SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ માનીને આઘા રહે છે. જો કે આજ માણસો જ પાછા પોતાના ઘર-ધંધાના પ્રશ્ને કલાકો સુધી બેઠકો કરે, ચર્ચા કરે. પ્રશ્નનું નિરાકરણ લાવવાની મહેનત કરે. નિરાકરણ આવી જાય તો પોતે ખુશ થાય અને બીજાની આગળ આ બનાવને પ્રશંસાપૂર્વક વર્ણન કરે. એને વિવાદ કહીને કદી વગોવે નહિ. ઉગ્ર ચર્ચા થાય તો પણ તે કરીને પ્રશ્નનું નિરાકરણ તો આવવું જ જોઈએ તેવું માને. સંસારના ઘર કે ધંધાના પ્રશ્ન માટે આવું “ઉદાર વલણ અપનાવનારા તાત્ત્વિક ચર્ચા માટે અલગ વિચારે કે અલગ બબડાટ કરે તે સુજ્ઞ મનુષ્યોમાં આદરપાત્ર તો ન જ બને. આ ભૂમિકા એટલા માટે સર્જવી પડે છે કે ચક્ષુ અપ્રાપ્યકારિતાવાદ' નામના ગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે અને આ ગ્રંથના કર્તા પણ પ્રકાંડ વિદ્વદ્વર્ય મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા જેવા મહાન શાસ્ત્રકાર છે. “આંખ વિષયનો સંબંધ કર્યા વિના જ્ઞાન કરાવે છે. આ વાતની સિદ્ધિ માટે 59 શ્લોકોનો આ ગ્રંથ પૂ. ઉપાધ્યાયજી મહારાજે સહજતાથી સર્યો છે. આજના કાળના વિચારવાળા મુજબ તો એવો જ મત પ્રગટ થાય કે આટલી નાની વાતમાં શું વાદ-વિવાદ કરવા ? આંખ વિષય સાથે સ્પર્શીને જ્ઞાન કરાવે કે સ્પર્ધ્યા વિના જ્ઞાન કરાવે એમાં ચર્ચા શી કરવી ? જે રીતે કરે તે રીતે. છેવટે જ્ઞાન તો કરાવે જ છે ને ? ભલા આદમી, ટપ ટપને છોડો ને ! આપણે તો રોટલા સાથે કામ છે. “આંખને પદાર્થનો સ્પર્શ માનનારા અને નહિ માનનારા બન્ને “આંખ જ્ઞાન કરાવે છે તેનો સ્વીકાર કરે છે પછી આપણે શું વાંધો? નકામી ચર્ચામાં ઉતરવાથી નાહકનો ક્લેશ થાય અને વધે. ક્લેશ કરીએ તો ધર્મ ક્યાં રહ્યો. આવી તો કંઈકેટલી સમજ્યા વિનાની દલીલો કરવા માંડે. ચર્ચાની ના પાડનારો પોતે જ “ચર્ચા ન કરવાની ચર્ચા જોરશોરથી કરે ! ખરી વાત એ છે કે જિનશાસનનાં દરેક તત્ત્વો એકબીજાની સાથે સાંકળની કડીની જેમ જોડાયા છે. સાંકળની એક કડી તૂટે એટલે આખી સાંકળ તૂટી કહેવાય. મોટા હાથીને સાંકળથી બાંધ્યો હોય તે સાંકળની એક જ કડી તૂટે એટલે બાકીની બધી કડીઓ જોડાયેલી હોવા છતાં હાથી મુક્ત થઈ જાય છે. તેની જેમ જ બાકીનાં બધાં તત્ત્વો એકબીજા સાથે જોડાયેલાં રાખો, ફક્ત એક જ તત્ત્વને તેમાંથી જુદો પાડીને ન સ્વીકારો એટલે તત્ત્વોની સાંકળ તૂટી જાય. એક તત્ત્વ ખડી પડે એટલે બાકીનાં તત્ત્વોમાં બધે ગરબડ ઉભી થાય. એટલા માટે જ જિનશાસનમાં એકપણ તત્ત્વનો અપલાપ ન થાય, એકપણ તત્ત્વની વિપરીત પ્રરૂપણા ન થાય કારણ કે એક તત્ત્વની ગરબડના કારણે તત્ત્વનો આખો મહેલ તૂટી પડે. એટલા માટે જ એક તત્ત્વ માટે કોઈ અલગ વાત કરે એટલે તેની સાથે વાદ કરીને સિદ્ધ કરવું પડે કે આવી અલગ વાત સ્વીકારવામાં આવે તો કેટલી કેટલી વાતમાં પ્રશ્નો ઉભા થશે. એ પ્રશ્નોને સમાવવા હોય તો તત્ત્વને આ રીતે જ માનવું પડે તેમ દઢતાથી કહેવું પડે. ભગવાનના એક વચનને અમાન્ય કરનારો શાસનમાં રહી શકે નહિ.
SR No.004442
Book TitleChakshurprapyakaritawad
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2009
Total Pages268
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy