ તેને પૂર્વભવ છે. તેને ઈન્કાર કઈ રીતે કરી શકાય તેમ નથી જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org