SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદેશના દેવાને વિધિમ] કરવાથી” સફળ છે. હવે જે આત્મા (વગેરે) અપરિણામી જ હોય, (એટલે કે–તેને જુનાં મેને નાશ છે અને નવાં કર્મો ન આવવાં વગેરે રૂપાંતર જ ન થાય કે તે એકાન્તથી ક્ષણવિનશ્વર હાય) તે વિધિનિષેધ અને અનુષ્કાનેરૂપ કષ કે છેદનું ફળ શું આવે? અને તે કોને મળે ? અર્થાત્ વિધિનિષેધ તથા અનુષ્ઠાને નકામાં જ ઠરે, માટે સમજવું કે-કષ અને છેદનું ફળ તે આત્માદિ પરિણામી હોય તે જ આવે અને ત્યારે જ તે સફળ ગણાય. આત્મામાં કર્મોની નિર્જરા અને સંવર કરવા સિવાય કષ-છેદનું બીજું કાંઈ ફળ નથી. ( અ. ૨૪૩-૪૩-૪૪) ૪૨. અહીં કેઈ એકાંતવાદી એમ કહે કે-“ભલે આત્મા પરિણમી ન હોય, કષ અને છેદ તે સફળ જ છે!” તેનું સમાધાન એ છે કે-“તે જ પદાર્થ સત્ય-વાસ્તવિક કહેવાય છે, કે જે પોતાના સાધ્યને સિદ્ધ કરે, (જેમ નિરોગીની ભૂખને મટાડે તે આહાર અને તૃષાને છીપાવે તે જળ વાસ્તવિક કહેવાય; ભૂખ મીટાવે નહિ કે તૃષા છીપાવે નહિ તે આહાર કે પાણી વાસ્તવિક નથી, તેમ.) અહીં પણ જે કષ કે છેદ આત્મામાં પિતાનું ફળ આપે તે જ વાસ્તવિક છે, જે ફળ આપી શકે નહિ તેની વાસ્તવિક્તા ગણાય જ કેમ? અર્થાત્ નકામા જ ગણાય, વગેરે સમજાવવું. ( અ. ૨-૪૫) ૪૩. કાર્ય નહિ સાધનાર વસ્તુને પણ જે સાચી માનવામાં આવે, તે માગેલાં ઘરેણુથી શરીરશેભા કરવા જેવું ( અર્થાત્ પિતાની દરિદ્રતાને જાહેર કરવા જેવું) થાય. અલંકારનાં ફળે બે છે, તેમાં પહેલું ફળ-જે આજીવિકાને સુખપૂર્વક નિર્વાહ થતો હોય તે તેને પહેરવાથી નિષ્કલંક આભિમાનિક (મેટાઈ માનવારૂપ) સુખને અનુભવ કરાવનારી શરીરની શોભા થાય (અર્થાત અલંકારથી શરીરશોભા વધે છે, અન્ય લેકમાં પહેરનારની ધનિકતા જાહેર થાય છે અને તેથી પહેરનારને મેટાઈરૂપ સુખને અનુભવ થાય છે.) અને બીજું ફળ-કઈ સગમાં જીવનનિર્વાહની મુશ્કેલી હોય તે તે ઘરેણુંથી આજીવિકાને નિર્વાહ થાય, પરંતુ તે પારકાં–માગેલાં હોય તે તેને પહેરવાથી થતી શરીરશોભા (પહેરનાર ધનવાન છે–એમ જણાવવાને બદલે પારકાં છે–એમ જાહેર થતાં) એવી ૧-અપકીર્તિ કરાવે, કે જેના પરિણામે અપમાનમૂલક દુઃખ થાય, અને ૨-જીવનમુશ્કેલી વખતે પણું ન્યાયમાગે ચાલનારાને પારકાં ઘરેણુથી કામ સરે નહિ. એમ બંનેમાંથી એકે ય ફળ મળે નહિ; તેમ અહીં પણ “દ્રવ્ય અને પર્યાયથી પરિણામી આત્મામાં તે શાસ્ત્રકથિત એ “કષ અને છેદ” કઈ પ્રકારના અપવાદ વિના (જુનાં કથંચિત્ ભિન્ન-કર્મોની નિર્ભર કરવારૂપ અને નવા કર્મો નહિ બાંધવારૂપ) પિતાનું ફળ આપે, પરંતુ આત્માદિ પદાર્થોને એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય માનનારે વાદી પિતાના વાદને શોભાવવા માટે એ કષ અને છેદને (વિધિ-નિષેધવાક્યો કે તદનુરૂપ અનુષ્ઠાને) કબૂલ રાખે–સ્વીકારે, તે પણ માગેલાં ઘરેણુની માફક તેની આશા નિષ્ફળ જ નિવડે, એ કષ-છેદ કાંઈ ફળ આપી શકે નહિ, ઊલટે તેને અસત્યવાદી ઠરાવે, વગેરે યથાર્થ સ્વરૂપ સમજાવવું. (અ) ૨-૪૬) ૪૪. હવે શ્રોતા એમ કહે કે-“કષ, છેદ તથા તા૫–એ ત્રણેયથી પરીક્ષામાં જે શુદ્ધ હોય તે જ કૃતધર્મ' સ્વીકારવા યોગ્ય છે, તે હું સમયે, પણ આવા શુદ્ધ ધર્મના પ્રરૂપક કેવા હોય તે તે પ્રમાણભૂત મનાય ?” એમ પૂછે, ત્યારે તેના જવાબમાં તેને પ્રથમ “કોને કહેલું કૃતધર્મ અપ્રમાણભૂત ગણાય,” તે સમજાવવા માટે કહેવું કેપતે છ હવાથી પ્રત્યક્ષશ્ન દરેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy