SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદેશના દેવાને વિધિ-ક્રમ] ૫૦ સુખી છે” એમ બોલવું તે પણ બેલવા માત્ર છે. અસદાચારથી આત્મા મનુષ્યગતિમાં પણ દરિદ્રતા, ગ, દુર્ભાગ્ય, શેક, મૂર્ખતા તથા હીનજાતિ અને હીનકુળમાં જન્મ પામે છે, ઈન્દ્રિયો કે હાથપગ વગેરે અવયવ ન મળવા, મળે તે પણ આંધળા, બહેરા, બેબડા, લુલા, હંઠા થવું વગેરે દુઃખરૂપ અસદાચારનાં ફળ ભોગવે છે અને દેવગતિમાં પણ ચ્યવન તથા વિયેગનાં દુઃખ, ક્રોધ, ઈર્ષ્યા, મદ, વિષયેચ્છા વગેરેથી ત્રાસે છે. એ રીતે અસદાચારોના વેગે દેવગતિમાં પણ અનેક દુખે ભેગવવાં પડે જ છે, માટે તે સજજન ! વિચારીને કહે કે-ચારેય ગતિઓમાં કઈ પણ સુખ પ્રશંસાપાત્ર છે? અર્થાત્ નથી; વગેરે સમજાવવું. (અ) ૨૭) ૨૫. અસદાચાર સેવનારને જન્મ મનુષ્યપણુમાં પણ હલકાં કુળમાં, શક જાતિ, મુસલમાન જાતિ કે ભીલ યા વેશ્યાદિને ત્યાં થાય છે, તે સમજાવવું. (અ. ૨–૨૮) ૨૬. અને એવા કુળમાં જન્મ થવાથી દુખની પરંપરા ચાલુ રહે છે, કારણ કે-અસદાચારથી પરવશ જીવો દુષ્કલમાં જન્મે છે, ત્યાં પણ તેઓનાં શરીર ખરાબ વર્ણ—ગંધ-રસ-સ્પર્શવાળાં હેવાથી, સપુરુષની સેબતના અભાવે દુઃખથી બચાવનારે સમર્થ ધર્મ સ્વપ્નમાં પણ જીવને પ્રાપ્ત થતું નથી, ઊલટું નિર્ભયપણે હિંસા, જૂઠ વગેરે પાપ કરી નરકાદિ દુર્ગતિઓનાં દુઃખ વેઠવાં પડે તેવાં પાપકર્મોને બાંધે છે અને તે કર્મોથી લાચાર બનેલા તે જીવને દુખની કે દુઃખનાં કારણભૂત કર્મોની પરંપરા ચાલુ જ રહે છે. કહ્યું છે કે “કર્મથી પરાધીન જીવ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ-એમ ચારેય પ્રકારના અનંતા પગલપરાવજ (અનંતકાળ સુધી આ સંસારચકના ચક્રાવામાં ચગદાય છે અને મહા યાતનાઓ ભોગવે છે.” વગેરે અસદાચારથી થતી દુની પરંપરા સમજાવવી. ( અ૦ ૨૨૯ ). ૨૭. વસ્તુતઃ અનર્થકારક એવાં મૂઢપુરુષનાં લક્ષણે જણવવાદ્વારા યુક્તિપૂર્વક મૂઢતાની પણ દારુણતા અને અનાદરયતા સમજાવવી. જેમ કે-મૂઢપુરુષ શત્રુને મિત્ર માને, મિત્રને શત્રુ માને, મિત્રને હણે, ખરાબ કર્મને આચરે વગેરે મૂઢતાનાં કાર્યો છે. સાચાં, હિતકારક અને પિતાને લાગુ પડતાં યુક્તિસંગત પણ ઉપકારીનાં વચનેને “મરવાની ઈચ્છાવાળો જેમ ઔષધને અનાદર કરે તેમ” મૂઢપુરુષ અનાદર કરે છે. ડાહ્યો પુરુષ દુઃખે આવે ત્યારે બુદ્ધિથી તેના મૂળને સમજી લે છે (સંસાર દુઃખની ખાણ છે અને અસદાચારોથી તેની પરંપરા ચાલુ રહે છે, એમ સમજી વૈરાગી બને છે.) અને મૂઢ દુઃખી થાય ત્યારે હાયવોય કરી, “પત્થર ગળે બાંધી પાણીમાં ડૂબવાની જેમ” મૂઢતારૂપી પત્થરને વળગી ભવસમુદ્રમાં ડૂબે છે વગેરે સમજાવવું. અગર તે મેહનાં વિષમ ફળો સમજાવવાં–મેહની દારુણતા સમજાવવી. જેમ કે-મેહથી મૂઢ બનેલા છ જગતને પ્રત્યક્ષ જન્મ–જરા-મરણ–રોગ-વ્યાધિ-શેકથી ત્રાસી ગયેલું જેવા છતાં, મેહને લીધે સંસારમાં ૫૪. પગલપરાવર્ત એ કાળનું માપ છે. તેનું ટૂંકું સ્વરૂપ આ પ્રમાણે છે–અસંખ્યાતા વર્ષે એક પલ્યોપમે એક સાગરોપમ, દશ કડાકોડી સાગરોપમે એક ઉત્સર્પિણી, બીજ દશ કેડાછેડી સાગરોપમે એક અવસર્પિણી. એ ઉત્સર્પિણ-અવસર્પિણ બે મળી વીસ કડાકોડી સાગરોપમે એક કાળચક્ર અને એવાં અનંતાં કાળચક્રોથી એક પુદગલપરાવર્ત થાય છે. તેના દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથીએમ ચાર પ્રકારે છે. તે પણ સૂક્ષ્મ અને બાદર-બે પ્રકારે ગણતાં આઠ પ્રકારે માન્યા છે, વગેરે તેનું વિસ્તૃત સ્વરૂપ લેકપ્રકાશાદિ ગ્રંથિ દ્વારા જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy