SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદેશના રેવનો વિધિ-ક્રમ ] તે ક્યિા સમાપ્ત પણ થાય છે, તેથી તેટલા અંશમાં તે કર્મને બંધાતું છતાં બંધાયેલું કહેવું તે ખોટું નથી. એ પ્રમાણે મૂલમાં કર્મબંધને “રા' એટલે પિતાના હેતુથી ઉત્પન્ન થયેલ જણાવીને પણ “પ્રતિક્ષણ કરાતે તે કર્મબંધ ઉત્તર ઉત્તર કર્મબંધની સાથે પૂર્વ પૂર્વ કર્મબંધની અપેક્ષારૂપ પ્રવાહદ્વારા અનાદિકાલીન છે,” એમ કહ્યું તે યથાર્થ છે. (અ. ૨-૫૩) ૫૧. જે એ પ્રમાણે અનાદિકાલીનતા ન હતા તે “ત્તાવાને બદલે “બિચાપત્ત' શબ્દને પ્રવેગ વ્યાજબી ગણાત. અર્થાત્ “ત” શબ્દથી “અનાદિ ભૂતકાલના સમયમાં જેમ વર્તમાનપણું રહેલું છે, તેમ બંધન પણ અનાદિકાલીન છતાં તેમાં વર્તમાનતા (કાર્યરૂપતા) ઘટે છે,” એમ જે કહ્યું, તેને બદલે “શિયાળ” એટલે “વર્તમાનમાં કરાતું છે–એમ શબ્દપ્રયોગ કરી તેમાં વર્તમાનતા (કાર્ય પણું) છે” એમ જ જણાવત. તાત્પર્ય કે–તેનું અનાદિપણું હેવાથી અહીં “તા” શબ્દનો પ્રયોગ કર્યો છે. (અ) ૨૫૪) પર. ઉપર કહેલા હિંસાદિ બંધહેતુઓ કે અહિંસાદિ મેક્ષહેતુઓ આત્મા કેવા સ્વરૂપને હોય તે તેમાં બંધ કે મોક્ષરૂપ કાર્ય કરી શકે?—એ પ્રશ્નના સમાધાનમાં જણાવવું કે “આત્મા જે પરિણામી (ભિન્ન ભિન્ન પર્યાયરૂપે પરિણામ પામવાવાળો) અને શરીરથી કથંચિત્ ભિન્ન તથા કથંચિત્ અભિન્ન હોય, તે જ તે તે બંધ કે મોક્ષના હેતુઓ પોતપોતાનું કાર્ય તેનામાં સાધી શકે. ” અહીં પરિણામી એટલે દ્રવ્યથી એક રૂપે (સ્વરૂપે) સ્થિર રહેવા છતાં પર્યાયથી ભિન્ન ભિન્ન રૂપાંતરને પામનારી વસ્તુને પરિણામી કહેવાય છે. (જેમ કે-સનું સોનારૂપે રહેવા છતાં કડું, કંઠી વગેરે ઉત્તરોત્તર બદલાતા આકારો તેના પરિણામે કહેવાય છે, શરીર શરીરરૂપે સ્થિર છતાં તેમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે બદલાતી અવસ્થાઓ તેના પરિણામો છે, આત્મા આત્મારૂપે સ્થિર છતાં દેવ, નારક, મનુષ્ય, સ્ત્રી, પુરુષ વગેરે બદલાતી અવસ્થાઓ તેના પરિણામે છે, એ રીતે જેના જેના પરિણામે બદલાય, પૂર્વ અવસ્થાને નાશ અને નુતનની ઉત્પત્તિ થાય, છતાં વસ્તુરૂપે પિતાની હાજરી દરેકમાં ચાલુ હોય તે વસ્તુ પરિણામી કહેવાય.) કહ્યું છે કે-પરિણામના જ્ઞાતાઓ, વસ્તુનું જે સર્વથા નાશ ન પામવું કે સર્વથા મૂળ રૂપમાં ન રહેવું પણ રૂપાંતર પામવું, તેને પરિણામ કહે છે.” આવા પરિણામે જેના બદલાય તે પરિણમી કહેવાય. એ રીતે આત્મા પરિણમી હોય અને શરીરથી પણ એક અપેક્ષાએ અભિન્ન અને બીજી અપેક્ષાએ ભિન્ન હોય, તે જ બંધ કે મોક્ષના હેતુઓ તેમાં બંધ કે મોક્ષરૂપ કાર્ય કરી શકે, વગેરે સમજાવવું. (અ૨-૫૫) ૫૩. પરંતુ જે આત્માને કુટસ્થ નિત્ય એક સ્વરૂપવાળો જ અને શરીરથી સર્વથા ભિન્ન સ્વરૂપ કે સર્વથા અભિન્ન સ્વરૂપવાળ જ માનવામાં આવે, તે તેના બંધ કે મેક્ષ ઈત્યાદિ થાય જ નહિ, અર્થાત્ બંધહેતુઓ કે મેક્ષહેતુઓ તેવા આત્મામાં કઈ પણ ફેરફાર ન કરી શકવાથી નિષ્ફળ જ બને. (અ) ૨-૫૬). - ૫૪. “૧–આત્માના વર્તમાન પર્યાય(અવસ્થા)ને વિનાશ કરે, અગર ૨-પર્યાયને વિનાશ ન થાય તેમ દુખ દેવું અને ૩–તેને માનસિક કલેશ ઉપજાવ-એ ત્રણ પ્રકારે શ્રીજિનેશ્વરીએ આત્માની હિંસા કહી છે, માટે તે ત્રણેય પ્રકારની હિંસા પ્રયત્નથી તજવી,” તે અહિંસા કહેવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy