SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. [ ધo સં૦ ભા. ૧-વિડ ૧-ગા, ૧૯ ઉદ્વેગ-કંટાળો પણ કરતા નથી. વસ્તુતઃ હવશ પડેલા જીવોની બુદ્ધિનું મોહિ હરણ કરે છે, તેથી તેઓ કર્મભૂમિરૂપ ક્ષેત્રમાં ધર્મરૂપ ખેતી માટે મનુષ્યપણારૂપ બીજને પામેલા છતાં, ધર્માનુષ્ઠાનરૂપી ખેતીને પ્રયત્ન પણ કરતા નથી. “અહે! ભયંકર એવા મેહને-અજ્ઞાનને ધિક્કાર થાઓ, કે જેના પ્રતાપે “માછીની જાળમાં ભરાવેલા માંસમાં આસક્ત થયેલા માછલાની જેમ” જેનું પરિણામ દારુણ છે, તેવાં કૃત્રિમ સુખમાં આસક્ત થયેલ છવ સદાચારને તજી દે છે, વગેરે સમજાવવું. (અ) ૨-૩૦ ) ૨૮. શુદ્ધ જ્ઞાનીની અથવા સમ્યગજ્ઞાનની પ્રશંસા કરવી. જેમ કે-“આંખ બંધ કરીને પણ સ્થિર બુદ્ધિવાળા પંડિતપુરુષે આ જગતને જેવા સત્ય સ્વરૂપમાં જોઈ શકે છે, તેવા સત્ય સ્વરૂપમાં ત્રણ નેત્રવાળા મહાદેવ, ચાર મુખ–આઠ નેત્રવાળા બ્રહ્મા, છ મુખ–બર નેત્રવાળા કાર્તિકસ્વામી કે હજાર નેત્રવાળા ઈન્દ્ર, અરે! વધારે શું? આખા જગતનાં બધાં નેત્રે ભેગાં થઈને પણ જોઈ શકતાં નથી. પંડિતે જે વસ્તુ મળવી શક્ય ન હોય તેને મેળવવાની ઈચ્છા કરતા નથી, ગઈ વસ્તુને શોક કરતા નથી અને સંકટમાં સાત્વિક વૃત્તિ કેળવે છે પણ મુંઝાતા નથી. પિતાને માન મળે કે અપમાન થાય, તે પણ ગાંગદ્રહની જેમ હર્ષ કે શેક કરે નહિ તે સાચે પંડિત-જ્ઞાની છે. ગંગાના દ્રામાં પાણી આવે છે અને જાય છે પણ તે ઉભરાતું નથી કે ઊણે થતું નથી, તેમ પંડિત માન-અપમાનમાં જ્ઞાનબળે સમભાવમાં રહે છે.” વગેરે જ્ઞાનને અને જ્ઞાનનો મહિમા વર્ણવ, કે જેથી જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે રુચિવાળ બને. (અ. ૨-૩૧) ૨૯. પુરુષાર્થ, કે જે ઉત્સાહરૂપ છે તેના મહિમાની પ્રશંસા કરવી. જેમ કે-“સમુદ્રરૂપી ખાઈને ઓળંગવી, આકાશમાં અદ્ધર રહેવું અને પાતાળમાં ગમન કરવું વગેરે ત્યાં સુધી જ કઠિન છે, કે જ્યાં સુધી કીર્તિના અર્થી ધીર-વીરપુરુષ, પુરુષાર્થના વિરોધી ભાગ્યના માથે પગ મૂકીને (ભાગ્યને તુચ્છ માનીને) અને જીવનની પણ પરવા છેડીને સાહસ ખેડતા નથી, અર્થાત્ સાહસિક ત્રણે ય જગતને ડોલાવી શકે છે. વળી જે પુરુષ ઉદ્યમને છોડી ભાગ્ય ઉપર બેસી રહે છે તે પ્રમાદીનું ભાગ્ય પણ, જેમ નપુંસક પતિને છેડી સ્ત્રી ચાલી જાય તેમ, તેને છોડીને ચાલ્યું જાય છે, ” વગેરે સમજાવવું, કે જેથી શ્રોતા પ્રમાદને દૂર કરી દુષ્કર કાર્યો કરવા પણ ઉત્સાહી બને. (અ) ૨૩૨) ૩૦. “સદાચારથી પ્રાપ્ત થાય તે જ સાચું બળ છે,” વગેરે સાચા બળનું સ્વરૂપ સમજાવવું. શરીરબળ એ સામાન્ય છે અને સદાચારથી પ્રાપ્ત થતું આત્મવીર્ય સાચું બળ છે, કે જે સદાચારદ્વારા પિષાતું–વધતું શ્રીતીર્થંકરદેવના બળ જેટલું ખીલે છે. જે કઈ પોતાના બળથી મેરુપર્વતને દંડની પેઠે પકડીને પૃથ્વીને માથા ઉપર છત્રીરૂપે ધરે, અર્થાત્ પૃથ્વીને ઉંધી કરી મસ્તકે ઉપાડે, તે તે બળ સદાચારરૂપી કલ્પવૃક્ષનું જ ફળ છે, એમ મહર્ષિએ કહે છે.” (અ) ૨-૩૩) ૩૧. ઉપર જણાવેલ ધર્મોપદેશ જ્યારે શ્રોતામાં શ્રદ્ધારૂપે, સમાજરૂપે અને તદનુરૂપ આચરણરૂપે પરિણામ પામે (સફળ થાય, ત્યારે સમજવું કે-હવે તે તત્ત્વગ્રહણ માટે ગ્ય બન્યો છે. આવા સદાચારી એગ્ય શ્રોતાને તે પછી અતિ ગંભીર તત્વસ્વરૂપ “આત્મા, તેનું અસ્તિત્વ કમથી બંધન અને મોક્ષ' વગેરે અદષ્ટ ભાવે સમજાવવા; અર્થાત્ પૂર્વે જે સાધારણ ગુણપ્રશંસાદિ અનેક પ્રકારને ઉપદેશ જણાવ્યા, તે ઉપદેશ આત્મામાં કર્મો મંદ થવાથી જ્યારે પરિણામ પામે, (તેનામાં શ્રદ્ધા, સમજણ અને ક્રિયારૂપે ઉતરે,) ત્યારે ભૂખ્યાને ભેજનની જેમ શ્રોતાને આપેલ તાત્વિક પદાર્થોને ઉપદેશ (પ) સફળ થાય, માટે આત્માદિ ભાવે સમજાવવા. (અ) ૨-૩૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy