________________ પ્રસ્તુત પ્રકાશનમાં પ્રાકૃત ભાષાના અભ્યાસક ને ઉપયોગી સાહિત્ય સુંદર શૈલીમાં સમેજિત-સંકલિત થયેલ છે. પ્રાકૃત વ્યાકરણના વૃતિ ગ્રંથમાં આવેલા ગદ્ય-પદ્ય ઉદાહરણ સંસ્કૃત છાયા સહિત અત્રે સંકલિત-સંગૃહીત થયેલ છે. આઠમા અધ્યાયના ચારે પાદોના, અન્યાન્ય ગ્રંથમાંથી ઉદ્ભવૃત, ગદ્ય પદ્ય ઉદાહરણોને અત્રે સંકલિત સંગ્રહ અભ્યાસક આત્માઓની ભાષા જ્ઞાનની ભૂખને પૂર્ણ રીતે સંતોષી શકે, તેવું સમર્થ છે. - બીજા વિભાગમાં પ્રાચીન મહા પુરૂ રચિત ધોધક વૃત્તિ જેમાં અપભ્રંશ વ્યાકરણમાં આવતાં ઉદાહરણ રૂપ દેહાઓ પર સુંદર સરલ તથા સુસ્પષ્ટ માર્ગદર્શન મલી શકે તેવી સરળ ટીકા છે. જે અપભ્રંશ ભાષાના અભ્યાસશીલ વાચક વર્ગને ઘણી ઘણી રીતે વિશિષ્ટપણે બેધક તથા ઉપકારક છે. જે માટે વૃત્તિકાર મહાપુરુષની અભ્યાસક વર્ગની જ્ઞાન ભૂખને સંતોષવા માટેની કાળજી તથા ચીવટ ખૂબ જ પ્રશંસનીય છે. ત્રીજા વિભાગમાં સંક્ષિપ્ત “પ્રાકૃત રૂપમાલા” સંકલિત થયેલ છે જે પ્રાકૃત ભાષાના અભ્યાસક આત્માઓને માટે સારી રીતે સહાયક બની શકે તેમ છે. ઉપરક્ત ત્રણેય વિભાગેથી સમૃદ્ધ “દોધક વૃત્તિ” નામને આ ગ્રંથ જેનું સંપાદન શ્રતના અભ્યાસી અને શ્રત પ્રચારમાં પિતાના તન-મનને સમર્પિત કરીને અપૂર્વ ઉત્સાહ ધરાવનાર વિદ્વાન મુનિપ્રવર શ્રી વજનવિજયજી