SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. ઉપાધ્યાયજી મહારાજે ચક્ષુઅપ્રાપ્યકારિતાવાદ જાતે નથી ઉપાડ્યો. પ્રાચીન ગ્રંથકારો અને પૂર્વાચાર્યોએ આ વાતની સિદ્ધિ માટે અનેક ગ્રંથોમાં તેનું નિરૂપણ કર્યું છે. સામે આ વાતનો સ્વીકાર ન કરનારા અન્ય વિદ્વાનો પણ પોતે પકડેલી વાતની સિદ્ધિ માટે પોતાના ગ્રંથોમાં જોરદાર તર્કો લડાવે છે. આશ્ચર્યની વાત છે કે તે અન્ય અન્ય વિદ્વાનો અંદર અંદર પણ પાછા મતાંતરો ધરાવે છે. એક વિદ્વાનની વાતનો બીજો વિદ્વાન ઈન્કાર કરે છે. જૈનદર્શનની વાતનો સ્વીકાર ન કરવામાં એક હોવા છતાં એ બધા વિદ્વાનો પાછા પરસ્પર એકમત નથી ધરાવતા. પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ ગ્રંથમાં એ બધા વિદ્વાનોને ક્રમસર બહુ આકર્ષક રીતે ગોઠવ્યા છે. શાલિકાચાર્ય, વર્ધમાન ઉપાધ્યાય, ઉદયનાચાર્ય, જયરામભટ્ટાચાર્ય વગેરેની રજૂઆતને પ્રગટ કરી તે બધા મતોનું નિરાકરણ શાસ્ત્ર અને તર્ક દ્વારા કર્યું છે. ગ્રંથની આખી શૈલી પ્રવાહી છે. ક્યાંય ખેંચતાણ કરીને ખંડન કરી રહ્યાનો ભાવ ઉપસતો નથી. વસ્તુતત્ત્વનું નિરૂપણ કરતા તે તે મતનો ઉલ્લેખ કરી ‘તત્ત્વ કયાં રહ્યું છે તેની અભિવ્યક્તિ થઈ છે અને એટલા માટે જ ગ્રંથ સમાપન સમયે પૂ. ઉપાધ્યાયજી મહારાજ લખે છે કે “પોતે પ્રીતિપૂર્વક આ વાદને કર્યો છે. અહીં કડવાશની વાત નથી. પ્રીતિ હોય ત્યાં કડવાશ હોતી નથી. પ્રીતિ આનંદને સૂચવે છે. આનંદમાં આક્રોશ ન હોય. વાદ કેવી રીતે થાય તેનો આ સરસ નમૂનો છે. વાદ અંગે ભડકાવનારા દરેક મંતવ્યોનો આ સમાપન દ્વારા છેદ ઉડી જાય છે. ન તેમને કોઈ વાદી પ્રત્યે દ્વેષ છે, ન તેમને વાદ કરતી વખતે આક્રોશ છે. તેમના હૃદયમાં એક જ ભાવ છે, કરૂણા ! તત્ત્વ આટલું સ્પષ્ટ છે છતાં વિદ્વાનો કેમ ભૂલે છે ? તેમને સરળ માર્ગ બનાવીને ભ્રમણામાંથી બહાર લાવવાનો એક ભાવ છે કોઈ ભ્રમણામાંથી બહાર આવે તો પણ આનંદ છે કોઈ ભ્રમણામાંથી નીકળવા તૈયાર ન થાય તો પણ પ્રતિભાવ નંદવાતો નથી. આક્રોશ પ્રગટતો નથી. પ્રશાંતિ ઝાકળની ભીનાશની જેમ પથરાઈ છે. મહાપુરુષોનો વાદ આવો હોય છે. આ ગ્રંથમાં ગ્રંથરચનાનો સમય પૂ. ઉપાધ્યાયજી મહારાજે લખ્યો નથી. આ ગ્રંથની હસ્તપ્રત લખનારા શ્રી કીર્તિરત્ન મુનિવર વિ.સં. ૧૭૧૦ના મહાવદ ૧૧નો સમય લખે છે એટલે તેઓ પૂ. ઉપાધ્યાયજી મહારાજના સમયમાં જ આ ગ્રંથની નકલ બનાવી રહ્યા છે. પૂ. ઉપાધ્યાયજી મ.નો જન્મ પ્રાયઃ વિ.સં. ૧૬૮૦ની સાલનો માનવામાં આવે છે. તેઓશ્રીનો કાળધર્મ વિ.સં. ૧૭૪૩નો ઇતિહાસ પ્રસિદ્ધ છે. વિ.સં. ૧૭૧૦ની સાલમાં લખાયેલી આ પ્રતિ તેમના હયાતકાળની હોવાથી ખૂબજ પ્રમાણભૂત માનવી પડે. આપણને આની બીજી પ્રતિઓ તે સમયની લખાયેલી મળી આવે તો કદાચ ગ્રંથરચનાનો ચોક્કસ સમય આપણે વિચારી શકીએ. કદાચ એવું પણ બને કે પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ ગ્રંથ લખ્યો હોય તે પછીની પ્રથમદર્શની જ આ નકલ હોય એવું પણ બને. નક્કર આધાર વિના આપણે તો આવાં અનુમાનો જ કરવાના રહ્યા. વધુ આધાર મળે તો આ વિષયમાં વિશેષ ઊહાપોહ પણ થઈ શકે.
SR No.004442
Book TitleChakshurprapyakaritawad
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2009
Total Pages268
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy