SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના વાવે વારે નાતે તત્ત્વનોધ: સંસ્કૃતની આ પંક્તિ કહે છે કે દરેક વાદથી તત્ત્વનો બોધ થાય છે. દરેક વિષયને ઉપર ઉપરથી તો આપણે જાણીએ છીએ પણ જ્યાં સુધી એ વિષયનો ઊંડાણથી બોધ ન થાય ત્યાં સુધી તે વિષય પૂરેપૂરો સમજાતો નથી. આ રીતે વિષયના ઊંડાણ સુધી પહોંચવાની ક્ષમતા દરેક મનુષ્યમાં હોતી નથી. માટે તે તે વિષયનો વાદ ચાલતો હોય ત્યારે તેને સાંભળવા માણસ દોડતો પહોંચી જાય. તે તે વિષયના અધિકૃત વિદ્વાનો તે તે વિષયને ઊંડાણથી ચર્ચતા હોય ત્યારે પરિણામરૂપે તત્ત્વજ્ઞાનનું ઝરણું તેમાંથી વહેતું હોય. સાંભળનારને આ તત્ત્વજ્ઞાને વિશેષ મહેનત વિના સહજતાથી જ પ્રાપ્ત થઈ જાય છે. આ જ કારણથી ભૂતકાળમાં આવા “વાદ મોટી સંખ્યામાં થતા, યોજાતા. રાજા અને રાજસભાઓ પણ આમાં આદરથી જોડાતી. વિદ્વાનો તો આગલી હરોળમાં બેઠા હોય પણ તત્ત્વપ્રેમી પ્રજા પણ મોટી સંખ્યામાં ભીડ જમાવતી. રાજકાજના પ્રશ્નોને બાજુએ રાખીને પણ વાદ દિવસો-મહિનાઓ સુધી ચાલતો. જે રાજસભામાં વાદ યોજાય તે રાજસભાનું ગૌરવ વધતું. લોકો પણ વાદને આદરની નજરે જોતા. આજે કાળના પ્રવાહ અને પ્રભાવે વાદને જોવાની નજર બદલાઈ ગઈ છે. વાદ એટલે તત્ત્વજ્ઞાનનું સાધનઃ આ સમજના સ્થાને વાદ એટલે ચર્ચા. ચર્ચા એટલે મરચા ઉડે જ. અને એમાં ખર્ચામાં ઉતરવું પડે, તેય પાછા ખોટા ખર્ચા ! આવી ગેરસમજ આજના કાળમાં જનસમાજના માનસમાં ઉભી થઈ છે. એના કારણે વાદને સન્માનની નજરે જોવાને બદલે તિરસ્કાર-અણગમાની નજરે જોવાય છે. એને ઝઘડો-તકરાર માનવામાં આવે છે. તત્ત્વની ચર્ચા ઉપાડનારને વિવાદ કરનાર, ઝઘડાખોર અને જિદ્દી માની લેવામાં આવે છે. ચર્ચામાંથી સાર તરીકે તત્ત્વજ્ઞાન-તત્ત્વબોધ મેળવવાની જગ્યાએ ચર્ચાથી આઘા રહેવામાં મોટો ફાયદો સમજવામાં આવે છે. વાદ ચાલી રહ્યો છે કે વિવાદ થઈ રહ્યો છે તેની કોઈ સમજ હોતી નથી. વાદની તો સમજ જ નથી. કોઈપણ ચર્ચાને વિવાદ
SR No.004442
Book TitleChakshurprapyakaritawad
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2009
Total Pages268
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy