________________
[ ધo સં૦ ભા૦ વિ૦ ૧-ગા. ૧૯ આવાં અનુષ્ઠાને જે શાસ્ત્રમાં જણાવ્યાં હોય તે શાસ્ત્ર “છેદશુદ્ધ” છે. જેમ કસોટીથી પરીક્ષા કરવા છતાં અશુદ્ધિની શંકાવાળા પરીક્ષકે સોનાના ટુકડાને છેદે છે–કાપે છે, તેમ વિધિ-નિષેધ વાક્યોરૂપી કસોટીથી શુદ્ધ શાસ્ત્ર પણ છેદાદિલી અશુદ્ધ હેવાને સંભવ છે, માટે તેની વેદથી પરીક્ષા કરવી જોઈએ. તે છેદ બાહ્ય વિશુદ્ધ આચરણ-ક્રિયારૂપ છે. બાહ્ય ક્રિયા (આચરણ) તે જ વિશુદ્ધ છે, કે જેના દ્વારા શાસ્ત્રમાં પ્રત્યક્ષરૂપે નહિ મળતા એવા પણ શુદ્ધ વિધિઓ અને નિષેધ સમજાય અને પ્રત્યક્ષ મળી આવતા વિધિઓ અને નિષેધનું ઉત્તરોત્તર નિરતિચારપણે પાલન થાય. આવી ચેષ્ટાક્રિયા જે શાસ્ત્રમાં વિસ્તારથી જણાવી હોય તે ધર્મશાસ્ત્ર છેશુદ્ધ-છેદની પરીક્ષાદ્વારા પણ શુદ્ધ છે, એમ જાણવું. (અ) ૨-૩૯) - ૩૭. તાપનું સ્વરૂપનું કષથી અને છેદથી શુદ્ધ નક્કી થવા છતાં અગ્નિમાં તપાવવાથી કાળું પડે, તાપને સહન ન કરે, તે શુદ્ધ મનાતું નથી, તેમ આગમ પણ વિધિનિષેધ વાક્યાથી યુક્ત હોય અને તે વિધિનિષેધનું પાલન થાય તેવી ક્રિયાઓનું પ્રરૂપક હાય, અર્થાત્ કષ-છેદથી શુદ્ધ હોય, તે પણ તાપરૂપ પરીક્ષામાં જે અસત્ય ઠરે તે તે ઉપાદેય ગણાતું નથી, માટે તેની તાપથી પરીક્ષા કરવી જોઈએ. જે શાસ્ત્રમાં ઉપર જણાવેલા વિધિનિષેધ અને અનુષ્કાને જેનામાં ઘટી શકે તેવા પરિણમી (એટલે સત્તારૂપે સ્થિર રહેવા છતાં જેના પર્યાયા-રૂપાંતરે બદલાયા કરે તેવા)
જીવ-અજીવ, આદિ પદાર્થોનું નિરૂપણ યથાર્થરૂપે હય, તે શાસ્ત્રો તાપશુદ્ધ કહેવાય; અર્થાત જે શાસ્ત્રમાં “પદાર્થો વતુરૂપે નિત્ય અને પર્યાયથી પ્રતિક્ષણ નવા નવા સ્વરૂપને ધારણ કરનાર અનિત્ય,’ એમ જીવાદિનું નિત્યસ્વાનિયત્વ વગેરે સ્વરૂપ કહ્યું હોય, તે શાસ્ત્ર તાપશુદ્ધ કહેવાય. ઉપર જણાવ્યા તેમ આત્મા વગેરે પદાર્થો પરિણામી હોય, તે જ તેમાં પૂર્વના તે તે અશુદ્ધ પર્યાને નાશ થવાથી અને ધ્યાન, અધ્યયન વગેરે બીજા શુભ પર્યાયે પ્રગટ થવાથી, શાસ્ત્રોક્ત વિધિનિષેધરૂપ “ક” અને બાહ્યક્રિયારૂપ છેદ તેનામાં ઘટે. જો આત્મા વગેરે પદાર્થોને એકાન્ત અપરિણામી (સ્થિર-એક સ્વરૂપવાળા) કે એકાન્ત અસ્થિર (પ્રતિક્ષણે સર્વથા બદલાઈ જતા) માનવામાં આવે તે કષ અને છેદ ઘટે જ નહિ, કારણ કે તેનું સ્વરૂપ બદલાય જ નહિ, (કે સર્વથા તેને નાશ થાય) તે વિધિનિષેધે કે તેને અનુરૂપ ક્રિયાઓ તેને શું લાભ કરી શકે? નકામાં જ બને. ( અ. ૨-૪૦ )
૩૮. આ કષ, છેદ અને તાપ-એ ત્રણેયમાં કોણ બળવાન કે નિર્બળ છે તેવો પ્રશ્ન જ્યારે શ્રોતા કરે, ત્યારે તે ત્રણેયનું પરસ્પર અંતર ઉપદેશકે નીચે પ્રમાણે બતાવવું. ( અ. ૨-૪૧ )
૩૯-૪૦-૪૧-જેમ કષ કે છેદની પરીક્ષામાં પાસ ન થાય કે પાસ થવા છતાં પણ તાપરૂપ પરીક્ષામાં ખોટું ઠરે તે તે સોનાને ડાહ્યા માણસ ગ્રહણ કરતા નથી, તેમ શાસ્ત્ર પણ કય કે છેદથી પાસ ન થાય કે પાસ થવા છતાં પણ તાપરૂપ પરીક્ષામાં નાપાસ ઠરે તે બુદ્ધિમાનને તે શાસ્ત્ર ઉપાદેય બનતું નથી. કપ કે છેદમાં પાસ થવા છતાં તાપથી ખોટું ઠરે તે સોનું નામ માત્રચ્છી સોનું છે, તેમ તેવું શાસ્ત્ર પણ નામ માત્રથી જ શાસ્ત્ર-શ્રુતધર્મ છેકારણ કે-જે તે તાપની પરીક્ષામાં પાસ થાય તે જ તેની કષ અને છેદની પરીક્ષામાં સફળ છે. વસ્તુતઃ ધ્યાન, અધ્યયન વગેરેથી પૂર્વોપાર્જિત કમની નિર્જરા થાય છે, માટે શાસ્ત્રનાં તેવાં વિધાને સફળ છે અને હિંસાદિ કાર્યો નહિ કરવાથી નવાં કર્મો આવતાં નથી, માટે તેના નિષેધે સફળ છે. છેદરૂપ બાહ્યક્રિયાઓ જે વિધિ-નિષેધે અપ્રગટ હોય તેને પ્રગટ કરવાથી અને પ્રગટ હેય તેનું નિરતિચાર પાલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org