SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અબુલ ફઝલા આ ગ્રંથના પ્રારંભમાં અને દર 100 સૂર્યના નામ પછી શેખશ્રીઅબુલફઝલકારિતામાં એવો ઉલ્લેખ આવે છે. એટલે આ ગ્રંથની રચનામાં આ શેખનો પણ કંઇક સહયોગ અવશ્ય રહ્યો જણાય છે. આ ગ્રંથના પ્રારંભમાં ઉલ્લેખ છે એ જોતાં એમ લાગે છે કે સૂર્યના નામો અકબરની રુચિ મુજબના વર્ણાનુક્રમે ગોઠવવાનું કામ અબુલ ફઝલે કર્યું છે. , ‘આઇને અકબરી” અને “અકબરનામાં’ નો આ લેખક અકબરનો અંગત માણસ હતો અને ભાનચંદ્રજીનો પણ ઘણો નિકટ હતો. શ્રી ભાનુચંદ્રજીને ઉપાધ્યાય પદવી લાહોરમાં અપાઇ. ત્યારે આ શેખે 600 રુપૈયા અને 1008 ઘોડાનું દાન કરેલું. ભાનુચંદ્રજી પાસે ષડ્રદર્શન સમુચ્ચય’નું અધ્યયના પણ શેખે કર્યું છે અને એની નોંધ પણ એ કરતો. એવું “ભાનુચંદ્રચરિત’માં જણાવ્યું છે. " શ્વેતાંબર મુનિઓના નિકટના પરિચયના કારણે અબુલ ફઝલે શ્વેતાંબર સમુદાય વિષે લખ્યું છે, તે વાસ્તવિક છે. જયારે દિગંબર સંપ્રદાય વિષે એને ખાસ પરિચય ન હતો. અબુલ ફઝલે અકબરના રાજયવહીવટ અને એની રાજકીય ચર્ચા મંત્રણાઓની વિગત એના ઉક્ત ગ્રંથમાં આપી છે. એટલે એ વહીવટી અધિકારી હોય એમ લાગે છે. વળી એ યુદ્ધકલાનો પણ નિષ્ણાત જણાય છે. જયારે અકબરનો પુત્ર મુરાદ રણમેદાનમાં મુશ્કેલીમાં મુકાયો ત્યારે અકબરે એની મદદે અબુલફઝલને મોકલેલો. અને એને મુરાદના મૃત્યુથી સૈન્યને નષ્ટ-ભ્રષ્ટ થતું રોકેલું એટલે અકબરે એને ‘દલથંભન’ બિરુદ આપેલું. સહસ્ત્રનામ સંગ્રહાત્મક કૃતિઓ પૂજનીય તત્ત્વોના હજાર નામોના સંચય સ્વરૂપ કૃતિઓની 20
SR No.004472
Book TitleSurya Sahasra Nam Sangraha Trayam
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year
Total Pages194
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy