SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ [ ધ સં૰ ભા૦ ૧-વિ૦ ૧-ગા. ૧૯ વિરુદ્ધ અર્થ કરવો તે અભેદ કહેવાય છે તથા ‘ધમાં માનુæખું, ' ‘ અદિલા પર્વતમસ્તકે’ એમાં વર્ણભેદ અને અર્થભેદ અને થવાથી તેને ઉભયભેદ કહેવાય છે. આવો વધુ ભેદ, અભેદ અને ઉભયભેદ ન કરવો તેને ક્રમશઃ વ્યંજનાચાર, અર્થાચાર અને ઉભયાચાર કહ્યા છે. જો શાસ્ત્રોના અક્ષરાદિની રક્ષા ન કરતાં ફેરબદલી કરે તે અક્ષરભેદથી અર્થભેદ થાય, અભેદથી ક્રિયાલેડ થાય, ક્રિયાભેદથી મેાક્ષ થાય નહિ અને મેક્ષના અભાવમાં દેશિવરિત કે સવવરિત મધું નિષ્ફળ નીવડે. એ રીતે જ્ઞાનના આઠ આચારા સમજાવવા. ર. દશનાચાર-એટલે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કે રક્ષા માટે સદાચારાનુ પાલન, તે પણ આઠ પ્રકારે છે. (૪) ‘ નિઃશકિત આચાર ’–જિનકથિત શાસ્ત્રોમાં દેશથી ( આંશિક ) કે સર્વથી શંકા કરવી નહિ, પણ તેના કથક શ્રીવીતરાગદેવ રાગ-દ્વેષરહિત હાવાથી તેમનું કથન સત્ય જ છે, મારી બુદ્ધિ તેટલી તીક્ષ્ણ ન હેાવાથી ન સમજાય તે બનવાજોગ છે એમ માનવું, તે નિઃશકિત આચાર છે. અહી ૧-દેશશ’કા એટલે ‘ જીવો અધા સરખા કહ્યા છે તે સત્ય છે, પણ તેમાંના કોઈ ભવ્ય અને કોઇ અભવ્ય હાય તેનું કારણ શું ? ’–એમ અમુક અંશમાં શંકા કરે, પણ એમ ન વિચારે કે– જગતના બધાં પદાર્થો યુક્તિથી સમજી શકાય તેવા નથી, માટે યુક્તિથી સમજાય તેને યુક્તિથી અને બાકીનાને શ્રદ્ધાથી માનવા જોઈએ. · જીવ છે' વગેરે સિદ્ધ કરવા માટે યુક્તિ મળે, પણ ભવ્ય કેમ કે અભવ્ય કેમ ? એ જાણવા માટે સામાન્ય મનુષ્યની બુદ્ધિ પૂણુ નથી. તે તે પ્રકૃષ્ટ જ્ઞાનીએ જ સમજી શકે ! ન ૨- સશંકા એટલે શાસ્ત્રો પ્રાકૃત (સામાન્ય પ્રજાની ) ભાષામાં રચેલાં છે, તે તે કોઈ સામાન્ય માનવની કલ્પનારૂપ કેમ ન હેાય ? ’–એમ તર્ક કરવો, પણુ શસ્ત્રોક્ત– ખાલ, સ્ત્રી, અલ્પ બુદ્ધિ કે મૂર્ખ વગેરે ચારિત્રના અર્થી જીવા પણ સહેલાઇથી તત્ત્વ સમજે એ રીતે તેના ઉપકાર કરવા સારૂ તત્ત્વજ્ઞોએ પ્રાકૃત ભાષામાં શાસ્ત્રો રચેલાં છે”—એ સત્ય ઉપર વિશ્વાસ ન કરવે, તે સશંકા કહેવાય. જે ભાવા આપણને પ્રત્યક્ષ છે, અનુભવમાં આવે છે કે ઈષ્ટ છે તેનું તે પ્રમાણે જ શાસ્ત્રોમાં વન છે, માટે શાસ્ત્રો કલ્પનારૂપ નથી—એવા નિશ્ચયવાળા શ્રદ્ધાળુ જીવ શ્રીજિનશાસનને પામેલા-દર્શનાચારવાળો છે. અહી નિઃશંકપણું એ ગુણુ છે અને નિઃશકિત એ ગુણી છે. અપેક્ષાએ ગુણગુણીના અભેદ છે, એમ જણાવવા માટે આચારરૂપ ગુણનું કથન ગુણીના કથનદ્વારા કર્યું છે. જે ગુણુથી ગુણીને સર્વથા ભિન્ન જ માનવામાં આવે તે ગુણુથી કેાઈ ગુણી મનાય ૫૧. જગટ્યવહારમાં પણ શ્રદ્ધા વિના કાંઈ થઈ શકતું નથી. પેાતાના પિતા કાણુ છે—એ માટે માતાના વચન ઉપર શ્રદ્ધા રાખ્યા વિના ખીજો શો ઉપાય છે? સમુદ્રની મુસાફરીમાં નાવિકાનાં કે જંગલની મુસાીમાં ભોમીયાનાં વચને ઉપર શ્રદ્દા રાખવી જ પડે છે. શ્રદ્ધા એ જ સર્વ કાર્યની સિદ્ધિ માટે ઊંચામાં ઊંચું તત્ત્વ છે, તે વાત કાઇથી અમાન્ય કરી શકાય તેમ નથી. આત્મસુખની સિદ્ધિમાં જ્ઞાનીના વચનની શ્રદ્ધા વિના કદી આગળ વધી શકાતું નથી એ સુનિશ્ચિત છે. દરેક દર્શનવાદીઓને શ્રદ્ધાના સ્વીકાર કરવા જ પડયો છે. જગતમાં જે ભાવેા યુક્તિથી સમજાય તેવા છે તેને જ યુક્તિથી સમજવા જોઇએ, પણ જે અગમ્ય છે, જેને સમજવા માટે વચન કે યુક્તિ ચાલે તેમ જ નથી, તેને શ્રદ્ધાથી જ માનવા જોઈએ, નહિ તે સત્યથી વંચિત રહેવાય. જેએ અગમ્ય-શ્રદ્દાગમ્ય ભાવાને પણ સમજાવવા યુક્તિઓનો આશ્રય લે છે, તેઓ જિનાજ્ઞાના વિરાધક છેએમ શાસ્ત્રકારો કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy