SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ श्री चक्षुरप्राप्यकारितावादः શ્લોક-૧૬ : અવતરણિકા : ગતિનિયામકને જ જ્ઞાનના જનક માનવાના કારણે ઉદયનાચાર્યાદિની વાત (દોષ) કઈ રીતે ખંડિત થાય છે? તે સ્પષ્ટ કરે છે. योग्यता तद्गतौ या वः सहकारिसमुच्चयात् / स्वरुपयोग्यताध्रौव्येऽप्यस्माकं न क्षतिस्तया // 16 // શ્લોકાર્થ : તદ્ = ચક્ષુની ગતિ માટે, સહકારીના સમુચ્ચય = સમવધાનથી ઘટાદિગત સ્વરૂપયોગ્યતાને તમે (નૈયાયિક) યોગ્યતા રૂપ માનો છો. તે યોગ્યતાથી ધ્રૌવ્ય = નિત્યપક્ષમાં પણ અમારે કોઈ ક્ષતિ નથી અને સ્યાદ્વાદીને તો ક્ષણિક = અનિત્ય પક્ષમાં (સ્થૂલઋજુસૂત્રની દિવાલાદિની પાછળ રહેલા ઘટાદિ પદાર્થો જ્ઞાન માટે અયોગ્ય છે. જ્યારે જ્ઞાન માટે રૂકાવટ કરનાર દિવાલાદિ એક પણ પદાર્થો ન હોય તેવો ઘટાદિ પદાર્થ જ યોગ્ય છે. આ અર્થ ગ્રન્થકારશ્રી “અપિ'ના દ્વારા સુચિત કરે છે. આમ ચક્ષુ ગતિ પ્રત્યે દિવાલાદિ વ્યવધાનાભાવરૂપ સહકારિને કારણ માનવા કરતાં ચાક્ષુષજ્ઞાન પ્રત્યે જ સાક્ષાત્ વ્યવધાનાભાવ વિશિષ્ટ યોગ્યતાને કારણ માનવામાં લાઘવ છે. તેથી વ્યર્થ એવી ચક્ષુગતિને ચાક્ષુષ પ્રત્યે કારણ માનવી ઉચિત નથી. 20. નેત્યુ સ્પષ્ટતા શ્લોક-૧૭ઃ અવતરણિકા : જ્ઞાન કરનાર વ્યક્તિ અને જેનું જ્ઞાન કરવું છે તે વસ્તુની વચ્ચે કેવી દિવાલાદિ પ્રતિબંધક બને છે? તે જણાવે છે, કારણ કે તેની ચોખવટ વિના તો પર્વતાદિના ચાક્ષુષ પ્રત્યે પણ મધ્યવર્તિ દિવાલાદિ પ્રતિબંધક બની જશે. ग्राह्याधिपरिमाणं हि ग्राह्य-ग्राहकमध्यगम्। चाक्षुष्के वक्तुमुचितं, भित्त्यादिप्रतिबन्धकम् // 17 // શ્લોકાર્થઃ જાણનાર વ્યક્તિ, જાણવા લાયક પદાર્થની વચ્ચે જે દિવાલ આદિ ચાક્ષુષ પ્રતિબંધક બને છે. તે જાણવાલાયક પદાર્થ કરતાં અધિક પરિમાણવાળું હોવું જોઈએ અર્થાત્ મોટા હોવા જોઇએ.
SR No.004442
Book TitleChakshurprapyakaritawad
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2009
Total Pages268
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy