SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - પ૬ [ ધ સભા . ૧-વિ૦ ૧-ગા. ૧૯ | (g) “અમૂઢષ્ટિ આચાર”—અર્થાત્ મૂઢતાને પરિહાર કરે તે. (જગતમાં જેમ સાચા કરતાં ખેટાં મેતી દેખાવમાં સુંદર અને સસ્તાં હોય છે, તેના કરતાં ય કાંસાની ગર્જના વધારે હોય છે, સજ્જન કરતાં પણ દુર્જનને આડંબર આકર્ષક હોય છે, તેમ અજ્ઞાન કષ્ટરૂપ તપ કરનારા બાલ તપસ્વીઓનાં તપ લોકેને આશ્ચર્યમુગ્ધ કરે તેવાં પણ હોય છે અને કેટલાકે તે વિદ્યા–મંત્રની સિદ્ધિથી ભેળાઓને આશ્ચર્ય થાય તેવાં કાર્યો કરનારા પણ હોય છે. આવા) બાલ (અજ્ઞાન) તપસ્વીનાં તપ, વિદ્યા વગેરેથી મૂઢતાના ગે સ્વદર્શનમાં ચિત્તચંચલતા ન કરવી. જૈનદર્શનની શ્રદ્ધામાં જેની સ્થિરતા આવી પડેલમડેલ ન હોય, તે જીવ “અમૂહદષ્ટિ” આચારવાળો જાણુ. અહી એકથી ચાર આચારનું વર્ણન ગુણના બદલે ગુણને નિર્દેશ કરીને કર્યું, તેનું કારણ પહેલાં જણાવી ગયા. હવે બાકીને ચાર આચારનું વર્ણન ગુણના નિર્દેશથી કરવાનું છે, તેમાં કારણ એ છે કે-જેમ ગુણ ગુણીથી કથંચિત્ અભિન્ન છે તેમ કથંચિત્ ભિન્ન પણ છે. જે ગુણગુણને એકાન્ત અભિન્ન (એક સ્વરૂપે જ) માનીએ તે ગુણના અભાવે ગુણીને પણ અભાવ જ થઈ જાય, વસ્તુ મૂળથી જ ખેતી કરે અને તેથી શૂન્યવાદ સાચો કરે; અર્થાત્ એથી મિથ્યાત્વનું પિષણ થવારૂપ મટે અનર્થ થાય, માટે હવે છેલલા ચાર આચારની વ્યાખ્યા ગુણનિર્દેશથી કરે છે. () “ઉપબૃહ”-સમાનધમ–સાધમીઓના ગુણોની પ્રશંસાદિ કરીને તેને ધર્મઆરાધનામાં ઉત્સાહ વધાર, તેઓને ધર્મકરણીમાં આગળ વધારવા તે. a) •સ્થિરીકરણું'-ધમ–આરાધનામાં થાકી ગયેલા–સીદાતા ધમીઓને તે તે પ્રકારની સહાય કરીને તથા આરાધના–વિરાધનાનાં ફળે સમજાવીને ધર્મમાં સ્થિર કરવા, કે જેથી તેઓ વચ્ચે જ ધર્મને છેડી ન દેતાં ચાલુ રાખી પૂર્ણ કરે. આને “સ્થરીકરણ” કહેવાય છે. (૪) “વાત્સલ્ય”—સાધમીઓને ધર્મ કરવા માટે હંમેશાં જે જે અડચણે હોય તે તે દુર થાય તેમ તન-મન-ધનથી સહાય (ભક્તિ-સેવા) કરવી, હૃદયમાં તેના પ્રત્યે અનુરાગ-વત્સલતા રાખી પિતાનું હિત સમજી શક્ય સાથ આપ, વગેરે વાત્સલ્ય કહેવાય છે. () “પ્રભાવના –શ્રીજિનેશ્વરદેવે સ્થાપેલા શાસન (મોક્ષમાર્ગ) તરફ જીવેનું આકર્ષણબહુમાન-આદર વગેરે વધે તેમ શ્રીજિનશાસનને મહિમા વધારે. આ પ્રભાવના સામાન્યથી ધર્મકથાદિપક આઠ પ્રકારે થાય છે. એ રીતે દર્શનાચારનું સ્વરૂપ ઉપદેશકે સમજાવવું. ૩. ચારિત્રાચાર–એના પણ આઠ પ્રકારે છે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. એ આઠ પ્રવચનમાતાનું પાલન કરવું તે આઠ પ્રકારે ચારિત્રાચાર છે, જેનું વર્ણન આ ગ્રંથમાં જ (બીજા ભાગમાં) કહેવાશે, તથા ચારિત્રની મહત્તા વગેરે સમજાવવું. ૪. તપાચાર–બાર પ્રકારે છે, છ પ્રકારનું બાહ્ય તપ અને છ પ્રકારનું અત્યંતર તપ યથાશક્તિ આચરવું તે તપાચાર, તેના બાર પ્રકારે છે. (જેનું સ્વરૂપ બીજા ભાગમાં કહેવાશે.) તે તપના પ્રકાર તથા તેનું ફળ વગેરે સમજાવવું. ૫૩. આનું વિશેષ વર્ણન આગળ સમકિતના ૬૭ જેમાં કહેવાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy