SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ દેશના ઢવાના વિધિ−ક્રમ ] ૫૭ ૫. વીર્યાચાર-ઉપર જ્ઞાનાચારાદિ ચાર આચારાના જે છત્રીશ પ્રકાશ અતાવ્યા તેના પાલનમાં ખાહ્ય-અભ્યંતર સામર્થ્યને છુપાવ્યા વિના શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવા, એટલે શક્તિ પ્રમાણે તે આચારને જીવનમાં ઉતારવા અને તેનું પાલન કરવા યથાશક્તિ પરાક્રમ ફેરવવું તે વીર્યાચાર કહેવાય છે. એ પ્રમાણે જ્ઞાનાદિ પાંચ આચારશનું સ્વરૂપ ઉપદેશકે શ્રોતાને સમજાવવું. (અધ્યાય ૨-૧૪ ) ૧૨. એ રીતે આચારાનુ સ્વરૂપ સમજાવ્યા પછી તેને પાળવા માટે ઉપદેશ કરવા કે—“ આ લેાકમાં રાજ્યાદિની કે પરલેાકમાં દેવપણું વગેરે નશ્વર સુખાની અભિલાષા વિના શુદ્ધ બુદ્ધિથી આ આચારા પાળવાની ‘શ્રીજિનેશ્વરદેવાની આજ્ઞા છે અને તે પાળવામાં મારૂ હિત છે’–એમ સમજી પાંચેય આચારાનું સ્વશક્તિ પ્રમાણે તારે પાલન કરવું” એવા ઉપદેશ આપવે. ( અધ્યાય ૨૦૧૫) ૧૩. ઉપરના આચારામાં ધૈય, શરીરબળ કે કાળબળ વગેરેના અભાવે જે આચારોનુ' પાલન કરવું અશકય હાય, તેને માટે અંતઃકરણના અનુબંધ (રાગ–પ્રેમ કયારે આનુ' સ'પૂર્ણ પાલન કરવાની સામગ્રી મળે અને આરાધુ–એવા અધ્યવસાય) ધારણ કરવા અને તેવી સામગ્રી પ્રાપ્ત થવા માટે કાળક્ષેપ કરવા પણ ઉતાવળા ન થવું, કારણ કે–કાળ પાડ્યા વિના ઉત્સુક થવુ. તે આર્ત્ત ધ્યાન છે, વગેરે . સમજાવવું. (અધ્યાય ૨-૧૬) ૧૪. ઉપરના સ્વીકારેલા આચારાને પાળવા માટે શ્રોતાને “પાતાથી અધિક આચારવાળા કે સમાન આચારવાળા પુરુષાની સામતમાં રહેવું, પોતે જે આચારાને પાળે છે તેને શેશભાવે અને જેનાથી આચારના ભંગ ન થાય તેવી ક્રિયાઓનું પાલન કરવું, તથા તે માટે ‘હું શું કરૂ છું? માર્ક શું છે? ' ઇત્યાદિ વારવાર સ્મરણુ કરવું; વગેરે ” ઉપાયે સમજાવવા. ( અધ્યાય ૨–૧૭) ૧૫. આ આચારાને સારી રીતે પાલન કરવાથી આ ભવમાં ઉપદ્રવ શમે છે, ગુણુરૂપી સ'પત્તિ વધે છે અને લેાકપ્રિય થવાય છે; તેમ જ પરભવમાં સતિ, સારા દેશમાં જન્મ અને પર પરાએ મેાક્ષ થાય છે; વગેરે તેનાં ફળે સમજાવવાં, જેથી શ્રોતાને તેના પાલનમાં આદર વધે. ( અધ્યાય ૨-૧૮ ) ૧૬. આચારાનુ નિરતિચાર પાલન કરવાથી જે દૈવી સુખા મળે છે તેનું વણુન કરવું. જેમ કે-ઉત્તમ રૂપ, લાંબુ આયુષ્ય, પ્રભાવશાલિત્ય, સુખ, શરીરની કાન્તિ, સારી લેશ્યા, વિશુદ્ધ ઇન્દ્રિયા, વિશુદ્ધ અવધિજ્ઞાન, ઉત્તમ ભાગસામગ્રી, વિમાન વગેરેના દેવતાઈ લાગે, કે જેનુ વિશેષ વષ્ણુન ધ બિન્દુમાં સાતમા અધ્યાયમાં કહેલ' છે; તેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવવું, ચેાગ્યે જીવાને આવા ધર્મનાં કળા સમજાવવાં તે, તેના આચારપાલનમાં ઉત્સાહ વધારવા માટે જરૂરી છે. ( અ॰ ૨–૧૯ ) ૧૭. આ આચારાનુ પાલન કરવાથી જીવો ઉપર પ્રમાણેનાં દેવલાકનાં સુખા ભાગવીને, પુનઃ ઉત્તમ–આ દેશમાં, ધર્મના કાળમાં, સદાચારી ઉત્તમ પુરુષથી પ્રસિદ્ધ થયેલા નિષ્કલંક ઉત્તમ કુળમાં—જ્યાં અનેક મનોરથા સફલ કરી શકાય તથા નિષ્પાપ જીવન જીવી શકાય તેવા કુટુંબમાં ( ધમી ને ઘેર ) મનુષ્યરૂપે જન્મ ધારણ કરે છે, તે સમજાવવું. (૫૦ ૨-૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy